બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-29 21:23:22


ગુજરાતમાં બહુ ચર્ચિત  બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.  

Banas Dairy | Banas Dairy, Faridabad

એશિયાની સૌથી મોટી ડેરી બનાસડેરીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે , 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવું પિક્ચર આજે ક્લિયર થઇ ગયું છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને વિશ્વાસ હતો કે , આખા નિયામક મંડળની ચૂંટણીઓ બિનહરીફ થશે પરંતુ , હવે માત્ર દાંતા બેઠક પર ચૂંટણી લડાશે.  ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પાલનપૂર , દાંતા , વડગામ , દાંતીવાડા , ધાનેરા અને કાંકરેજ માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પરથી ભરત પટેલ , કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરી , દાંતીવાડા પરથી પરથીભાઈ ચૌધરી , ધાનેરા બેઠક પરથી જે કે પટેલ , વડગામ બેઠક પરથી ફલજી ભાઈ પટેલ , દાંતા બેઠક પરથી અમૃતજી ઠાકોરને BJP દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આમ હવે પાલનપુર બેઠક પરથી હરિ ચૌધરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું છે.  તેમની જગ્યાએ ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. મેન્ડેટ બાદ ભાજપના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.  હવે વાત કરીએ આ પહેલા કઈ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે , રાધનપૂરથી શંકર ચૌધરી , અમીરગઢ પરથી ભાવાભાઇ રબારી , થરાદ પરથી પરબત પટેલ , ડીસા પરથી કમળાબેન દેસાઈ , સુઈગામથી મુળજીભાઈ પટેલ , ભાભરથી અંજુબેન ચૌધરી , લાખણીથી તેજ પટેલ , વાવ પરથી માંનીબેન ચૌધરી , દિયોદરથી રમીલાબેન ચૌધરી , સાંતલપુરથી રાઘાભાઈ આયર બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તો હવે માત્ર દાંતા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે જેમાં , અમૃતજી ઠાકોરની સામે દિલીપસિંહ બારડ વચ્ચે આ જંગ થવા જઈ રહ્યો છે. આ જોતા એ લાગી રહયું છે કે , બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે. 

Banas Dairy - Wikipedia

 હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.