બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-29 21:23:22


ગુજરાતમાં બહુ ચર્ચિત  બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.  

Banas Dairy | Banas Dairy, Faridabad

એશિયાની સૌથી મોટી ડેરી બનાસડેરીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે , 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવું પિક્ચર આજે ક્લિયર થઇ ગયું છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને વિશ્વાસ હતો કે , આખા નિયામક મંડળની ચૂંટણીઓ બિનહરીફ થશે પરંતુ , હવે માત્ર દાંતા બેઠક પર ચૂંટણી લડાશે.  ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પાલનપૂર , દાંતા , વડગામ , દાંતીવાડા , ધાનેરા અને કાંકરેજ માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પરથી ભરત પટેલ , કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરી , દાંતીવાડા પરથી પરથીભાઈ ચૌધરી , ધાનેરા બેઠક પરથી જે કે પટેલ , વડગામ બેઠક પરથી ફલજી ભાઈ પટેલ , દાંતા બેઠક પરથી અમૃતજી ઠાકોરને BJP દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આમ હવે પાલનપુર બેઠક પરથી હરિ ચૌધરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું છે.  તેમની જગ્યાએ ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. મેન્ડેટ બાદ ભાજપના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.  હવે વાત કરીએ આ પહેલા કઈ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે , રાધનપૂરથી શંકર ચૌધરી , અમીરગઢ પરથી ભાવાભાઇ રબારી , થરાદ પરથી પરબત પટેલ , ડીસા પરથી કમળાબેન દેસાઈ , સુઈગામથી મુળજીભાઈ પટેલ , ભાભરથી અંજુબેન ચૌધરી , લાખણીથી તેજ પટેલ , વાવ પરથી માંનીબેન ચૌધરી , દિયોદરથી રમીલાબેન ચૌધરી , સાંતલપુરથી રાઘાભાઈ આયર બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તો હવે માત્ર દાંતા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે જેમાં , અમૃતજી ઠાકોરની સામે દિલીપસિંહ બારડ વચ્ચે આ જંગ થવા જઈ રહ્યો છે. આ જોતા એ લાગી રહયું છે કે , બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે. 

Banas Dairy - Wikipedia

 હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.