બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-29 21:23:22


ગુજરાતમાં બહુ ચર્ચિત  બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.  

Banas Dairy | Banas Dairy, Faridabad

એશિયાની સૌથી મોટી ડેરી બનાસડેરીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે , 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવું પિક્ચર આજે ક્લિયર થઇ ગયું છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને વિશ્વાસ હતો કે , આખા નિયામક મંડળની ચૂંટણીઓ બિનહરીફ થશે પરંતુ , હવે માત્ર દાંતા બેઠક પર ચૂંટણી લડાશે.  ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પાલનપૂર , દાંતા , વડગામ , દાંતીવાડા , ધાનેરા અને કાંકરેજ માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પરથી ભરત પટેલ , કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરી , દાંતીવાડા પરથી પરથીભાઈ ચૌધરી , ધાનેરા બેઠક પરથી જે કે પટેલ , વડગામ બેઠક પરથી ફલજી ભાઈ પટેલ , દાંતા બેઠક પરથી અમૃતજી ઠાકોરને BJP દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આમ હવે પાલનપુર બેઠક પરથી હરિ ચૌધરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું છે.  તેમની જગ્યાએ ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. મેન્ડેટ બાદ ભાજપના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.  હવે વાત કરીએ આ પહેલા કઈ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે , રાધનપૂરથી શંકર ચૌધરી , અમીરગઢ પરથી ભાવાભાઇ રબારી , થરાદ પરથી પરબત પટેલ , ડીસા પરથી કમળાબેન દેસાઈ , સુઈગામથી મુળજીભાઈ પટેલ , ભાભરથી અંજુબેન ચૌધરી , લાખણીથી તેજ પટેલ , વાવ પરથી માંનીબેન ચૌધરી , દિયોદરથી રમીલાબેન ચૌધરી , સાંતલપુરથી રાઘાભાઈ આયર બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તો હવે માત્ર દાંતા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે જેમાં , અમૃતજી ઠાકોરની સામે દિલીપસિંહ બારડ વચ્ચે આ જંગ થવા જઈ રહ્યો છે. આ જોતા એ લાગી રહયું છે કે , બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે. 

Banas Dairy - Wikipedia

 હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.