બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-29 21:23:22


ગુજરાતમાં બહુ ચર્ચિત  બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.  

Banas Dairy | Banas Dairy, Faridabad

એશિયાની સૌથી મોટી ડેરી બનાસડેરીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે , 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવું પિક્ચર આજે ક્લિયર થઇ ગયું છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને વિશ્વાસ હતો કે , આખા નિયામક મંડળની ચૂંટણીઓ બિનહરીફ થશે પરંતુ , હવે માત્ર દાંતા બેઠક પર ચૂંટણી લડાશે.  ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પાલનપૂર , દાંતા , વડગામ , દાંતીવાડા , ધાનેરા અને કાંકરેજ માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પરથી ભરત પટેલ , કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરી , દાંતીવાડા પરથી પરથીભાઈ ચૌધરી , ધાનેરા બેઠક પરથી જે કે પટેલ , વડગામ બેઠક પરથી ફલજી ભાઈ પટેલ , દાંતા બેઠક પરથી અમૃતજી ઠાકોરને BJP દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આમ હવે પાલનપુર બેઠક પરથી હરિ ચૌધરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું છે.  તેમની જગ્યાએ ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. મેન્ડેટ બાદ ભાજપના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.  હવે વાત કરીએ આ પહેલા કઈ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે , રાધનપૂરથી શંકર ચૌધરી , અમીરગઢ પરથી ભાવાભાઇ રબારી , થરાદ પરથી પરબત પટેલ , ડીસા પરથી કમળાબેન દેસાઈ , સુઈગામથી મુળજીભાઈ પટેલ , ભાભરથી અંજુબેન ચૌધરી , લાખણીથી તેજ પટેલ , વાવ પરથી માંનીબેન ચૌધરી , દિયોદરથી રમીલાબેન ચૌધરી , સાંતલપુરથી રાઘાભાઈ આયર બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તો હવે માત્ર દાંતા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે જેમાં , અમૃતજી ઠાકોરની સામે દિલીપસિંહ બારડ વચ્ચે આ જંગ થવા જઈ રહ્યો છે. આ જોતા એ લાગી રહયું છે કે , બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે. 

Banas Dairy - Wikipedia

 હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.