Banaskanthaમાં Geniben કહે છે બેનનું મામેરું ભરવાનું અને Rekhaben Choudhary કહે છે - હું તમારી દીકરી છું!


  • Published By :
  • Published Date : 2024-03-28 15:47:26

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી રહેતી હોય છે. તેમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક.. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. આ બેઠક પર બેન વિરૂદ્ધ બેનનો જંગ જામવાનો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત પ્રચાર કરતા દેખાયા છે, રેખાબેન ચૌધરીએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. 


બનાસકાંઠામાં જોવા મળશે બેન વિરૂદ્ધ બેનનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રેખાબેન દ્વારા પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક એટલા માટે રસપ્રદ રહેવાની છે કારણ કે ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પ્રચાર શરૂ કર્યો છે જ્યારે રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર શરૂ કરી દીધો છે.  


શું કહ્યું રેખાબેન ચૌધરીએ? 

રેખા ચૌધરી પાલનપુર પાસે યોજાયેલા એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તેમણે આ વાત કરી હતી. લોકો સાથે વાત કરતા રેખાબેને કહ્યું હું તમારી દીકરી છું અને તમારી જોડે અડીખમ ઉભી છું. કેન્દ્રથી બનાસકાંઠા માટે યોજનાઓ લાવીશ મને સ્વપ્ન આવે છે કે બનાસકાંઠા હરિયાળું છે, પાણીની તકલીફ પર ધ્યાન આપીશું અને યુવાનો માટે રોજગારી લાવીશ... મહત્વનું છે કે આ બેઠક એકદમ રસપ્રદ રહેવાની છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.