Banaskanthaમાં Geniben કહે છે બેનનું મામેરું ભરવાનું અને Rekhaben Choudhary કહે છે - હું તમારી દીકરી છું!


  • Published By :
  • Published Date : 2024-03-28 15:47:26

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી રહેતી હોય છે. તેમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક.. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. આ બેઠક પર બેન વિરૂદ્ધ બેનનો જંગ જામવાનો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત પ્રચાર કરતા દેખાયા છે, રેખાબેન ચૌધરીએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. 


બનાસકાંઠામાં જોવા મળશે બેન વિરૂદ્ધ બેનનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રેખાબેન દ્વારા પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક એટલા માટે રસપ્રદ રહેવાની છે કારણ કે ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પ્રચાર શરૂ કર્યો છે જ્યારે રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર શરૂ કરી દીધો છે.  


શું કહ્યું રેખાબેન ચૌધરીએ? 

રેખા ચૌધરી પાલનપુર પાસે યોજાયેલા એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તેમણે આ વાત કરી હતી. લોકો સાથે વાત કરતા રેખાબેને કહ્યું હું તમારી દીકરી છું અને તમારી જોડે અડીખમ ઉભી છું. કેન્દ્રથી બનાસકાંઠા માટે યોજનાઓ લાવીશ મને સ્વપ્ન આવે છે કે બનાસકાંઠા હરિયાળું છે, પાણીની તકલીફ પર ધ્યાન આપીશું અને યુવાનો માટે રોજગારી લાવીશ... મહત્વનું છે કે આ બેઠક એકદમ રસપ્રદ રહેવાની છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.