Banaskanthaમાં Geniben કહે છે બેનનું મામેરું ભરવાનું અને Rekhaben Choudhary કહે છે - હું તમારી દીકરી છું!


  • Published By :
  • Published Date : 2024-03-28 15:47:26

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી રહેતી હોય છે. તેમાંની એક બેઠક છે બનાસકાંઠા બેઠક.. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. આ બેઠક પર બેન વિરૂદ્ધ બેનનો જંગ જામવાનો છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. ગેનીબેન અનેક વખત પ્રચાર કરતા દેખાયા છે, રેખાબેન ચૌધરીએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. 


બનાસકાંઠામાં જોવા મળશે બેન વિરૂદ્ધ બેનનો જંગ 

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રેખાબેન દ્વારા પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક એટલા માટે રસપ્રદ રહેવાની છે કારણ કે ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પ્રચાર શરૂ કર્યો છે જ્યારે રેખા ચૌધરીએ બનાસની દીકરી તરીકે પ્રચાર શરૂ કરી દીધો છે.  


શું કહ્યું રેખાબેન ચૌધરીએ? 

રેખા ચૌધરી પાલનપુર પાસે યોજાયેલા એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં તેમણે આ વાત કરી હતી. લોકો સાથે વાત કરતા રેખાબેને કહ્યું હું તમારી દીકરી છું અને તમારી જોડે અડીખમ ઉભી છું. કેન્દ્રથી બનાસકાંઠા માટે યોજનાઓ લાવીશ મને સ્વપ્ન આવે છે કે બનાસકાંઠા હરિયાળું છે, પાણીની તકલીફ પર ધ્યાન આપીશું અને યુવાનો માટે રોજગારી લાવીશ... મહત્વનું છે કે આ બેઠક એકદમ રસપ્રદ રહેવાની છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે