Banaskanthaમાં Priyanka Gandhiનો Geniben Thakor માટે પ્રચાર, મોંઘવારી, ક્ષત્રિય સમાજ વિવાદ સહિતના મુદ્દાઓ પર કર્યા PM Modi પર પ્રહાર..!


  • Published By :
  • Published Date : 2024-05-04 14:13:32

બનાસકાંઠા લોકસભા બેઠક સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે . થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

ગેનીબેન માટે પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રચાર  

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે... એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા. ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે તેવું લાગે છે.. તેમાંની એક બેઠક છે બનાસકાંઠા લોકસભા બેઠક.. આ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન તરફથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધી હતી ત્યારે આજે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધી..

શહેઝાદા શબ્દ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ  

જનસભાને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા.. પીએમ મોદી જ્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે અનેક વખત શહેજાદા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા બોલાવે છે.. હું બતાવવા માગું છું કે મારો ભાઈ 4 હજાર કિલોમીટર પગપાળા ચાલ્યો છે.. દેશના લોકોને મળ્યા તેમને પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્ચા છે? એક તરફ સમ્રાટ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારી કેવી રીતે સમજી શકશે?

મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા યાદ

વધુમાં તેમણે કહ્યું કે વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. શ્રી સરદાર પટેલ જી, વીર રણછોડ રબારી જી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે.


ગુજરાતમાં ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે.. 

પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં હાલ ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.. તેમણે કહ્યું કે ગુજરાતમાં રાજપૂત મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. શું પીએમ મોદીએ ઉમેદવાર સામે કોઈ પગલા લીધા? આજે દેશમાં જ્યાં જ્યાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યાં ભાજપ સરકારે ગુનેગારોને સાથ આપ્યો છે. ઉન્નાવ કેસ, હાથરસ કેસ, મહિલા કુસ્તીબાજ કેસમાં ભાજપ સરકાર અને મોદીજીએ મદદ કરી નથી. 


મોંઘવારીને લઈ પ્રિયંકા ગાંધીએ સાધ્યું મોદી સરકાર પર નિશાન 

ભાજપે ઉત્તર પ્રદેશમાં મહિલા રેસલર્સ પર અત્યાચાર કરનાર વ્યક્તિના પુત્રને ટિકિટ આપી. મોંઘવારીને લઈ તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તે સિવાય પણ તેમણે અનેક મુદ્દાઓ પર ભાજપ અને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાની જનતા કોને મત આપી સંસદ પહોંચાડે છે...  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે