ભાજપના નેતાનું પેપર લીક કાંડમાં નામ આવતા થયો વિરોધ છીનવાયું પદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-03 21:22:53

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર  આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.  હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે. 

અરવલ્લી જિલ્લાના બાયડમાં થોડાક સમય અગાઉ , સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આકાશ પટેલની યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ , આ નિમણુંકને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેનું કારણ એ છે કે, જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના ભાજપ કાર્યકર આકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું. આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. 

એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે.  ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. તો હવે , અરવલ્લી ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલને વિવાદ બાદ દુર કરવામાં આવ્યા છે.  બાયડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પદે માનવ ઘનશ્યામ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આકાશ પટેલની નિમણુંક પછી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા અને અરવલ્લી જીલ્લા કોંગ્રેસે આકાશ પટેલનું નામ ઉર્જા ભરતી કૌભાંડમાં આરોપી તરીકે નામ હોવાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે વિવાદ વધુ વકરતાં અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખે આકાશ પટેલને બાયડ શહેર યુવા મોરચાના પ્રમુખના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.



મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.