ભાજપના નેતાનું પેપર લીક કાંડમાં નામ આવતા થયો વિરોધ છીનવાયું પદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-03 21:22:53

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર  આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.  હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે. 

અરવલ્લી જિલ્લાના બાયડમાં થોડાક સમય અગાઉ , સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આકાશ પટેલની યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ , આ નિમણુંકને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેનું કારણ એ છે કે, જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના ભાજપ કાર્યકર આકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું. આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. 

એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે.  ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. તો હવે , અરવલ્લી ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલને વિવાદ બાદ દુર કરવામાં આવ્યા છે.  બાયડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પદે માનવ ઘનશ્યામ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આકાશ પટેલની નિમણુંક પછી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા અને અરવલ્લી જીલ્લા કોંગ્રેસે આકાશ પટેલનું નામ ઉર્જા ભરતી કૌભાંડમાં આરોપી તરીકે નામ હોવાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે વિવાદ વધુ વકરતાં અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખે આકાશ પટેલને બાયડ શહેર યુવા મોરચાના પ્રમુખના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.



અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.