ભાજપના નેતાનું પેપર લીક કાંડમાં નામ આવતા થયો વિરોધ છીનવાયું પદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-03 21:22:53

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર  આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.  હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે. 

અરવલ્લી જિલ્લાના બાયડમાં થોડાક સમય અગાઉ , સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આકાશ પટેલની યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ , આ નિમણુંકને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેનું કારણ એ છે કે, જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના ભાજપ કાર્યકર આકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું. આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. 

એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે.  ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. તો હવે , અરવલ્લી ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલને વિવાદ બાદ દુર કરવામાં આવ્યા છે.  બાયડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પદે માનવ ઘનશ્યામ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આકાશ પટેલની નિમણુંક પછી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા અને અરવલ્લી જીલ્લા કોંગ્રેસે આકાશ પટેલનું નામ ઉર્જા ભરતી કૌભાંડમાં આરોપી તરીકે નામ હોવાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે વિવાદ વધુ વકરતાં અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખે આકાશ પટેલને બાયડ શહેર યુવા મોરચાના પ્રમુખના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.



ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.