હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-09 20:31:43

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે. 

Former Congress MLA Heera Jotva, his son among three arrested in ₹7.30  crore MGNREGA scam in Bharuch | Former Congress MLA Heera Jotva his son  among three arrested in ₹7 30 crore

ભરૂચમાં બઉ જ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું. આ અગાઉ હીરા જોટવા જામીન પર બહાર આવ્યા હતા તે પછી હવે કોર્ટે દિગ્વિજય જોટવાના જામીન પર મંજુર કરી દીધા છે. હીરા જોટવાને જયારે જામીન મળ્યા ત્યારે તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  હવે દિગ્વિજય જોટવાને જામીન મળતા આહીર સમાજમાં આનંદની લહેર છે. સમાજના આગેવાનો દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે , હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાને ખોટી રીતે આ મનરેગા કૌભાંડમા ફસાવવામાં આવ્યા છે. હવે દિગ્વિજય જોટવાનું પણ આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

Gujarat Congress Vice President Hira Jotva grilled by police over Rs 7.3  crore MNREGA scam

વાત કરીએ , ભરૂચના મનરેગા કૌભાંડની તો ,  તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ SP મયુર ચાવડા દ્વારા સીટ એટલેકે , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બેસાડવામાં આવી હતી . આ SIT ની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.  આ પૈકી ₹3-4 કરોડ જેટલા રૂપિયાઓ ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ  પણ કૌભાંડમાં ખુલ્યું હતું તેમની પર આરોપ છે કે , કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે. ભરૂચમાં આ મનરેગા કૌભાંડની જાણ થતા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી.




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.