હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-09 20:31:43

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે. 

Former Congress MLA Heera Jotva, his son among three arrested in ₹7.30  crore MGNREGA scam in Bharuch | Former Congress MLA Heera Jotva his son  among three arrested in ₹7 30 crore

ભરૂચમાં બઉ જ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું. આ અગાઉ હીરા જોટવા જામીન પર બહાર આવ્યા હતા તે પછી હવે કોર્ટે દિગ્વિજય જોટવાના જામીન પર મંજુર કરી દીધા છે. હીરા જોટવાને જયારે જામીન મળ્યા ત્યારે તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  હવે દિગ્વિજય જોટવાને જામીન મળતા આહીર સમાજમાં આનંદની લહેર છે. સમાજના આગેવાનો દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે , હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાને ખોટી રીતે આ મનરેગા કૌભાંડમા ફસાવવામાં આવ્યા છે. હવે દિગ્વિજય જોટવાનું પણ આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

Gujarat Congress Vice President Hira Jotva grilled by police over Rs 7.3  crore MNREGA scam

વાત કરીએ , ભરૂચના મનરેગા કૌભાંડની તો ,  તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ SP મયુર ચાવડા દ્વારા સીટ એટલેકે , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બેસાડવામાં આવી હતી . આ SIT ની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.  આ પૈકી ₹3-4 કરોડ જેટલા રૂપિયાઓ ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ  પણ કૌભાંડમાં ખુલ્યું હતું તેમની પર આરોપ છે કે , કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે. ભરૂચમાં આ મનરેગા કૌભાંડની જાણ થતા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.