હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-09 20:31:43

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે. 

Former Congress MLA Heera Jotva, his son among three arrested in ₹7.30  crore MGNREGA scam in Bharuch | Former Congress MLA Heera Jotva his son  among three arrested in ₹7 30 crore

ભરૂચમાં બઉ જ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું. આ અગાઉ હીરા જોટવા જામીન પર બહાર આવ્યા હતા તે પછી હવે કોર્ટે દિગ્વિજય જોટવાના જામીન પર મંજુર કરી દીધા છે. હીરા જોટવાને જયારે જામીન મળ્યા ત્યારે તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  હવે દિગ્વિજય જોટવાને જામીન મળતા આહીર સમાજમાં આનંદની લહેર છે. સમાજના આગેવાનો દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે , હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાને ખોટી રીતે આ મનરેગા કૌભાંડમા ફસાવવામાં આવ્યા છે. હવે દિગ્વિજય જોટવાનું પણ આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

Gujarat Congress Vice President Hira Jotva grilled by police over Rs 7.3  crore MNREGA scam

વાત કરીએ , ભરૂચના મનરેગા કૌભાંડની તો ,  તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ SP મયુર ચાવડા દ્વારા સીટ એટલેકે , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બેસાડવામાં આવી હતી . આ SIT ની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.  આ પૈકી ₹3-4 કરોડ જેટલા રૂપિયાઓ ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ  પણ કૌભાંડમાં ખુલ્યું હતું તેમની પર આરોપ છે કે , કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે. ભરૂચમાં આ મનરેગા કૌભાંડની જાણ થતા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી.




ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.