હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-09 20:31:43

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે. 

Former Congress MLA Heera Jotva, his son among three arrested in ₹7.30  crore MGNREGA scam in Bharuch | Former Congress MLA Heera Jotva his son  among three arrested in ₹7 30 crore

ભરૂચમાં બઉ જ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું. આ અગાઉ હીરા જોટવા જામીન પર બહાર આવ્યા હતા તે પછી હવે કોર્ટે દિગ્વિજય જોટવાના જામીન પર મંજુર કરી દીધા છે. હીરા જોટવાને જયારે જામીન મળ્યા ત્યારે તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  હવે દિગ્વિજય જોટવાને જામીન મળતા આહીર સમાજમાં આનંદની લહેર છે. સમાજના આગેવાનો દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે , હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાને ખોટી રીતે આ મનરેગા કૌભાંડમા ફસાવવામાં આવ્યા છે. હવે દિગ્વિજય જોટવાનું પણ આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

Gujarat Congress Vice President Hira Jotva grilled by police over Rs 7.3  crore MNREGA scam

વાત કરીએ , ભરૂચના મનરેગા કૌભાંડની તો ,  તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ SP મયુર ચાવડા દ્વારા સીટ એટલેકે , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બેસાડવામાં આવી હતી . આ SIT ની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.  આ પૈકી ₹3-4 કરોડ જેટલા રૂપિયાઓ ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ  પણ કૌભાંડમાં ખુલ્યું હતું તેમની પર આરોપ છે કે , કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે. ભરૂચમાં આ મનરેગા કૌભાંડની જાણ થતા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.