સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ, હોબાળા બાદ ઈન્ચાર્જ કુલપતિ ભીમાણીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-09-20 21:50:14

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેના નિયમથી હોબાળો મચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટેના નિયમોની એક માહિતી પત્રકમાં વિદ્યાર્થીનીઓ માટેના કુલ 28 નિયમો દર્શાવવામાં આવ્યા જેમાં 7માં ક્રમના નિયમમાં યુવતીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેનો નિયમ છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2023-24 માટે આજે જાહેર કરાયેલા પરિપત્રમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  ગર્લ્સ હોસ્ટેલમાં હવેથી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના પાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં વિદ્યાર્થીનીને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં વિદ્યાર્થીની પોતાના કુટુંબી પરિચિત બહેનોને રાખવા માટે રેકટરની મંજુરી લેવી પડશે તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની હાજરી પુરવામાં આવશે. જો કે વિવાદ વધતા ઈન્ચાર્જ કુલપતિએ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરવી પડી છે.


ઈન્ચાર્જ કુલપતિએ ભીમાણીએ શું કહ્યું?


હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પરિપત્ર નહીં નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે અને પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. આમા સુચનો આવશે તો તેનો પણ અમલ કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને બોયસ બન્નેને લાગુ પડે છે. બોયસ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોઈ છે.  જ્યારે વિવાદની સાથે ગર્લ્સ હોસ્ટેમાં ખોટી રીતે મેરીટ લીસ્ટ બહાર પાડી 44 હકદાર બહેનોને પ્રવેશ નહી મળતા આ મુદ્દો દબાવી દેવા આ વિવાદ સામે લવાયો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પ્રદર્શન પણ કર્યું હતું. જેના જવાબમાં કાર્યકારી કુલપતિએ જણાવ્યું કે, કોઈ પણ વિદ્યાર્થીનીઓની માંગ દબાવવાનો કોઈને અધિકાર નથી. માંગની સત્યાર્થતા ચકાસીને યુનિવર્સિટી યોગ્ય નિર્ણય કરતી હોય છે. તેમની આ માંગ અને નિયમો એકબીજને દબાવી દેવાનો છે એવો કોઈ પ્રશ્ન જ નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી