સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ, હોબાળા બાદ ઈન્ચાર્જ કુલપતિ ભીમાણીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-09-20 21:50:14

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેના નિયમથી હોબાળો મચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટેના નિયમોની એક માહિતી પત્રકમાં વિદ્યાર્થીનીઓ માટેના કુલ 28 નિયમો દર્શાવવામાં આવ્યા જેમાં 7માં ક્રમના નિયમમાં યુવતીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેનો નિયમ છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2023-24 માટે આજે જાહેર કરાયેલા પરિપત્રમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  ગર્લ્સ હોસ્ટેલમાં હવેથી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના પાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં વિદ્યાર્થીનીને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં વિદ્યાર્થીની પોતાના કુટુંબી પરિચિત બહેનોને રાખવા માટે રેકટરની મંજુરી લેવી પડશે તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની હાજરી પુરવામાં આવશે. જો કે વિવાદ વધતા ઈન્ચાર્જ કુલપતિએ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરવી પડી છે.


ઈન્ચાર્જ કુલપતિએ ભીમાણીએ શું કહ્યું?


હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પરિપત્ર નહીં નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે અને પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. આમા સુચનો આવશે તો તેનો પણ અમલ કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને બોયસ બન્નેને લાગુ પડે છે. બોયસ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોઈ છે.  જ્યારે વિવાદની સાથે ગર્લ્સ હોસ્ટેમાં ખોટી રીતે મેરીટ લીસ્ટ બહાર પાડી 44 હકદાર બહેનોને પ્રવેશ નહી મળતા આ મુદ્દો દબાવી દેવા આ વિવાદ સામે લવાયો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પ્રદર્શન પણ કર્યું હતું. જેના જવાબમાં કાર્યકારી કુલપતિએ જણાવ્યું કે, કોઈ પણ વિદ્યાર્થીનીઓની માંગ દબાવવાનો કોઈને અધિકાર નથી. માંગની સત્યાર્થતા ચકાસીને યુનિવર્સિટી યોગ્ય નિર્ણય કરતી હોય છે. તેમની આ માંગ અને નિયમો એકબીજને દબાવી દેવાનો છે એવો કોઈ પ્રશ્ન જ નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.