સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ, હોબાળા બાદ ઈન્ચાર્જ કુલપતિ ભીમાણીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-09-20 21:50:14

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેના નિયમથી હોબાળો મચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટેના નિયમોની એક માહિતી પત્રકમાં વિદ્યાર્થીનીઓ માટેના કુલ 28 નિયમો દર્શાવવામાં આવ્યા જેમાં 7માં ક્રમના નિયમમાં યુવતીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેનો નિયમ છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2023-24 માટે આજે જાહેર કરાયેલા પરિપત્રમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  ગર્લ્સ હોસ્ટેલમાં હવેથી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના પાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં વિદ્યાર્થીનીને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં વિદ્યાર્થીની પોતાના કુટુંબી પરિચિત બહેનોને રાખવા માટે રેકટરની મંજુરી લેવી પડશે તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની હાજરી પુરવામાં આવશે. જો કે વિવાદ વધતા ઈન્ચાર્જ કુલપતિએ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરવી પડી છે.


ઈન્ચાર્જ કુલપતિએ ભીમાણીએ શું કહ્યું?


હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પરિપત્ર નહીં નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે અને પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. આમા સુચનો આવશે તો તેનો પણ અમલ કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને બોયસ બન્નેને લાગુ પડે છે. બોયસ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોઈ છે.  જ્યારે વિવાદની સાથે ગર્લ્સ હોસ્ટેમાં ખોટી રીતે મેરીટ લીસ્ટ બહાર પાડી 44 હકદાર બહેનોને પ્રવેશ નહી મળતા આ મુદ્દો દબાવી દેવા આ વિવાદ સામે લવાયો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પ્રદર્શન પણ કર્યું હતું. જેના જવાબમાં કાર્યકારી કુલપતિએ જણાવ્યું કે, કોઈ પણ વિદ્યાર્થીનીઓની માંગ દબાવવાનો કોઈને અધિકાર નથી. માંગની સત્યાર્થતા ચકાસીને યુનિવર્સિટી યોગ્ય નિર્ણય કરતી હોય છે. તેમની આ માંગ અને નિયમો એકબીજને દબાવી દેવાનો છે એવો કોઈ પ્રશ્ન જ નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.