BJPમાં આ નામો છે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-07 17:28:55

ભારતીય જનતા પાર્ટી કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થવાની બાકી છે. લગભગ ૧૦ મહિના બાદ જેટલો સમય પસાર થઇ ચુક્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાનો અધ્યક્ષ નક્કી નથી કરી શકી . હમણાં જ બજેટ સત્રમાં ચર્ચા દરમ્યાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અખિલેશ યાદવે બીજેપી પર તંજ કસ્યો હતો. તો આવો જાણીએ કેમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાતમાં વાર થઇ રહી છે સાથે એ પણ જાણીશું કે કયા સંભવિત ચેહરાઓ જેમની પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી કે જેનો સ્થાપના દિવસ ગઈ કાલે જ ગયો . બીજેપીના સમગ્ર ભારતમાં ૧૨ કરોડ સદસ્યો છે સાથે જ તે દાવો કરે છે કે આ આખી પાર્ટી કેડર બેઝ્ડ છે . પરંતુ હવે જ્યારથી ગયા વર્ષે લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પતી છે ત્યારથી જ બીજેપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણુંક બાકી છે. લોકસભાની ચૂંટણીઓ પતી ત્યારબાદ બીજેપીના પાર્લિયામેંટ્રી બોર્ડે વર્તમાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જ્યાં સુધી સંગઠનની ચૂંટણીઓ પુરી થાય ત્યાં સુધી લંબાવી દીધો છે.  જોકે આ પછી મહારાષ્ટ્ર , ઝારખંડ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવી ગઈ માટે આ સંગઠનની ચૂંટણીઓ પાછી ઠેલવાતી ગઈ. 

BJP president JP Nadda holds meeting on UP assembly polls - The Economic  Times

જોકે આ બાબતે ઘણીબધી બાબતો બહાર આવી હતી જેમ કે , બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક પાને નથી એટલેકે તેમની વચ્ચે સંગઠનને લઇને વિખવાદ છે. પછી વાત આવી કે કોઈ મહિલાને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય અને ત્યારપછી દક્ષિણના રાજ્યમાંથી કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય એવી વાત પણ બહાર આવી. જોકે , બીજેપીમાં સંગઠન મહામંત્રી બીએલ સંતોષ છે તે દક્ષિણના છે તો પછી દક્ષિણમાંથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની શક્યતા ઓછી છે.  જોકે હવે જે નામ બીજેપી અધ્યક્ષની રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેમાં કેન્દ્રીય પયાર્વરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ  , કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ , નીતિન ગડકરી કે જેઓ માર્ગ વાહનવ્યવહાર મંત્રી છે . આ સાથે જ એક નામ અન્ય ચર્ચામાં છે તે છે , હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હાલમાં કેન્દ્રમાં શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટર . ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સહકાર સાધીને એપ્રિલના અંત સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામ જાહેર કરી શકે છે. 

Why BJP declared first list of candidates early for MP, Chhattisgarh polls

વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ થાય છે.  બીજેપીમાં આ માટે સંગઠનની ચૂંટણીઓ થાય છે. ભાજપનું બંધારણ કહે છે કે , બીજેપીનું ભારતના બધા જ રાજ્યોમાં સંગઠન છે . આ બધા જ રાજ્યોમાંથી ૫૦ ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પુરી થાય તે પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ થઇ શકે છે. લાગી રહ્યું છે કે , એપ્રિલના અંત સુધીમાં વાર થઈ શકે છે. અત્યારસુધીમાં ૧૪ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની નિમણુંક થઇ ચુકી છે. આવનારા સમયમાં બાકીના રાજ્યોમાં પણ પ્રદેશ પ્રમુખોના નામ જાહેર થઇ શકે છે . વાત કરીએ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની તો , જેપી નડ્ડાને જૂન ૨૦૧૯માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા આ પછી ૬ મહિના બાદ જાન્યુઆરી ૨૦૨૦માં જેપી નડ્ડાની બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી . તેમનો ૩ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ જાન્યુઆરી ૨૦૨૩માં લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી લંબાવવામાં આવ્યો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.