BJPમાં આ નામો છે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-07 17:28:55

ભારતીય જનતા પાર્ટી કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થવાની બાકી છે. લગભગ ૧૦ મહિના બાદ જેટલો સમય પસાર થઇ ચુક્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાનો અધ્યક્ષ નક્કી નથી કરી શકી . હમણાં જ બજેટ સત્રમાં ચર્ચા દરમ્યાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અખિલેશ યાદવે બીજેપી પર તંજ કસ્યો હતો. તો આવો જાણીએ કેમ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાતમાં વાર થઇ રહી છે સાથે એ પણ જાણીશું કે કયા સંભવિત ચેહરાઓ જેમની પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી કે જેનો સ્થાપના દિવસ ગઈ કાલે જ ગયો . બીજેપીના સમગ્ર ભારતમાં ૧૨ કરોડ સદસ્યો છે સાથે જ તે દાવો કરે છે કે આ આખી પાર્ટી કેડર બેઝ્ડ છે . પરંતુ હવે જ્યારથી ગયા વર્ષે લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પતી છે ત્યારથી જ બીજેપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણુંક બાકી છે. લોકસભાની ચૂંટણીઓ પતી ત્યારબાદ બીજેપીના પાર્લિયામેંટ્રી બોર્ડે વર્તમાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જ્યાં સુધી સંગઠનની ચૂંટણીઓ પુરી થાય ત્યાં સુધી લંબાવી દીધો છે.  જોકે આ પછી મહારાષ્ટ્ર , ઝારખંડ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવી ગઈ માટે આ સંગઠનની ચૂંટણીઓ પાછી ઠેલવાતી ગઈ. 

BJP president JP Nadda holds meeting on UP assembly polls - The Economic  Times

જોકે આ બાબતે ઘણીબધી બાબતો બહાર આવી હતી જેમ કે , બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક પાને નથી એટલેકે તેમની વચ્ચે સંગઠનને લઇને વિખવાદ છે. પછી વાત આવી કે કોઈ મહિલાને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય અને ત્યારપછી દક્ષિણના રાજ્યમાંથી કોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય એવી વાત પણ બહાર આવી. જોકે , બીજેપીમાં સંગઠન મહામંત્રી બીએલ સંતોષ છે તે દક્ષિણના છે તો પછી દક્ષિણમાંથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની શક્યતા ઓછી છે.  જોકે હવે જે નામ બીજેપી અધ્યક્ષની રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેમાં કેન્દ્રીય પયાર્વરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ  , કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ , નીતિન ગડકરી કે જેઓ માર્ગ વાહનવ્યવહાર મંત્રી છે . આ સાથે જ એક નામ અન્ય ચર્ચામાં છે તે છે , હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હાલમાં કેન્દ્રમાં શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ ખટ્ટર . ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સહકાર સાધીને એપ્રિલના અંત સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામ જાહેર કરી શકે છે. 

Why BJP declared first list of candidates early for MP, Chhattisgarh polls

વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ થાય છે.  બીજેપીમાં આ માટે સંગઠનની ચૂંટણીઓ થાય છે. ભાજપનું બંધારણ કહે છે કે , બીજેપીનું ભારતના બધા જ રાજ્યોમાં સંગઠન છે . આ બધા જ રાજ્યોમાંથી ૫૦ ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણીઓ પુરી થાય તે પછી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ થઇ શકે છે. લાગી રહ્યું છે કે , એપ્રિલના અંત સુધીમાં વાર થઈ શકે છે. અત્યારસુધીમાં ૧૪ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની નિમણુંક થઇ ચુકી છે. આવનારા સમયમાં બાકીના રાજ્યોમાં પણ પ્રદેશ પ્રમુખોના નામ જાહેર થઇ શકે છે . વાત કરીએ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની તો , જેપી નડ્ડાને જૂન ૨૦૧૯માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા આ પછી ૬ મહિના બાદ જાન્યુઆરી ૨૦૨૦માં જેપી નડ્ડાની બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી . તેમનો ૩ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ જાન્યુઆરી ૨૦૨૩માં લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી લંબાવવામાં આવ્યો છે. 




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.