દાંતામાં વાલ્મીકિ સમાજના યુવકની અંતિમ ક્રિયા માટે જગ્યા ન મળતા રોષ, પરિજનોના મામલદાર કચેરીએ ધરણા


  • Published By :
  • Published Date : 2024-01-02 18:40:10

આપણા સમાજમાં જાતિવાદ કેટલી હદ સુધી ઘર કરી ગયો છે તે દાંતા તાલુકામાં બનેલી એક ઘટના પરથી જાણી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામેથી એક શમરજનક ઘટના સામે આવી હતી. નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45 વર્ષ હતી, મૃતકના પરિવારજનો દ્વારા અંતીમ સંસ્કારના ભાગરૂપે મૃતદેહને દફનવિધિ કરવા માટે સ્મશાન લઈ ગયા હતાં. જોકે પરિવાજનોને મૃતદેહ માટે યોગ્ય જગ્યા ન મળતાં તેઓ રોષે ભરાયા હતા. આ મામલે રજુઆત કરવા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ મૃતદેહને લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.


શું છે સમગ્ર ઘટના?


બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામના 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. આથી સવારે ગ્રામજતો ગામમાં તેમની અંતિમવિધિ કરવા માટે પહોંચ્યા હતા. આ ગામમાં તેમને પરિજનની અંતિમ વિધી માટે જગ્યા ન મળતા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ દાંતા પહોંચ્યા હતા. મૃતકના પરિવાજનો દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીની બહાર હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ પરિવારજનો દ્વારા જ્યારે ધરણાં કરવામાં આવી રહ્યા હતાં, ત્યારે કચેરીમાં તલાટી અને સરપંચ કે કોઈ પણ સત્તાધિશ અધિકારી કચેરીમાં હાજર ન હતાં.


બાયધરી મળ્યા બાદ કરાઈ અંતિમવિધિ


દાંતા મામલદારે મૃતદેહ સાથે બેસેલાં પરિવારજનો, સગાંસંબંધીઓ અને ગ્રામપંચાયતના સરપંચ સાથે મામલતદારે આ અંગે ચર્ચા કરી તેમની વાત સાંભળી હતી. ત્યાર બાદ 2 કલાકની મિટિંગ બાદ મામલદારે બાંયધરી આપતાં કહ્યું હતું કે આ સમસ્યાનો સુખદ નિરાકરણ જલદીથી કરાશે. હાલ નવાવાસ ગામના વાલ્મીકિ સમાજને કોઈપણ મુશ્કેલી ન પડે એ હેતુથી તેમને સ્મશાનમાં અંતિમ વિધિ માટે ગામમાં જ જગ્યા ફાળવી દેવામાં આવી છે. હાલ તમામ પરિવારજનો અને સગાંસંબંધીઓ નવાવાસ ગામે અંતિમવિધિ માટે રવાના થયા છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.