દાંતામાં વાલ્મીકિ સમાજના યુવકની અંતિમ ક્રિયા માટે જગ્યા ન મળતા રોષ, પરિજનોના મામલદાર કચેરીએ ધરણા


  • Published By :
  • Published Date : 2024-01-02 18:40:10

આપણા સમાજમાં જાતિવાદ કેટલી હદ સુધી ઘર કરી ગયો છે તે દાંતા તાલુકામાં બનેલી એક ઘટના પરથી જાણી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામેથી એક શમરજનક ઘટના સામે આવી હતી. નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45 વર્ષ હતી, મૃતકના પરિવારજનો દ્વારા અંતીમ સંસ્કારના ભાગરૂપે મૃતદેહને દફનવિધિ કરવા માટે સ્મશાન લઈ ગયા હતાં. જોકે પરિવાજનોને મૃતદેહ માટે યોગ્ય જગ્યા ન મળતાં તેઓ રોષે ભરાયા હતા. આ મામલે રજુઆત કરવા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ મૃતદેહને લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.


શું છે સમગ્ર ઘટના?


બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામના 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. આથી સવારે ગ્રામજતો ગામમાં તેમની અંતિમવિધિ કરવા માટે પહોંચ્યા હતા. આ ગામમાં તેમને પરિજનની અંતિમ વિધી માટે જગ્યા ન મળતા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ દાંતા પહોંચ્યા હતા. મૃતકના પરિવાજનો દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીની બહાર હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ પરિવારજનો દ્વારા જ્યારે ધરણાં કરવામાં આવી રહ્યા હતાં, ત્યારે કચેરીમાં તલાટી અને સરપંચ કે કોઈ પણ સત્તાધિશ અધિકારી કચેરીમાં હાજર ન હતાં.


બાયધરી મળ્યા બાદ કરાઈ અંતિમવિધિ


દાંતા મામલદારે મૃતદેહ સાથે બેસેલાં પરિવારજનો, સગાંસંબંધીઓ અને ગ્રામપંચાયતના સરપંચ સાથે મામલતદારે આ અંગે ચર્ચા કરી તેમની વાત સાંભળી હતી. ત્યાર બાદ 2 કલાકની મિટિંગ બાદ મામલદારે બાંયધરી આપતાં કહ્યું હતું કે આ સમસ્યાનો સુખદ નિરાકરણ જલદીથી કરાશે. હાલ નવાવાસ ગામના વાલ્મીકિ સમાજને કોઈપણ મુશ્કેલી ન પડે એ હેતુથી તેમને સ્મશાનમાં અંતિમ વિધિ માટે ગામમાં જ જગ્યા ફાળવી દેવામાં આવી છે. હાલ તમામ પરિવારજનો અને સગાંસંબંધીઓ નવાવાસ ગામે અંતિમવિધિ માટે રવાના થયા છે.




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે