દાંતામાં વાલ્મીકિ સમાજના યુવકની અંતિમ ક્રિયા માટે જગ્યા ન મળતા રોષ, પરિજનોના મામલદાર કચેરીએ ધરણા


  • Published By :
  • Published Date : 2024-01-02 18:40:10

આપણા સમાજમાં જાતિવાદ કેટલી હદ સુધી ઘર કરી ગયો છે તે દાંતા તાલુકામાં બનેલી એક ઘટના પરથી જાણી શકાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામેથી એક શમરજનક ઘટના સામે આવી હતી. નવાવાસ ગામમાં વાલ્મિકી સમાજના એક વ્યક્તિનું આકસ્મિક મોત નિપજ્યું હતું. આ મૃત વ્યક્તિની આશરે વય 45 વર્ષ હતી, મૃતકના પરિવારજનો દ્વારા અંતીમ સંસ્કારના ભાગરૂપે મૃતદેહને દફનવિધિ કરવા માટે સ્મશાન લઈ ગયા હતાં. જોકે પરિવાજનોને મૃતદેહ માટે યોગ્ય જગ્યા ન મળતાં તેઓ રોષે ભરાયા હતા. આ મામલે રજુઆત કરવા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ મૃતદેહને લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.


શું છે સમગ્ર ઘટના?


બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામના 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. આથી સવારે ગ્રામજતો ગામમાં તેમની અંતિમવિધિ કરવા માટે પહોંચ્યા હતા. આ ગામમાં તેમને પરિજનની અંતિમ વિધી માટે જગ્યા ન મળતા તેઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં તલાટી અને સરપંચ દ્વારા તેમની ફરિયાદનો નિકાલ ન થતા આખરે તેઓ દાંતા પહોંચ્યા હતા. મૃતકના પરિવાજનો દ્વારા દાંતા મામલતદાર કચેરીમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. પરિવાજનો દ્વારા મામલતદાર કચેરીની બહાર હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ પરિવારજનો દ્વારા જ્યારે ધરણાં કરવામાં આવી રહ્યા હતાં, ત્યારે કચેરીમાં તલાટી અને સરપંચ કે કોઈ પણ સત્તાધિશ અધિકારી કચેરીમાં હાજર ન હતાં.


બાયધરી મળ્યા બાદ કરાઈ અંતિમવિધિ


દાંતા મામલદારે મૃતદેહ સાથે બેસેલાં પરિવારજનો, સગાંસંબંધીઓ અને ગ્રામપંચાયતના સરપંચ સાથે મામલતદારે આ અંગે ચર્ચા કરી તેમની વાત સાંભળી હતી. ત્યાર બાદ 2 કલાકની મિટિંગ બાદ મામલદારે બાંયધરી આપતાં કહ્યું હતું કે આ સમસ્યાનો સુખદ નિરાકરણ જલદીથી કરાશે. હાલ નવાવાસ ગામના વાલ્મીકિ સમાજને કોઈપણ મુશ્કેલી ન પડે એ હેતુથી તેમને સ્મશાનમાં અંતિમ વિધિ માટે ગામમાં જ જગ્યા ફાળવી દેવામાં આવી છે. હાલ તમામ પરિવારજનો અને સગાંસંબંધીઓ નવાવાસ ગામે અંતિમવિધિ માટે રવાના થયા છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.