Gandhinagarમાં અમિત શાહે તિરંગા યાત્રાને બતાવી લીલી ઝંડી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, જાણો


  • Published By :
  • Published Date : 2023-08-13 18:58:40

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. તિરંગા યાત્રાનું પ્રસ્થાન તેમણે કરાવ્યું હતું. તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી જનસંબોધન કર્યું હતું જેમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ગાંધીનગરના માણસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરી હતી. ઉપરાંત યુપીએના સમયમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ તેમણે વાત કરી હતી. 

પોતાના સંબોધનમાં યુપીએ પર કર્યા આકરા પ્રહાર 

અમિત શાહે કહ્યું કે યુપીએ વાળા અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા. પણ મોદી સાહેબે જે ધૂલાઈ કરી એમની, કે જવાબ આપવા પણ ઉભા ન રહ્યા. અને આ યુપીએ એટલે, કોંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવા વાળા નેતાઓનો સમૂહ. હમણાં તેમણે નામ બદલી નાખ્યું બોલો. પણ તમે તેને યુપીએના નામથી જ બોલાવજો કારણ કે, નામ ક્યારે બદલવું પડે કોઈ પેઢી કાચી પડે, દેવાળું કાઢે તો નામ બદલવું પડે કે ના બદલવું પડે? આમણે 12 લાખ કરોડના ઘોટાળા કર્યા,ભ્રષ્ટાચાર કર્યા વોટ કોણ આપે બોલો? આપે? એટલે નામ બદલીને આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે હું અંગ્રેજીનો વિરોધી નથી પણ ગુજરાતીને જીવતી રાખવાની જવાબદારી આપણી છે, બાળક જો ગુજરાતી નહીં શીખે તો ગુજરાતને ઓળખશે નહીં અને દેશને પણ નહીં ઓળખે અને જો દેશને નહીં ઓળખે તો દેશનું ભલું ક્યારેય નહીં કરી શકે.

આંગણવાડીની શાહે લીધી મુલાકાત 

અમિત શાહે સંબોધન બાદ ગાંધીનગરમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી, ત્યાં ભણતા બાળકોને રમકડા તેમજ અનેક અન્ય વસ્તુઓ ભેટમાં આપી હતી. તે ઉપરાંત અમિત શાહ તેમજ તેમના પરિવારે કુસુમબા અન્નક્ષેત્રમાં ભોજન ગ્રહણ કર્યું હતું. આ એ અન્નક્ષેત્ર છે જ્યાં લોકોને રોજે નિશુલ્ક ભોજન પિરસવામાં આવે છે. મહત્વનું છે કે રાજ્યમાં એવા અનેક અન્નક્ષેત્ર છે જે મફતમાં અથવા તો ઓછી કિંમતમાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું જમાડવામાં આવે છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.