Gandhinagarમાં અમિત શાહે તિરંગા યાત્રાને બતાવી લીલી ઝંડી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-13 18:58:40

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. તિરંગા યાત્રાનું પ્રસ્થાન તેમણે કરાવ્યું હતું. તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી જનસંબોધન કર્યું હતું જેમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ગાંધીનગરના માણસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરી હતી. ઉપરાંત યુપીએના સમયમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ તેમણે વાત કરી હતી. 

પોતાના સંબોધનમાં યુપીએ પર કર્યા આકરા પ્રહાર 

અમિત શાહે કહ્યું કે યુપીએ વાળા અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા. પણ મોદી સાહેબે જે ધૂલાઈ કરી એમની, કે જવાબ આપવા પણ ઉભા ન રહ્યા. અને આ યુપીએ એટલે, કોંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવા વાળા નેતાઓનો સમૂહ. હમણાં તેમણે નામ બદલી નાખ્યું બોલો. પણ તમે તેને યુપીએના નામથી જ બોલાવજો કારણ કે, નામ ક્યારે બદલવું પડે કોઈ પેઢી કાચી પડે, દેવાળું કાઢે તો નામ બદલવું પડે કે ના બદલવું પડે? આમણે 12 લાખ કરોડના ઘોટાળા કર્યા,ભ્રષ્ટાચાર કર્યા વોટ કોણ આપે બોલો? આપે? એટલે નામ બદલીને આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે હું અંગ્રેજીનો વિરોધી નથી પણ ગુજરાતીને જીવતી રાખવાની જવાબદારી આપણી છે, બાળક જો ગુજરાતી નહીં શીખે તો ગુજરાતને ઓળખશે નહીં અને દેશને પણ નહીં ઓળખે અને જો દેશને નહીં ઓળખે તો દેશનું ભલું ક્યારેય નહીં કરી શકે.

આંગણવાડીની શાહે લીધી મુલાકાત 

અમિત શાહે સંબોધન બાદ ગાંધીનગરમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી, ત્યાં ભણતા બાળકોને રમકડા તેમજ અનેક અન્ય વસ્તુઓ ભેટમાં આપી હતી. તે ઉપરાંત અમિત શાહ તેમજ તેમના પરિવારે કુસુમબા અન્નક્ષેત્રમાં ભોજન ગ્રહણ કર્યું હતું. આ એ અન્નક્ષેત્ર છે જ્યાં લોકોને રોજે નિશુલ્ક ભોજન પિરસવામાં આવે છે. મહત્વનું છે કે રાજ્યમાં એવા અનેક અન્નક્ષેત્ર છે જે મફતમાં અથવા તો ઓછી કિંમતમાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું જમાડવામાં આવે છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે