ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ૩૨ વર્ષના કોળી સમાજના યુવક જેમનું નામ છે મહેશ બારૈયાએ એટલે જીવ ગુમાવ્યો છે કેમ કે , સોમનાથમાં એક પીએમ મોદી આવવાના છે તો બીજી તરફ , નગરપાલિકાના આ કર્મચારી મહેશ બારૈયા નારિયેળીના ઝાડ પરથી નારિયેળ દૂર કરવા ઉપર ચઢે છે. આ પછી આ કર્મચારીનું બેલેન્સ ખોરવાય છે અને જમીન પર નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ થાય છે. આ પછી ઘાયલ મહેશ બારૈયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પર હાજર તબીબ મહેશ બારૈયાને મૃત જાહેર કરે છે. આ ઘટનાની જાણ થતા , ગીર સોમનાથના કોળી સમાજમાં નગરપાલિકાની બેદરકારીને લઇને ભારે આક્રોશ જન્મે છે. ત્યારબાદ , ઘટનાની જાણ થતા , ગીરસોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા તેઓ તાત્કાલિક ગીરસોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.






.jpg)








