ગીર સોમનાથમાં કોળી સમાજમાં કેમ છે આક્રોશ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-10 18:10:37

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

ગીર સોમનાથ જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ૩૨ વર્ષના કોળી સમાજના યુવક જેમનું નામ છે મહેશ બારૈયાએ એટલે જીવ ગુમાવ્યો છે કેમ કે , સોમનાથમાં એક પીએમ મોદી આવવાના છે તો બીજી તરફ , નગરપાલિકાના આ કર્મચારી મહેશ બારૈયા નારિયેળીના ઝાડ પરથી નારિયેળ દૂર કરવા ઉપર ચઢે છે. આ પછી આ કર્મચારીનું બેલેન્સ ખોરવાય છે અને જમીન પર નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ થાય છે.   આ પછી ઘાયલ મહેશ બારૈયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પર હાજર તબીબ મહેશ બારૈયાને મૃત જાહેર કરે છે. આ ઘટનાની જાણ થતા , ગીર સોમનાથના કોળી સમાજમાં નગરપાલિકાની બેદરકારીને લઇને ભારે આક્રોશ જન્મે છે. ત્યારબાદ , ઘટનાની જાણ થતા , ગીરસોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા તેઓ તાત્કાલિક ગીરસોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 

મૃતક મહેશ બારૈયાના પરિવારે નગરપાલિકાની બેદરકારીને લઇને તેમની પર આક્ષેપો કર્યા છે. આ પછી , નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ પછી , પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.