જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત એટીએસ એક્શનમાં, આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-06 16:22:13

જુનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફુટ્યું હતું. પેપર ફૂટતા લાખો ઉમેદવારોના સપના પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ મામલે એટીએસએ મોટી કાર્યવાહી કરી છે. એટીએસએ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ અગાઉ 13 લોકો વિરૂદ્ધ પેપર લીક મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર એટીએસ દ્વારા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.           




ગુજરાત એટીએસ કરી રહી છે તપાસ!

ગુજરાતમાં પેપર ફૂંટવું જાણે સામાન્ય થઈ રહ્યું છે. ઘણા સમયથી પેપર ફૂટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય જુનિયર ક્લાર્કનું પેપર ફૂંટ્યું હતું. તેના થોડા સમય બાદ ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂંટ્યું હતું. જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ પેપરને રદ્દ કરવામાં આવ્યું હતું. પેપર રદ્દ થતા લાખો ઉમેદવારોના સપના પર પાણી વળી ગયું હતું. 9.53 લાખથી વધુ ઉમેદવારોમાં પરીક્ષા કેન્સલ થવાને કારણે રોષે ભરાયા હતા. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત એટીએસ દ્વારા વધુ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે 30 જેટલા ઉમેદવારોને તો પહેલેથી જ પેપર મળી ગયું હતું.            



9 એપ્રિલે યોજાવાની છે જુનિયર ક્લાર્કની પરીક્ષા 

મહત્વનું છે પેપર લીક થવાને કારણે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી હતી. ત્યારે 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર તેલંગાણામાંથી પેપર લીક થયું છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વખતે યોજાનારી પરીક્ષા રદ્દ ન થાય તેવી આશા ઉમેદવારો રાખીને બેઠા છે. તંત્ર આ વખતની પરીક્ષા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે આ મામલે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ત્યારે આ  

ગુજરાતના વિવિધ ભાગોમાંથી આરોપીઓ પકડાયા





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.