જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત એટીએસ એક્શનમાં, આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-06 16:22:13

જુનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફુટ્યું હતું. પેપર ફૂટતા લાખો ઉમેદવારોના સપના પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ મામલે એટીએસએ મોટી કાર્યવાહી કરી છે. એટીએસએ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ અગાઉ 13 લોકો વિરૂદ્ધ પેપર લીક મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર એટીએસ દ્વારા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.           




ગુજરાત એટીએસ કરી રહી છે તપાસ!

ગુજરાતમાં પેપર ફૂંટવું જાણે સામાન્ય થઈ રહ્યું છે. ઘણા સમયથી પેપર ફૂટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય જુનિયર ક્લાર્કનું પેપર ફૂંટ્યું હતું. તેના થોડા સમય બાદ ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂંટ્યું હતું. જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ પેપરને રદ્દ કરવામાં આવ્યું હતું. પેપર રદ્દ થતા લાખો ઉમેદવારોના સપના પર પાણી વળી ગયું હતું. 9.53 લાખથી વધુ ઉમેદવારોમાં પરીક્ષા કેન્સલ થવાને કારણે રોષે ભરાયા હતા. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત એટીએસ દ્વારા વધુ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે 30 જેટલા ઉમેદવારોને તો પહેલેથી જ પેપર મળી ગયું હતું.            



9 એપ્રિલે યોજાવાની છે જુનિયર ક્લાર્કની પરીક્ષા 

મહત્વનું છે પેપર લીક થવાને કારણે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી હતી. ત્યારે 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર તેલંગાણામાંથી પેપર લીક થયું છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વખતે યોજાનારી પરીક્ષા રદ્દ ન થાય તેવી આશા ઉમેદવારો રાખીને બેઠા છે. તંત્ર આ વખતની પરીક્ષા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે આ મામલે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ત્યારે આ  

ગુજરાતના વિવિધ ભાગોમાંથી આરોપીઓ પકડાયા





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે