જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત એટીએસ એક્શનમાં, આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-06 16:22:13

જુનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફુટ્યું હતું. પેપર ફૂટતા લાખો ઉમેદવારોના સપના પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ મામલે એટીએસએ મોટી કાર્યવાહી કરી છે. એટીએસએ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. આ અગાઉ 13 લોકો વિરૂદ્ધ પેપર લીક મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મળતી માહિતી અનુસાર એટીએસ દ્વારા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.           




ગુજરાત એટીએસ કરી રહી છે તપાસ!

ગુજરાતમાં પેપર ફૂંટવું જાણે સામાન્ય થઈ રહ્યું છે. ઘણા સમયથી પેપર ફૂટવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય જુનિયર ક્લાર્કનું પેપર ફૂંટ્યું હતું. તેના થોડા સમય બાદ ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂંટ્યું હતું. જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ પેપરને રદ્દ કરવામાં આવ્યું હતું. પેપર રદ્દ થતા લાખો ઉમેદવારોના સપના પર પાણી વળી ગયું હતું. 9.53 લાખથી વધુ ઉમેદવારોમાં પરીક્ષા કેન્સલ થવાને કારણે રોષે ભરાયા હતા. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત એટીએસ દ્વારા વધુ 10 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે 30 જેટલા ઉમેદવારોને તો પહેલેથી જ પેપર મળી ગયું હતું.            



9 એપ્રિલે યોજાવાની છે જુનિયર ક્લાર્કની પરીક્ષા 

મહત્વનું છે પેપર લીક થવાને કારણે પરીક્ષાને કેન્સલ કરવામાં આવી હતી. ત્યારે 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર તેલંગાણામાંથી પેપર લીક થયું છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વખતે યોજાનારી પરીક્ષા રદ્દ ન થાય તેવી આશા ઉમેદવારો રાખીને બેઠા છે. તંત્ર આ વખતની પરીક્ષા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે આ મામલે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ત્યારે આ  

ગુજરાતના વિવિધ ભાગોમાંથી આરોપીઓ પકડાયા





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.