ગુજરાત કોંગ્રેસ હવે કરશે વિધાનસભાનો ઘેરાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-18 19:39:18

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં આવનારા સમયમાં ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો હવે પ્રભારી મુકુલ વાસનિક અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી . તો હવે ૩૦ અથવા તો ૩૧મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજવા જઈ રહી છે. આ પછી ૮મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કોંગ્રેસ કરવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની સાથે મહાનગરના પ્રમુખ પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસે નક્કી કર્યું છે કે , આગામી સમયમાં કોંગ્રેસ મનરેગા યોજના , નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર , બેરોજગારી સાથેજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મુદ્દાને લઇને સરકારને ઘેરવા જઈ રહી છે. આ ઘેરાવમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હાજર રહેશે. 

આપને જણાવી દયિકે , ૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે૮ સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ તેના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે. આમ કોંગ્રેસ હવે ધીરે ધીરે આક્રમક બની રહી છે. હવે કોંગ્રેસ દેશભરના મતદારોમાં , વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઇ જઈ રહી છે. આગામી સમયમાં , કોંગ્રેસ વિવિધ રાજ્યોમાં આ મુદ્દે યાત્રા કાઢવા જઈ રહી છે. થોડાક સમય પહેલા , સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં જિલ્લા અને શહેરોની નિમણુંક કરી નાખી હતી હવે , આવનારા સમયની અંદર કોંગ્રેસ વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે.




ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .

ગુજરાતમાં બહુ ચર્ચિત બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.