ગુજરાત કોંગ્રેસ હવે કરશે વિધાનસભાનો ઘેરાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-18 19:39:18

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં આવનારા સમયમાં ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો હવે પ્રભારી મુકુલ વાસનિક અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી . તો હવે ૩૦ અથવા તો ૩૧મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજવા જઈ રહી છે. આ પછી ૮મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કોંગ્રેસ કરવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની સાથે મહાનગરના પ્રમુખ પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસે નક્કી કર્યું છે કે , આગામી સમયમાં કોંગ્રેસ મનરેગા યોજના , નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર , બેરોજગારી સાથેજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મુદ્દાને લઇને સરકારને ઘેરવા જઈ રહી છે. આ ઘેરાવમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હાજર રહેશે. 

આપને જણાવી દયિકે , ૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે૮ સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ તેના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે. આમ કોંગ્રેસ હવે ધીરે ધીરે આક્રમક બની રહી છે. હવે કોંગ્રેસ દેશભરના મતદારોમાં , વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઇ જઈ રહી છે. આગામી સમયમાં , કોંગ્રેસ વિવિધ રાજ્યોમાં આ મુદ્દે યાત્રા કાઢવા જઈ રહી છે. થોડાક સમય પહેલા , સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં જિલ્લા અને શહેરોની નિમણુંક કરી નાખી હતી હવે , આવનારા સમયની અંદર કોંગ્રેસ વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.