ગુજરાત કોંગ્રેસ હવે કરશે વિધાનસભાનો ઘેરાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-18 19:39:18

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં આવનારા સમયમાં ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો હવે પ્રભારી મુકુલ વાસનિક અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી . તો હવે ૩૦ અથવા તો ૩૧મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજવા જઈ રહી છે. આ પછી ૮મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કોંગ્રેસ કરવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની સાથે મહાનગરના પ્રમુખ પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસે નક્કી કર્યું છે કે , આગામી સમયમાં કોંગ્રેસ મનરેગા યોજના , નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર , બેરોજગારી સાથેજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મુદ્દાને લઇને સરકારને ઘેરવા જઈ રહી છે. આ ઘેરાવમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હાજર રહેશે. 

આપને જણાવી દયિકે , ૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે૮ સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ તેના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે. આમ કોંગ્રેસ હવે ધીરે ધીરે આક્રમક બની રહી છે. હવે કોંગ્રેસ દેશભરના મતદારોમાં , વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઇ જઈ રહી છે. આગામી સમયમાં , કોંગ્રેસ વિવિધ રાજ્યોમાં આ મુદ્દે યાત્રા કાઢવા જઈ રહી છે. થોડાક સમય પહેલા , સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં જિલ્લા અને શહેરોની નિમણુંક કરી નાખી હતી હવે , આવનારા સમયની અંદર કોંગ્રેસ વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.