BJPમાં નવા પ્રદેશપ્રમુખના પદ માટે ખુબ મોટી ગતિવિધિ હાથ ધરાઈ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-02 18:11:56

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે  તે નિશ્ચિત થઇ ચૂક્યું છે . 

BJP Regional Office, “Shri Kamalam”, Chairman of BJP Regional …. – BJP | BJP  Gujarat | Bharatiya janata Party

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં BJPના પ્રદેશપ્રમુખના પદ માટે ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ માટે આવતીકાલે ચૂંટણીઓ માટેનું નોટિફિકેશન જાહેર થઇ શકે છે. આ પછી એક જ દિવસની અંદર  ઉમેદવારી કરવાની રહેશે. આ પછી તમામ પ્રક્રિયાઓ પુરી કરી વધુમાં વધુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળે તેવી સંભાવના છે. ભાજપમાં નવા પ્રદેશપ્રમુખ એ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. આ ઉપરાંત આ ચેહરાને આ અગાઉનો સંગઠનનો અનુભવ હશે . આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે , હાલમાં MLA અને ગુજરાતમા કેબિનેટ મિનિસ્ટર એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી પ્રદેશપ્રમુખના પદે બેસાડે તે સંભાવના છે. આમ વધુમાં વધુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાતમાં BJPને નવા અધ્યક્ષ મળી શકે છે. હવે એ જાણીએ હાલમાં BJPમાં પ્રદેશપ્રમુખના પદ માટે કોના કોના નામ આગળ ચાલી રહ્યા છે. પહેલું નામ છે જગદીશ વિશ્વકર્મા , બીજું નામ છે દેવુસિંહ ચૌહાણ અને ત્રીજું નામ છે મયંક નાયક. આ બધામાં નિકોલના MLA જગદીશ વિશ્વકર્માનું નામ આગળ ચાલી રહ્યું છે. આપને એક વસ્તુ ચોક્કસ જણાવી દયિકે , ઉમેદવારી પત્રક એકથી વધુ વ્યક્તિના નહિ ભરાય સાથે નામ ઉપર એક જ જશે. 

Hon'ble BJP National President Shri J.P. Nadda chaired meeting of Gujarat  State Office Bearers & Morcha Presidents at State BJP Office, Shree Kamalam,  Koba Gandhinagar (Gujarat) | Bharatiya Janata Party

હાલમાં BJPના પ્રદેશપ્રમુખના પદે C R પાટીલ કાર્યરત છે. તેમને આ પદે પાંચ વર્ષ કરતા વધારાનો સમય થઇ ગયો છે. ગુજરાત ભાજપમાં સી આર પાટીલના યોગદાનની વાત કરીએ તો, C R પાટીલ જયારે ૨૦૨૦માં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે , કોવીડનો સમયગાળો હતો સાથે જ ગુજરાતમાં સંખ્યાબળની દ્રષ્ટિએ પક્ષના કાર્યકરોની સંખ્યા ખુબ વધુ હોવા છતાં , ભાજપના સંગઠનની સ્થિતિ ડામાડોળ હતી. શરૂઆતમાં તેમને પક્ષમાં ખુબ ઓછા લોકો ઓળખતા હતા. પરંતુ હવે C R પાટીલે સંગઠનમાં ધાક બેસાડી છે. જેવા જ તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા કે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ફરી વળ્યાં અને આમ સમગ્ર ગુજરાત BJP સંગઠનમાં એક જબરદસ્ત સ્વીકૃતિ ઉભી કરી.




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.