BJPમાં નવા પ્રદેશપ્રમુખના પદ માટે ખુબ મોટી ગતિવિધિ હાથ ધરાઈ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-02 18:11:56

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે  તે નિશ્ચિત થઇ ચૂક્યું છે . 

BJP Regional Office, “Shri Kamalam”, Chairman of BJP Regional …. – BJP | BJP  Gujarat | Bharatiya janata Party

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં BJPના પ્રદેશપ્રમુખના પદ માટે ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ માટે આવતીકાલે ચૂંટણીઓ માટેનું નોટિફિકેશન જાહેર થઇ શકે છે. આ પછી એક જ દિવસની અંદર  ઉમેદવારી કરવાની રહેશે. આ પછી તમામ પ્રક્રિયાઓ પુરી કરી વધુમાં વધુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળે તેવી સંભાવના છે. ભાજપમાં નવા પ્રદેશપ્રમુખ એ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. આ ઉપરાંત આ ચેહરાને આ અગાઉનો સંગઠનનો અનુભવ હશે . આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે , હાલમાં MLA અને ગુજરાતમા કેબિનેટ મિનિસ્ટર એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી પ્રદેશપ્રમુખના પદે બેસાડે તે સંભાવના છે. આમ વધુમાં વધુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાતમાં BJPને નવા અધ્યક્ષ મળી શકે છે. હવે એ જાણીએ હાલમાં BJPમાં પ્રદેશપ્રમુખના પદ માટે કોના કોના નામ આગળ ચાલી રહ્યા છે. પહેલું નામ છે જગદીશ વિશ્વકર્મા , બીજું નામ છે દેવુસિંહ ચૌહાણ અને ત્રીજું નામ છે મયંક નાયક. આ બધામાં નિકોલના MLA જગદીશ વિશ્વકર્માનું નામ આગળ ચાલી રહ્યું છે. આપને એક વસ્તુ ચોક્કસ જણાવી દયિકે , ઉમેદવારી પત્રક એકથી વધુ વ્યક્તિના નહિ ભરાય સાથે નામ ઉપર એક જ જશે. 

Hon'ble BJP National President Shri J.P. Nadda chaired meeting of Gujarat  State Office Bearers & Morcha Presidents at State BJP Office, Shree Kamalam,  Koba Gandhinagar (Gujarat) | Bharatiya Janata Party

હાલમાં BJPના પ્રદેશપ્રમુખના પદે C R પાટીલ કાર્યરત છે. તેમને આ પદે પાંચ વર્ષ કરતા વધારાનો સમય થઇ ગયો છે. ગુજરાત ભાજપમાં સી આર પાટીલના યોગદાનની વાત કરીએ તો, C R પાટીલ જયારે ૨૦૨૦માં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે , કોવીડનો સમયગાળો હતો સાથે જ ગુજરાતમાં સંખ્યાબળની દ્રષ્ટિએ પક્ષના કાર્યકરોની સંખ્યા ખુબ વધુ હોવા છતાં , ભાજપના સંગઠનની સ્થિતિ ડામાડોળ હતી. શરૂઆતમાં તેમને પક્ષમાં ખુબ ઓછા લોકો ઓળખતા હતા. પરંતુ હવે C R પાટીલે સંગઠનમાં ધાક બેસાડી છે. જેવા જ તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા કે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ફરી વળ્યાં અને આમ સમગ્ર ગુજરાત BJP સંગઠનમાં એક જબરદસ્ત સ્વીકૃતિ ઉભી કરી.




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.