Gujaratમાં નકલી અધિકારી નહીં પરંતુ આખેઆખી નકલી સરકારી ઓફિસ ઝડપાઈ! સરકારના કરોડો રૂપિયા કરાયા ચાઉ પરંતુ સરકાર ઊંઘતી રહી!


  • Published By :
  • Published Date : 2023-10-29 15:58:36

ગુજરાતમાં હજી સુધી આપણે નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી, ડમી વિદ્યાર્થીઓ વગેરે વગેરે સાંભળતા હતા. પરંતુ હવે તો ઠગાઈની તમામ હદ પાર થઈ ગઈ હોય તેવું લાગે છે. આ વખતે નકલી અધિકારી નહીં પરંતુ નકલી સરકારી ઓફિસ ઝડપાઈ છે. મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં છેતરપીંડી કરવા બોડેલી તાલુકામાં એક નકલી સરકારી ઓફિસની ઠગોએ સ્થાપના કરી. પોતાને સરકારી અધિકારી તરીકે દર્શાવ્યા, બનાવટી સહી કરી, તેમજ સરકારી સિક્કા ઉપરાંત દસ્તાવેજો પણ બનાવી લીધા. ત્યાં સુધી તો ઠીક હતુ પરંતુ 4.15 કરોડની સરકારે કામ માટે ગ્રાન્ટ પણ ફાળવી લીધી. 


https://khabarchhe.com/uploads/mc_path/1698486145sandip.jpg

છોટા ઉદેપુરમાં આખે આખી નકલી સરકારી ઓફિસ ઝડપાઈ

ગુજરાતમાં નકલી અધિકારી પકડાવાનું તો સામાન્ય બન્યું છે પરંતુ હવે તો ઠગો તેમાંથી પણ આગળ નિકળ્યા છે.  દર વખતે અધિકારીઓ પકડાયા હોવાની વાત અમે કહેતા હોઈએ છીએ પરંતુ આ વખતે નકલી અધિકારી નહીં પરંતુ આખેઆખી નકલી સરકારી કચેરી ઠગોએ છોટાઉદેપુરમાં ઉભી કરી દીધી. એક નકલી સરકારી ઓફીસનો પર્દાફાશ થયો છે. જેમાં લાખો રુપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે.  ખોટી સરકારી કચેરી ઊભી કરી ચાર કરોડ પંદર લાખનો સરકારને ચૂનો ચોપડયો છે. છોટાઉદેપુરમાં "કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી" નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી લેતા હતા.

નકલી ઘી ભૂલી જાવ, નકલી સરકારી કચેરી પણ હોય !! - My Samachar

પોલીસે આરોપીની કરી લીધી ધરપકડ! 

આ મામલે જે વિગતો સામે આવી છે એ મુજબ આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી કૌભાંડ ચાલતું હતું સંદીપ રાજપૂત નામના આરોપીએ આ કૌભાંડ આચર્યું છે. સંદીપ રાજપૂત નામના આરોપીએ આ કૌભાંડ આચર્યું છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ તપાસનો દોર શરૂ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી રહી છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે 170,419,465,467,468,471,472,474, 1NS, 20B મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

News & Views :: ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ બની ગઈ 2 વર્ષમાં 4 કરોડ ઉસેટી  લીધા કોઈને ખબર ન પડી

કેવી રીતે આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ? 

હવે તમને થશે કે એટલું મોટું કૌભાંડ બહાર કઈ રીતે આવ્યું? તો તમને જણાવી દઈએ કે બોડેલીના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રાયોજના વહીવટ અધિકારીના કામોના આયોજન માટે મીટીંગ બોલાવી ત્યારે આ ધ્યાને આવ્યું હતુ. મીટિંગમાં ટ્રાયબલના કામોની ચર્ચા કરી હતી. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતા આ મામલો સામે આવ્યો હતો. 


કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે સરકારને ઘેરી 

આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ટ્વિટ કરી છે અને સરકારને ઘેરી છે. આ ઘટના બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો અન્ય કોઈ જિલ્લામાં આવી નકલી સરકારી ઓફિસ ચાલતી હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.