ગુજરાત પોલીસ એક્શનમાં, 25 હજાર લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-17 13:52:56

ગુજરાતમાં ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચુંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ગુજરાતમાં આચારસહિતા લાગી ગઈ છે. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને લઈને ગુજરાત પોલીસે ચુંટણી પહેલા જ 25થી વધુ લોકોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. અને સૌથી વધુ અમદાવાદ અને સુરતથી લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી જે ધરપકડ કરી છે તે ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે

 

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાત પોલીસ વધુ તત્પરતા સાથે કામગીરીમાં લાગી ગઈ હતી. ચુંટણી ન થાય ત્યાં સુધી અને મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તેને ધ્યાને લઈને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુરતમાંથી 12965 આરોપીની ધરપકડ કરી છે. અને અમદાવાદમાં 12315 લોકોની અને વડોદરામાં 1600 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.