ગુજરાત પોલીસ એક્શનમાં, 25 હજાર લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-17 13:52:56

ગુજરાતમાં ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચુંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ગુજરાતમાં આચારસહિતા લાગી ગઈ છે. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને લઈને ગુજરાત પોલીસે ચુંટણી પહેલા જ 25થી વધુ લોકોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. અને સૌથી વધુ અમદાવાદ અને સુરતથી લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી જે ધરપકડ કરી છે તે ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃત્તિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે

 

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાત પોલીસ વધુ તત્પરતા સાથે કામગીરીમાં લાગી ગઈ હતી. ચુંટણી ન થાય ત્યાં સુધી અને મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તેને ધ્યાને લઈને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સુરતમાંથી 12965 આરોપીની ધરપકડ કરી છે. અને અમદાવાદમાં 12315 લોકોની અને વડોદરામાં 1600 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.