Gujaratમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાનસહાયકોની ભરતી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 16:38:21

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે અને કરાર આધારીત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.  અનેક વખત આ માટે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ખાલી પડેલી સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



એક તરફ ઉમેદવારોનો વિરોધ બીજી તરફ સરકારે કરી જાહેરાત

અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ નોંધાઈ રહી છે. શાળામાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે અંગે અનેક સમાચારો સામે આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી કરશે તેવી માહિતી સામે આવી છે. 



પ્રાથમિક શાળાઓ માટે કરાઈ છે જ્ઞાન સહાયકોની ભરતી!

મહત્વનું છે કે આની પહેલા પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ ગુજરાત સરકારે મંગાવી છે. 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારો આ માટે ઓનલાઈન અરજી કરી શકશે. 11 મહિનાના કરાર આધાર પર આ ભરતી કરવામાં આવશે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.