Gujaratમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાનસહાયકોની ભરતી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 16:38:21

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે અને કરાર આધારીત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.  અનેક વખત આ માટે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ખાલી પડેલી સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



એક તરફ ઉમેદવારોનો વિરોધ બીજી તરફ સરકારે કરી જાહેરાત

અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ નોંધાઈ રહી છે. શાળામાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે અંગે અનેક સમાચારો સામે આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી કરશે તેવી માહિતી સામે આવી છે. 



પ્રાથમિક શાળાઓ માટે કરાઈ છે જ્ઞાન સહાયકોની ભરતી!

મહત્વનું છે કે આની પહેલા પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ ગુજરાત સરકારે મંગાવી છે. 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારો આ માટે ઓનલાઈન અરજી કરી શકશે. 11 મહિનાના કરાર આધાર પર આ ભરતી કરવામાં આવશે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.