Gujaratમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાનસહાયકોની ભરતી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 16:38:21

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે અને કરાર આધારીત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.  અનેક વખત આ માટે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ખાલી પડેલી સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



એક તરફ ઉમેદવારોનો વિરોધ બીજી તરફ સરકારે કરી જાહેરાત

અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ નોંધાઈ રહી છે. શાળામાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે અંગે અનેક સમાચારો સામે આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી કરશે તેવી માહિતી સામે આવી છે. 



પ્રાથમિક શાળાઓ માટે કરાઈ છે જ્ઞાન સહાયકોની ભરતી!

મહત્વનું છે કે આની પહેલા પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ ગુજરાત સરકારે મંગાવી છે. 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારો આ માટે ઓનલાઈન અરજી કરી શકશે. 11 મહિનાના કરાર આધાર પર આ ભરતી કરવામાં આવશે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.