Gujaratમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાશે જ્ઞાનસહાયકોની ભરતી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 16:38:21

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે અને કરાર આધારીત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે.  અનેક વખત આ માટે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ખાલી પડેલી સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



એક તરફ ઉમેદવારોનો વિરોધ બીજી તરફ સરકારે કરી જાહેરાત

અનેક એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ નોંધાઈ રહી છે. શાળામાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે અંગે અનેક સમાચારો સામે આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતી કરશે તેવી માહિતી સામે આવી છે. 



પ્રાથમિક શાળાઓ માટે કરાઈ છે જ્ઞાન સહાયકોની ભરતી!

મહત્વનું છે કે આની પહેલા પણ સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ ગુજરાત સરકારે મંગાવી છે. 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારો આ માટે ઓનલાઈન અરજી કરી શકશે. 11 મહિનાના કરાર આધાર પર આ ભરતી કરવામાં આવશે. એક તરફ ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.  



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.