સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં ખેડૂતોની હાલત બની કફોડી! આટલા લાખ ખેડૂતો પર છે આટલું દેવું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 16:04:46

ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. આપણને બે ટંકનું ભોજન મળી રહે તે માટે ખેડૂતો દિવસરાત મહેનત કરી પાકની માવજાત કરતા હોય છે. દિવસરાત જોયા વગર તેઓ ખેતરમાં મહેનત કરે છે ત્યારે જ આપણી થાળીમાં ભોજન આવે છે. આટલી બધી મહેનત કર્યા બાદ પણ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે, અનેક યોજનાઓ લાવવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. દિવસેને દિવસે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. વિકસીત ગણાતા ગુજરાતમાં જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. 47.51 લાખ ખેડૂતો દેવાદાર છે. 57 હજાર જેટલું દેવું ખેડૂતો પર છે. 


ખેડૂતોની આવક બમણી થવાને બદલે કફોડી બની!

દેશના અર્થતંત્રને જેટલું આગળ ઉદ્યોગપતિઓ લઈ જાય છે તેટલો જ મહત્વનો ફાળો ખેડૂતોનો પણ હોય છે. ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવતું કે ખેડૂતોની હાલત જેટલી સારી હશે તેટલી જ દેશની પ્રગતિ થઈ છે તેવું માનવામાં આવે છે. ખેડૂતોને જગતનો તાત કહેવાય છે. સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવતા હતા કે વર્ષ 2022માં દરેક ખેડૂતની કમાણી બમણી હશે. ખેડૂતો પણ સમૃદ્ધિથી સંપન્ન થશે. ખેતી માટે કૃષિ અનેક લોન લેતા હોય છે. લોન લઈને પણ ખેડૂતો ખેતી કરે છે. એક તરફ ખેતી કરવી, ખેતીને લગતી દરેક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા જેવી વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાકના પોષણક્ષમા ભાવ નથી મળતા. ખેડૂતોની આવક બમણી થવાની તો વાત દૂરની રહી પરંતુ ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. 


ગુજરાતના દરેક ખેડૂતના માથે 57 હજારનું દેવું!

લોન લઈને પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. કેન્દ્રીય  કૃષિ મંત્રાલયના મતે, ગુજરાતમાં કુલ મળીને 47.51 લાખ ખેડૂતો દેવાદાર છે. દેવું વધવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એક તરફ પોષણસમા ભાવ નથી મળતા તો બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય  તેવું લાગી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે પણ ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈ વખત અતિશય વરસાદને કારણે તો કોઈ વખત અતિશય ગરમી પડવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. લાખો ખેડૂતોએ ખેતી કરવા માટે કુલ મળીને એક લાખ કરોડની લોન લીધી છે. પરંતુ હજી પણ દરેક ખેડૂતના માથે 57 હજારનું દેવું છે.  


કુદરતી આફત પણ પહોંચાડે છે ખેતીના પાકને નુકસાન 

પહેલા મજૂરી કરી, દિવસ રાત એક કરી ખેતરમાં ખેતી કરે, પરંતુ જ્યારે પૈસાની વાત આવે ત્યારે તેમને પોષણસમા ભાવ નથી મળતા. અને અંતે ખેડૂતો પ્રતિદિન દેવાના ભાર નીચે ડુબતા જાય છે. જેટલી આર્થિક સહાય સરકાર ખેડૂતોને કરે છે તેનાથી વધારે નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારે આવે છે. ખેડૂતોને એ પણ ખબર નથી હોતી કે તેમનો પાક સફળ જશે કે નિષ્ફળ. કુદરતી આફત તેમની હાલતને વધુ કફોડી બનાવશે કે પછી કુદરત તેમને સાથ આપશે. અસમંજસ વચ્ચે ખેડૂતો જીવતા હોય છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી