હરિયાણામાં AAP એકલી લડશે વિધાનસભા ચૂંટણી, લોકસભામાં INDIA ગઠબંધન સાથે મળી ઝંપલાવશે


  • Published By :
  • Published Date : 2024-01-29 14:31:23

આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે હરિયાણા વિધાનસભા  ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. જો કે તેમની આપ પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન સાથે રહીને લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ હરિયાણામાં આગામી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. 


જિંદમાં યોજી જનસભા


કેજરીવાલે હરિયાણાના જિંદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની 90 વિધાનસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં તેમનું સંગઠન મજબુત છે અને પ્રત્યેક ગામમાં 15-20 સભ્યોની એક સમિતિ છે. તે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં લગભગ 1.25 લાખ લોકો આપના પધાધિકારી બન્યા છે. આવું એટલા માટે થયું કારણ કે લોકો રાજ્યની પાછલી તમામ પાર્ટીઓની સરકારોથી પરેશાન છે. 


હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાએ કરી હતી જાહેરાત


અરવિંદ કેજરીવાલનું આ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદનનાં થોડા દિવસ બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે AAP સાથે ગઠબંધનના ઈચ્છુક નથી. ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થઈ શકે છે. જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં એટલે કો ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે.  

 

કેવું રહ્યું છે AAPનું પર્ફોરમન્સ?


ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવારોને NOTA (0.53%)થી પણ ઓછા મતો મળ્યા હતા. મોટાભાગના ઉમેદવારો એક હજાર મતોનો આંકડો પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા અને તેમની જમાનત જપ્ત થઈ ગઈ હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટી (JJP)ની સાથે ગઠબંધન કર્યું અને ત્રણ સીટો અંબાલા, કરનાલ અને ફરિદાબાદથી 2 ટકાથી ઓછા મત મેળવનારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.  વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 46 સીટો પર ચૂંટણી લડી હતી પરંતું 0.48% વોટ શેર સાથે તેને કોઈ સીટ મળી નહોંતી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.