હરિયાણામાં AAP એકલી લડશે વિધાનસભા ચૂંટણી, લોકસભામાં INDIA ગઠબંધન સાથે મળી ઝંપલાવશે


  • Published By :
  • Published Date : 2024-01-29 14:31:23

આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે હરિયાણા વિધાનસભા  ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. જો કે તેમની આપ પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન સાથે રહીને લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ હરિયાણામાં આગામી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. 


જિંદમાં યોજી જનસભા


કેજરીવાલે હરિયાણાના જિંદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની 90 વિધાનસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં તેમનું સંગઠન મજબુત છે અને પ્રત્યેક ગામમાં 15-20 સભ્યોની એક સમિતિ છે. તે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં લગભગ 1.25 લાખ લોકો આપના પધાધિકારી બન્યા છે. આવું એટલા માટે થયું કારણ કે લોકો રાજ્યની પાછલી તમામ પાર્ટીઓની સરકારોથી પરેશાન છે. 


હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાએ કરી હતી જાહેરાત


અરવિંદ કેજરીવાલનું આ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદનનાં થોડા દિવસ બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે AAP સાથે ગઠબંધનના ઈચ્છુક નથી. ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થઈ શકે છે. જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં એટલે કો ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે.  

 

કેવું રહ્યું છે AAPનું પર્ફોરમન્સ?


ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવારોને NOTA (0.53%)થી પણ ઓછા મતો મળ્યા હતા. મોટાભાગના ઉમેદવારો એક હજાર મતોનો આંકડો પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા અને તેમની જમાનત જપ્ત થઈ ગઈ હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટી (JJP)ની સાથે ગઠબંધન કર્યું અને ત્રણ સીટો અંબાલા, કરનાલ અને ફરિદાબાદથી 2 ટકાથી ઓછા મત મેળવનારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.  વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 46 સીટો પર ચૂંટણી લડી હતી પરંતું 0.48% વોટ શેર સાથે તેને કોઈ સીટ મળી નહોંતી.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."