હરિયાણામાં AAP એકલી લડશે વિધાનસભા ચૂંટણી, લોકસભામાં INDIA ગઠબંધન સાથે મળી ઝંપલાવશે


  • Published By :
  • Published Date : 2024-01-29 14:31:23

આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે હરિયાણા વિધાનસભા  ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. જો કે તેમની આપ પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન સાથે રહીને લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ હરિયાણામાં આગામી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. 


જિંદમાં યોજી જનસભા


કેજરીવાલે હરિયાણાના જિંદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની 90 વિધાનસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં તેમનું સંગઠન મજબુત છે અને પ્રત્યેક ગામમાં 15-20 સભ્યોની એક સમિતિ છે. તે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં લગભગ 1.25 લાખ લોકો આપના પધાધિકારી બન્યા છે. આવું એટલા માટે થયું કારણ કે લોકો રાજ્યની પાછલી તમામ પાર્ટીઓની સરકારોથી પરેશાન છે. 


હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાએ કરી હતી જાહેરાત


અરવિંદ કેજરીવાલનું આ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદનનાં થોડા દિવસ બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે AAP સાથે ગઠબંધનના ઈચ્છુક નથી. ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થઈ શકે છે. જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં એટલે કો ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે.  

 

કેવું રહ્યું છે AAPનું પર્ફોરમન્સ?


ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવારોને NOTA (0.53%)થી પણ ઓછા મતો મળ્યા હતા. મોટાભાગના ઉમેદવારો એક હજાર મતોનો આંકડો પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા અને તેમની જમાનત જપ્ત થઈ ગઈ હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટી (JJP)ની સાથે ગઠબંધન કર્યું અને ત્રણ સીટો અંબાલા, કરનાલ અને ફરિદાબાદથી 2 ટકાથી ઓછા મત મેળવનારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.  વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 46 સીટો પર ચૂંટણી લડી હતી પરંતું 0.48% વોટ શેર સાથે તેને કોઈ સીટ મળી નહોંતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે