ઈરાનના હુમલામાં કુવૈતમાં એક ભારતીયનું મૃત્યુ થયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-30 20:51:18

 " આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે.  તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

Iran Attack On Kuwait: ईरान ने कुवैत पर दागी मिसाइलें, एक भारतीय की मौत;  बिजली-पानी संयत्र को भारी नुकसान | Republic Bharat

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાનને લઈને નવી પ્રતિક્રિયા સામે આવી છે.  જેમાં તેમણે કહ્યું છે કે, " આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે. અમારી સેના કે જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી ઘાતક છે તેમણે કેટલાય એવા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. જેની ખુબ લાંબા સમયથી તપાસ ચાલુ હતી. ઈશ્વર તમારા બધાનું ભલું કરે." આમ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આજે ઈરાન પર થયેલા ખુબ ઘાતક હુમલાની માહિતી આપી છે. ઈરાન યુદ્ધ તેના પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાન દ્વારા અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ ચાલુ જ છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયાનો સૌથી મહત્વનો ચોકપોઇન્ટ એવો સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. 


 કુવૈતથી એક ખરાબ સમાચાર આપણી માટે સામે આવ્યા છે. કુવૈતમાં ઈરાનના હુમલામાં , ૧ ભારતીયએ જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર મામલે , કુવૈત સ્થિત ભારત દૂતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. થોડાક સમય અગાઉ , ઈરાન દ્વારા કુવૈતના ડિસલાઇનેશન પ્લાન્ટ એટલેકે , પાણીના શુદ્ધિકરણ કરવાવાળા પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો , જેમાં ૧ ભારતીયએ જીવ ગુમાવ્યો છે. આ બાબતે, કુવૈતમાં આવેલી ઇન્ડિયન એમ્બેસીએ ભારે શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ડિયન એમબેસી સતત કુવૈતની ઓથોરિટી સાથે સંપર્કમાં છે.  આપને જણાવી દઈએ કે , ખાડી દેશો જેવા કે , UAE , કતાર , કુવૈત , બહેરીન , સાઉદી અરેબિયા અને ઓમાનમાં લગભગ ૯૦ લાખની આસપાસ ભારતીયો વસે છે.  ભારતની વાત કરીએ , તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે જે ઉર્જા સંકટ પેદા થયું છે તેના લીધે , ભારતમાં કેરોસીન યુગની વાપસી થઇ છે. ઉર્જા સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કેરોસીનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે , કેરોસીનનો સપ્લાય સુગમ બનાવવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાઇ સેન્સિંગના નિયમોમાં કામચલાઉ ધોરણે છૂટ આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત , કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૬૦ દિવસ માટે સુપિરિયર કેરોસીન ઓઇલ ( SKO )ના કામચલાઉ સપ્લાયને મંજૂરી આપી દીધી છે. જેથી સામાન્ય નાગરિકોને ઇંધણની કમીનો સામનો ના કરવો પડે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.