ઈરાનના હુમલામાં કુવૈતમાં એક ભારતીયનું મૃત્યુ થયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-30 20:51:18

 " આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે.  તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

Iran Attack On Kuwait: ईरान ने कुवैत पर दागी मिसाइलें, एक भारतीय की मौत;  बिजली-पानी संयत्र को भारी नुकसान | Republic Bharat

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાનને લઈને નવી પ્રતિક્રિયા સામે આવી છે.  જેમાં તેમણે કહ્યું છે કે, " આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે. અમારી સેના કે જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી ઘાતક છે તેમણે કેટલાય એવા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. જેની ખુબ લાંબા સમયથી તપાસ ચાલુ હતી. ઈશ્વર તમારા બધાનું ભલું કરે." આમ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આજે ઈરાન પર થયેલા ખુબ ઘાતક હુમલાની માહિતી આપી છે. ઈરાન યુદ્ધ તેના પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાન દ્વારા અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ ચાલુ જ છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયાનો સૌથી મહત્વનો ચોકપોઇન્ટ એવો સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. 


 કુવૈતથી એક ખરાબ સમાચાર આપણી માટે સામે આવ્યા છે. કુવૈતમાં ઈરાનના હુમલામાં , ૧ ભારતીયએ જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર મામલે , કુવૈત સ્થિત ભારત દૂતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. થોડાક સમય અગાઉ , ઈરાન દ્વારા કુવૈતના ડિસલાઇનેશન પ્લાન્ટ એટલેકે , પાણીના શુદ્ધિકરણ કરવાવાળા પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો , જેમાં ૧ ભારતીયએ જીવ ગુમાવ્યો છે. આ બાબતે, કુવૈતમાં આવેલી ઇન્ડિયન એમ્બેસીએ ભારે શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ડિયન એમબેસી સતત કુવૈતની ઓથોરિટી સાથે સંપર્કમાં છે.  આપને જણાવી દઈએ કે , ખાડી દેશો જેવા કે , UAE , કતાર , કુવૈત , બહેરીન , સાઉદી અરેબિયા અને ઓમાનમાં લગભગ ૯૦ લાખની આસપાસ ભારતીયો વસે છે.  ભારતની વાત કરીએ , તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે જે ઉર્જા સંકટ પેદા થયું છે તેના લીધે , ભારતમાં કેરોસીન યુગની વાપસી થઇ છે. ઉર્જા સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કેરોસીનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે , કેરોસીનનો સપ્લાય સુગમ બનાવવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાઇ સેન્સિંગના નિયમોમાં કામચલાઉ ધોરણે છૂટ આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત , કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૬૦ દિવસ માટે સુપિરિયર કેરોસીન ઓઇલ ( SKO )ના કામચલાઉ સપ્લાયને મંજૂરી આપી દીધી છે. જેથી સામાન્ય નાગરિકોને ઇંધણની કમીનો સામનો ના કરવો પડે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.