Jamawat Debate Showમાં Gopal Italiyaએ સરકાર પર કર્યા પ્રહાર, Debate Show દરમિયાન નેતાઓને કોન્ટ્રાક્ટ પર રાખવાની વાત કરી!


  • Published By :
  • Published Date : 2023-10-16 13:29:24

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાન સહાયક વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ સરકાર તેમના અવાજને નથી સાંભળી રહી. જ્ઞાન સહાયક યોજનાને લઈ સરકાર પોતાની વાત પર મક્કમ છે. પોતાના નિર્ણયને સરકાર નહીં બદલે તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ આવી છે અને આમ આદમી પાર્ટી આવી છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત થઈ ગઈ છે અને આજે આ યાત્રાનો ચોથો દિવસ છે. 

ડિબેટ શોમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર 

જમાવટમાં દર અઠવાડિયાના અંતે દેવાંશી જોષી ડિબેટ શો કરતા હોય છે. કરન્ટ મુદ્દાઓ પર આ શોમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે જ્ઞાન સહાયકના વિરોધમાં નીકળેલી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે દેવાંશી જોષીએ ડિબેટ કરી હતી. અલગ અલગ એંગલો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતને પ્રયોગશાળા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે સિસ્ટમની અમલીકરણ ગુજરાતમાં કરાય છે તે પદ્ધતિનો અમલ અલગ અલગ રાજ્યોમાં કરાય છે. આવી જ કંઈક વાત ગોપાલ ઈટાલિયાએ ડિબેટમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે શિક્ષણની અંદર અખતરા ન હોય. તેમણે દર્દી અને ડોક્ટરનું ઉદાહરણ પણ આપ્યું હતું.  


શું લખ્યું AAPએ ટ્વિટમાં? 

આમ આદમી પાર્ટી દ્વારા એક ટ્વિટ કરી છે જેમાં દેવાંશી જોષી અને ગોપાલ ઈટાલિયાની ડિબેટનો એક ટૂકડો મૂક્યો છે. ક્લીપને ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ભાજપ તેનો પ્રચાર કરતા કાર્યકર્તાઓ માટે નવા બોર્ડ બનાવી શકે તેમને પગાર પર રાખી શકે પણ જ્યારે શિક્ષકોને કાયમી કરવાનો અવાજ ઉઠે ત્યારે ભાજપ તમામ દલીલો કરે, કાયમી ન કરવાના બહાના શોધે છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.