Jamawat Debate Showમાં Gopal Italiyaએ સરકાર પર કર્યા પ્રહાર, Debate Show દરમિયાન નેતાઓને કોન્ટ્રાક્ટ પર રાખવાની વાત કરી!


  • Published By :
  • Published Date : 2023-10-16 13:29:24

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાન સહાયક વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પરંતુ સરકાર તેમના અવાજને નથી સાંભળી રહી. જ્ઞાન સહાયક યોજનાને લઈ સરકાર પોતાની વાત પર મક્કમ છે. પોતાના નિર્ણયને સરકાર નહીં બદલે તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ આવી છે અને આમ આદમી પાર્ટી આવી છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત થઈ ગઈ છે અને આજે આ યાત્રાનો ચોથો દિવસ છે. 

ડિબેટ શોમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર 

જમાવટમાં દર અઠવાડિયાના અંતે દેવાંશી જોષી ડિબેટ શો કરતા હોય છે. કરન્ટ મુદ્દાઓ પર આ શોમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે જ્ઞાન સહાયકના વિરોધમાં નીકળેલી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સાથે દેવાંશી જોષીએ ડિબેટ કરી હતી. અલગ અલગ એંગલો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતને પ્રયોગશાળા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે સિસ્ટમની અમલીકરણ ગુજરાતમાં કરાય છે તે પદ્ધતિનો અમલ અલગ અલગ રાજ્યોમાં કરાય છે. આવી જ કંઈક વાત ગોપાલ ઈટાલિયાએ ડિબેટમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે શિક્ષણની અંદર અખતરા ન હોય. તેમણે દર્દી અને ડોક્ટરનું ઉદાહરણ પણ આપ્યું હતું.  


શું લખ્યું AAPએ ટ્વિટમાં? 

આમ આદમી પાર્ટી દ્વારા એક ટ્વિટ કરી છે જેમાં દેવાંશી જોષી અને ગોપાલ ઈટાલિયાની ડિબેટનો એક ટૂકડો મૂક્યો છે. ક્લીપને ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું કે ભાજપ તેનો પ્રચાર કરતા કાર્યકર્તાઓ માટે નવા બોર્ડ બનાવી શકે તેમને પગાર પર રાખી શકે પણ જ્યારે શિક્ષકોને કાયમી કરવાનો અવાજ ઉઠે ત્યારે ભાજપ તમામ દલીલો કરે, કાયમી ન કરવાના બહાના શોધે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.