Jammu-Kashmirમાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર લખ્યું 'જય શ્રી રામ', ટીચર અને પ્રિંસિપલે વિદ્યાર્થીને માર્યો માર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-28 17:28:42

શાળામાં બાળકો સાથે થતી મારપીટ અનેક વખત સમાચારો બનતા હોય છે. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં વિદ્યાર્થી સાથે મારપીટ થઈ હતી તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે વધુ એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવા સમાચાર જમ્મુ-કાશ્મીરથી સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર જે સમાચાર સામે આવ્યા છે તે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી ગવર્નમેંટ હાયર સેકેન્ડરી સ્કૂલનો છે. શાળામાં એક વિદ્યાર્થીએ કથિત રીતે બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. આ ઘટના સામે આવતા સ્કૂલના પ્રિંસિપલ અને ટીચર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.      


ઉત્તરપ્રદેશથી સામે આવ્યો હતો વિદ્યાર્થીને મારવાનો કિસ્સો 

વિદ્યાર્થીના માનસ પર શાળામાં અને ઘરમાં આપવામાં આવતા સંસ્કાર, અને ત્યાનું વાતાવરણ ખૂબ જ અસર કરતા હોય છે. ઘરમાં બાળક સૌથી વધારે સમય વિતાવતો હોય છે અને પછી શાળામાં તે સૌથી વધારે સમય રહેતો હોય છે. ત્યારે સ્કૂલમાં જો બાળક સાથે ગેરવર્તન થાય છે તો તે તેના દિમાગ પર એક ખોટી છાપ ઉભી કરે છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને લાફા મારવામાં આવ્યા હતા. તે વીડિયો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. એવી માહિતી સામે આવી હતી જે કે શાળાને સીલ કરી દેવામાં આવી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરની શાળાથી એક ઘટના સામે આવી છે.


કથિત રીતે બાળકે બોર્ડ પર લખ્યું હતું જય શ્રી રામ 

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી ગવર્નમેંટ હાયર સેકેન્ડરીના એક વિદ્યાર્થીએ બોર્ડ પર કથિત રીતે જય શ્રી રામ લખ્યું હતું. જેને કારણે તેને મારવામાં આવ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે તે 10માં ધોરણમાં ભણે છે. એફઆઈઆર પ્રમાણે આ ઘટના 25 ઓગસ્ટની છે. તે વખતે 10માં ધોરણના વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. પીડિત છોકરાએ બોર્ડ પર જય શ્રી રામ લખ્યું. તે વખતે ક્લાસમાં શિક્ષક આવ્યા અને બોર્ડ પર લખેલા નારાને જોઈ તે ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા શિક્ષક બધા વિદ્યાર્થીઓની સામે તેને ગ્રાઉન્ડ પર લઈ ગયા અને તેને મારવા લાગ્યા. તે પછી વિદ્યાર્થીને પ્રિંસિપલની ઓફિસમાં લઈ જવાયો હતો. વિદ્યાર્થીને બંનેએ રૂમમાં પૂરી રાખી તેને ફરીથી મારવા લાગ્યા. જો બાળકે ફરી આવી હરકત કરી તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. 


પ્રિંસિપલ અને ટીચર વિરૂદ્ધ લેવાયા આ પગલા  

બાળકને માર્યા પછી બોર્ડને પાણીથી સાફ કરાવ્યું. બાળકને એટલી બહેરમીથી મારવામાં આવ્યો હતો કે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેને દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ થયા પછી ઠેર-ઠેર પ્રદર્શન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ટીચર અને પ્રિંસિપલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પોલીસે આઈપીસીના ધારા 323 (જાણી જોઈને કોઈને હાની પહોંચાડવી), ધારા 342 (ખોટી રીતે કોઈને કેદ કરી રાખવા) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર 26 ઓગસ્ટના રોજ ટીચરની ધરપકડ કરી લેવામાં આવી છે, એવી પણ માહિતી સામે આવી છે કે પ્રિંસિપલ તેમજ ટીચરને સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા છે.          



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .