Jammu-Kashmirમાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર લખ્યું 'જય શ્રી રામ', ટીચર અને પ્રિંસિપલે વિદ્યાર્થીને માર્યો માર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-28 17:28:42

શાળામાં બાળકો સાથે થતી મારપીટ અનેક વખત સમાચારો બનતા હોય છે. થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં વિદ્યાર્થી સાથે મારપીટ થઈ હતી તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે વધુ એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવા સમાચાર જમ્મુ-કાશ્મીરથી સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર જે સમાચાર સામે આવ્યા છે તે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી ગવર્નમેંટ હાયર સેકેન્ડરી સ્કૂલનો છે. શાળામાં એક વિદ્યાર્થીએ કથિત રીતે બ્લેક બોર્ડ પર જય શ્રી રામ લખ્યું હતું. આ ઘટના સામે આવતા સ્કૂલના પ્રિંસિપલ અને ટીચર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.      


ઉત્તરપ્રદેશથી સામે આવ્યો હતો વિદ્યાર્થીને મારવાનો કિસ્સો 

વિદ્યાર્થીના માનસ પર શાળામાં અને ઘરમાં આપવામાં આવતા સંસ્કાર, અને ત્યાનું વાતાવરણ ખૂબ જ અસર કરતા હોય છે. ઘરમાં બાળક સૌથી વધારે સમય વિતાવતો હોય છે અને પછી શાળામાં તે સૌથી વધારે સમય રહેતો હોય છે. ત્યારે સ્કૂલમાં જો બાળક સાથે ગેરવર્તન થાય છે તો તે તેના દિમાગ પર એક ખોટી છાપ ઉભી કરે છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને લાફા મારવામાં આવ્યા હતા. તે વીડિયો સામે આવતા લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. એવી માહિતી સામે આવી હતી જે કે શાળાને સીલ કરી દેવામાં આવી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરની શાળાથી એક ઘટના સામે આવી છે.


કથિત રીતે બાળકે બોર્ડ પર લખ્યું હતું જય શ્રી રામ 

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવેલી ગવર્નમેંટ હાયર સેકેન્ડરીના એક વિદ્યાર્થીએ બોર્ડ પર કથિત રીતે જય શ્રી રામ લખ્યું હતું. જેને કારણે તેને મારવામાં આવ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે તે 10માં ધોરણમાં ભણે છે. એફઆઈઆર પ્રમાણે આ ઘટના 25 ઓગસ્ટની છે. તે વખતે 10માં ધોરણના વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. પીડિત છોકરાએ બોર્ડ પર જય શ્રી રામ લખ્યું. તે વખતે ક્લાસમાં શિક્ષક આવ્યા અને બોર્ડ પર લખેલા નારાને જોઈ તે ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા શિક્ષક બધા વિદ્યાર્થીઓની સામે તેને ગ્રાઉન્ડ પર લઈ ગયા અને તેને મારવા લાગ્યા. તે પછી વિદ્યાર્થીને પ્રિંસિપલની ઓફિસમાં લઈ જવાયો હતો. વિદ્યાર્થીને બંનેએ રૂમમાં પૂરી રાખી તેને ફરીથી મારવા લાગ્યા. જો બાળકે ફરી આવી હરકત કરી તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. 


પ્રિંસિપલ અને ટીચર વિરૂદ્ધ લેવાયા આ પગલા  

બાળકને માર્યા પછી બોર્ડને પાણીથી સાફ કરાવ્યું. બાળકને એટલી બહેરમીથી મારવામાં આવ્યો હતો કે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેને દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ થયા પછી ઠેર-ઠેર પ્રદર્શન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. ટીચર અને પ્રિંસિપલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પોલીસે આઈપીસીના ધારા 323 (જાણી જોઈને કોઈને હાની પહોંચાડવી), ધારા 342 (ખોટી રીતે કોઈને કેદ કરી રાખવા) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર 26 ઓગસ્ટના રોજ ટીચરની ધરપકડ કરી લેવામાં આવી છે, એવી પણ માહિતી સામે આવી છે કે પ્રિંસિપલ તેમજ ટીચરને સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા છે.          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.