જામનગરમાં મેઘરાજાના બખ્ખાં! ડેમો પાણીથી છલકાયા, પાણી ભરાતા લોકોને પડી હાલાકી


  • Published By :
  • Published Date : 2023-07-01 13:10:26

ગુજરાતમાં 250 જેટલા તાલુકા છે જેમાંથી ગઈકાલે 200 તાલુકામાં 1 ઈંચથી લઈને 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ટૂંકમાં ગુજરાતનો કોઈ ખૂણો ભીંજાયા વગરનો નથી રહ્યો. એવામાં જામનગરની વાત કરીએ કારણ કે આ વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો છે કે તેના જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અને રંગમતિ ડેમ છલકાવાના આરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ એટલા માટે બની છે કારણ કે શુક્રવારે જામનગરમાં 13 ઈંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો છે. દુખભર્યા સમાચાર એ પણ છે કે જામનગરમાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોત પણ થઈ ગયા છે. રેડ અલર્ટ આપવાના કારણે ભય વાળા વિસ્તારમાંથી 35 લોકોને બચાવી લેવાયા છે અને 50થી વધુ નાગરિકોને સલામત સ્થળોએ મોકલી દેવાયા છે. ભારે વરસાદના વચ્ચે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ જામનગરના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી. 


નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂટણસમા પાણી

શુક્રવાર રાત્રે બે વાગ્યાથી લઈ આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે જામનગરના પૂર્વ ભાગના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. જામનગર ફાયર વિભાગે શહેરના 12 જેટલા લોકોને સ્થળાંતરીત કર્યા હતા. જો કે દુખદ વાત એ હતી કે ગુલાબનગર વિસ્તારના વોકળામાં પાણી ભરાઈ જતા યસ પરમાર નામના 13 વર્ષના બાળકનું નિધન થયું છે. બીજી બાજુ રણજીત સાગર ડેમ સાઈટ પર અસીફ બચુભાઈ અને તેના પુત્ર નવાઝનું ડૂબી જતા મોત થઈ ગયું છે. જામનગરમાં સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.


108ની ગાડી ફસાઈ હતી અંડરપાસમાં  

કાલાવડ તાલુકાના અમરાપરાથી જામનગર જતી 108 એમ્બ્યુલન્સ નાળામાં ખાબકી ગયું હતું. દુખદ વાત એ હતી કે એમ્બ્યુલન્સમાં સગર્ભા નુરીબેન બામણિયા હતા, જામનગર ફાયર બ્રિગેટને 108 દુર્ઘટનાનો કોલ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે વાહનને નાળામાંથી કાઢ્યું હતું..


અનેક ડેમોમાં પાણીની થઈ આવક

વરસાદના કહેરની તો વાત કરી પણ મહેરની પણ વાત કરીએ તો જામનગરમાં ભારે વરસાદ પડતા પિવાના પાણીનો એક વર્ષ સુધીનો જથ્થો ભેગો થઈ ગયો છે. જામનગરનો રંગમતિ અને રણજીતસાગર ડેમ છલકાઈ ગયો હતો. આ સિવાય ફલ્લા પાસે આવેલો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. કંકાવટીના પાટીયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને અલર્ટ કર્યા હતા કે પાણી ગમે ત્યારે વિસ્તારમાં ઘૂસી શકે છે માટે ધ્યાન રાખે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.