જામનગરમાં મેઘરાજાના બખ્ખાં! ડેમો પાણીથી છલકાયા, પાણી ભરાતા લોકોને પડી હાલાકી


  • Published By :
  • Published Date : 2023-07-01 13:10:26

ગુજરાતમાં 250 જેટલા તાલુકા છે જેમાંથી ગઈકાલે 200 તાલુકામાં 1 ઈંચથી લઈને 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ટૂંકમાં ગુજરાતનો કોઈ ખૂણો ભીંજાયા વગરનો નથી રહ્યો. એવામાં જામનગરની વાત કરીએ કારણ કે આ વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો છે કે તેના જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અને રંગમતિ ડેમ છલકાવાના આરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ એટલા માટે બની છે કારણ કે શુક્રવારે જામનગરમાં 13 ઈંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો છે. દુખભર્યા સમાચાર એ પણ છે કે જામનગરમાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોત પણ થઈ ગયા છે. રેડ અલર્ટ આપવાના કારણે ભય વાળા વિસ્તારમાંથી 35 લોકોને બચાવી લેવાયા છે અને 50થી વધુ નાગરિકોને સલામત સ્થળોએ મોકલી દેવાયા છે. ભારે વરસાદના વચ્ચે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ જામનગરના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી. 


નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂટણસમા પાણી

શુક્રવાર રાત્રે બે વાગ્યાથી લઈ આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે જામનગરના પૂર્વ ભાગના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. જામનગર ફાયર વિભાગે શહેરના 12 જેટલા લોકોને સ્થળાંતરીત કર્યા હતા. જો કે દુખદ વાત એ હતી કે ગુલાબનગર વિસ્તારના વોકળામાં પાણી ભરાઈ જતા યસ પરમાર નામના 13 વર્ષના બાળકનું નિધન થયું છે. બીજી બાજુ રણજીત સાગર ડેમ સાઈટ પર અસીફ બચુભાઈ અને તેના પુત્ર નવાઝનું ડૂબી જતા મોત થઈ ગયું છે. જામનગરમાં સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.


108ની ગાડી ફસાઈ હતી અંડરપાસમાં  

કાલાવડ તાલુકાના અમરાપરાથી જામનગર જતી 108 એમ્બ્યુલન્સ નાળામાં ખાબકી ગયું હતું. દુખદ વાત એ હતી કે એમ્બ્યુલન્સમાં સગર્ભા નુરીબેન બામણિયા હતા, જામનગર ફાયર બ્રિગેટને 108 દુર્ઘટનાનો કોલ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે વાહનને નાળામાંથી કાઢ્યું હતું..


અનેક ડેમોમાં પાણીની થઈ આવક

વરસાદના કહેરની તો વાત કરી પણ મહેરની પણ વાત કરીએ તો જામનગરમાં ભારે વરસાદ પડતા પિવાના પાણીનો એક વર્ષ સુધીનો જથ્થો ભેગો થઈ ગયો છે. જામનગરનો રંગમતિ અને રણજીતસાગર ડેમ છલકાઈ ગયો હતો. આ સિવાય ફલ્લા પાસે આવેલો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. કંકાવટીના પાટીયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને અલર્ટ કર્યા હતા કે પાણી ગમે ત્યારે વિસ્તારમાં ઘૂસી શકે છે માટે ધ્યાન રાખે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.