જામનગરમાં રાજપૂત સમાજની BJPને ચિમકી, કહ્યું Rupalaને નહિ હટાવો તો લોકસભામાં પરિણામ ભોગવવું પડશે!


  • Published By :
  • Published Date : 2024-03-28 17:44:07

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત થતાં ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જામનગર ખાતે રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન!  

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવતું હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. સામાન્ય દિવસોમાં આપવામાં આવતા નિવેદનને લઈ વિવાદ થતો હોય છે ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. આવા સમયમાં આપવામાં આવતા નિવેદનો વિવાદ છેડતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. નિવેદન બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી રહી છે આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.


જામનગરમાં યોજાઈ રાજપુત સમાજની બેઠક! 

ચૂંટણી પહેલા આપેલા આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી છે એ અમદાવાદ હોય કે રાજકોટ સાથે જ ક્ષત્રિય સમાજ જાહેરમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા .છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ભાજપ તુજસે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં... આજ મામલે આજે જામનગરમાં રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પરષોત્તમ રૂપાલાનો વિરોધ થયો હતો. 


પરષોત્તમ રૂપાલાને ટિકીટ અપાતા વિરોધ! 

અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધનો સામનો ભાજપના ઉમેદવારને કરવો પડી રહ્યો છે. અનેક ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા. ત્યારે પરુષોત્તમ રૂપાલાની ટિકીટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ રજૂ કરવામાં આવી હતી આ બેઠક બાદ.. અને સાથે જ એવી માહિતી પણ મળી હતી કે જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે તેમનું કહવું છે કે ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે. મહત્વનું છે કે ચૂંટણી સમયે આપવામાં આવેલા આ નિવેદનની શું અસર પડશે આવનાર લોકસભા ચૂંટણીના પરિણામ પર..?



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.