જામનગરમાં રાજપૂત સમાજની BJPને ચિમકી, કહ્યું Rupalaને નહિ હટાવો તો લોકસભામાં પરિણામ ભોગવવું પડશે!


  • Published By :
  • Published Date : 2024-03-28 17:44:07

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત થતાં ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જામનગર ખાતે રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન!  

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવતું હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. સામાન્ય દિવસોમાં આપવામાં આવતા નિવેદનને લઈ વિવાદ થતો હોય છે ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. આવા સમયમાં આપવામાં આવતા નિવેદનો વિવાદ છેડતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. નિવેદન બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી રહી છે આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.


જામનગરમાં યોજાઈ રાજપુત સમાજની બેઠક! 

ચૂંટણી પહેલા આપેલા આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી છે એ અમદાવાદ હોય કે રાજકોટ સાથે જ ક્ષત્રિય સમાજ જાહેરમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા .છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ભાજપ તુજસે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં... આજ મામલે આજે જામનગરમાં રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પરષોત્તમ રૂપાલાનો વિરોધ થયો હતો. 


પરષોત્તમ રૂપાલાને ટિકીટ અપાતા વિરોધ! 

અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધનો સામનો ભાજપના ઉમેદવારને કરવો પડી રહ્યો છે. અનેક ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા. ત્યારે પરુષોત્તમ રૂપાલાની ટિકીટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ રજૂ કરવામાં આવી હતી આ બેઠક બાદ.. અને સાથે જ એવી માહિતી પણ મળી હતી કે જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે તેમનું કહવું છે કે ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે. મહત્વનું છે કે ચૂંટણી સમયે આપવામાં આવેલા આ નિવેદનની શું અસર પડશે આવનાર લોકસભા ચૂંટણીના પરિણામ પર..?



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.