લોન ન ચૂકવી શક્તા Junagadhમાં જગતના તાતે કરી આત્મહત્યા, ધીરાણ ભરવા નોટિસ આવતા ખેડૂતો ભર્યું આ પગલું! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 15:27:53

લોકોની થાળીમાં અનાજ સમયસર પહોંચે તે માટે ખેડૂતો રાત દિવસ મહેનત કરતા હોય છે. ખેડૂતો ન તો દિવસ જોવે છે ના તો રાત જોવે છે. ખેતરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી મહેનતને કારણે આપણી થાળીમાં અનાજ પહોંચે છે. પરંતુ જગતના તાતની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. પોષણ સમા ભાવ ન મળવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે. પૈસા ભેગા કરીને, લોન લઈને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે પરંતુ જ્યારે તેમને સારા ભાવ નથી મળતા ત્યારે તે દુખી થઈ જાય છે. અનેક ખેડૂતો પૈસા ઉધાર લઈને ખેતરમાં ખેતી કરતા હોય છે. 


ખેડૂતો લોન લઈ કરતા હોય છે ખેતી 

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ પર આધારિત રહેલું છે. જે લોકોના કારણે દેશનું અર્થતંત્ર ચાલે છે તે જ ખેડૂતોને ખેતી કરવા માટે લોન પર પૈસા લેવા પડે છે. ખેડૂતો લોન પર તો પૈસા લઈ લે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાની વાત આવે છે ત્યારે પૈસા ન ચૂકવવાને કારણે અનેક ખેડૂતો પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે. જીવન ટૂંકાવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. 


લાખો રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ખેડૂતે ભર્યું આ પગલું 

લોન પર પૈસા લીધેલા પૈસાને ન ચૂકવી શકતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જૂનાગઢ જિલ્લાના વાંદરવદ ગામના એક ખેડૂતે સહકારી મંડળમાંથી પૈસા ઉધાર લીધા હતા. પરંતુ નાણા ચૂકવી ન શકતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું છે. જ્યાંથી ખેડૂતે લોન લીધી હતી તે મંડળીનું નામ છે વાંદરવડ સેવા સહકારી મંડળી. આ એ જ મંડળી છે જ્યાંથી  થોડા સમય કૌભાંડના સમાચાર આવ્યા હતા. લાખો રૂપિયા ભરવાના બાકી હોવાને કારણે ખેડૂતે આત્મહત્યા જેવું ગંભીર પગલું લઈ લીધું છે તેવી વાત મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવી છે. જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમનું નામ નાગરજી સોલંકી ભાઈ છે અને તેમના ભાઈનું નામ છગનભાઈ છે. 


શું હતું સમગ્ર કૌભાંડ?     

અવાર-નવાર કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા વાંદરવડ સહકારી મંડળીથી કૌભાંડ સામે આવ્યું છે. 6.56 કરોડની ઉચાપત થયા હોવાનો મામલો સામે આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજરની ફરિયાદના આધારે મંડળીના પ્રમુખ, મંત્રી અને જે તે સમયે ભેસાણા બ્રાન્ચના મેનેજર વિરૂદ્ધ 6 કરોડથી વધુની માતબર રકમની ઉચાપતનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. 


પૈસા ચૂકવવા માટે ખેડૂતને મળી હતી નોટિસ 

વિગતવાર વાત કરીએ તો, વાંદરવડાના ખેડૂતે વાંદરવડ સેવા સહકારી મંડળી માંથી 2,64,000 કે.સી.સી અને 2,76,000 જી.સી.સી ધિરાણ મળી 5,40,000 ધિરાણ લીધેલ લોન લીધી હતી. લોન ભરવાની મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ ભરવા માટે બેંકે ખેડૂતને નોટિસ ફચકારી હતી. 28 ઓગસ્ટ 2023ના રોજ જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 


ત્રણ પાનની ખેડૂતે લખી સ્યુસાઈડ નોટ

નોટિસ મળ્યા બાદ પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે. પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. પોલીસને આ મામલે સ્યુસાઈડ નોટ પણ મળી છે. ત્રણ પાનની સ્યુસાઈડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. લાખો રૂપિયાની લોન બાકી હોવાને કારણે અને પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે તેવી વાત મૃતકના ભાઈએ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.