લોન ન ચૂકવી શક્તા Junagadhમાં જગતના તાતે કરી આત્મહત્યા, ધીરાણ ભરવા નોટિસ આવતા ખેડૂતો ભર્યું આ પગલું! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 15:27:53

લોકોની થાળીમાં અનાજ સમયસર પહોંચે તે માટે ખેડૂતો રાત દિવસ મહેનત કરતા હોય છે. ખેડૂતો ન તો દિવસ જોવે છે ના તો રાત જોવે છે. ખેતરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી મહેનતને કારણે આપણી થાળીમાં અનાજ પહોંચે છે. પરંતુ જગતના તાતની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. પોષણ સમા ભાવ ન મળવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે. પૈસા ભેગા કરીને, લોન લઈને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે પરંતુ જ્યારે તેમને સારા ભાવ નથી મળતા ત્યારે તે દુખી થઈ જાય છે. અનેક ખેડૂતો પૈસા ઉધાર લઈને ખેતરમાં ખેતી કરતા હોય છે. 


ખેડૂતો લોન લઈ કરતા હોય છે ખેતી 

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ પર આધારિત રહેલું છે. જે લોકોના કારણે દેશનું અર્થતંત્ર ચાલે છે તે જ ખેડૂતોને ખેતી કરવા માટે લોન પર પૈસા લેવા પડે છે. ખેડૂતો લોન પર તો પૈસા લઈ લે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાની વાત આવે છે ત્યારે પૈસા ન ચૂકવવાને કારણે અનેક ખેડૂતો પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે. જીવન ટૂંકાવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. 


લાખો રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ખેડૂતે ભર્યું આ પગલું 

લોન પર પૈસા લીધેલા પૈસાને ન ચૂકવી શકતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જૂનાગઢ જિલ્લાના વાંદરવદ ગામના એક ખેડૂતે સહકારી મંડળમાંથી પૈસા ઉધાર લીધા હતા. પરંતુ નાણા ચૂકવી ન શકતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું છે. જ્યાંથી ખેડૂતે લોન લીધી હતી તે મંડળીનું નામ છે વાંદરવડ સેવા સહકારી મંડળી. આ એ જ મંડળી છે જ્યાંથી  થોડા સમય કૌભાંડના સમાચાર આવ્યા હતા. લાખો રૂપિયા ભરવાના બાકી હોવાને કારણે ખેડૂતે આત્મહત્યા જેવું ગંભીર પગલું લઈ લીધું છે તેવી વાત મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવી છે. જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમનું નામ નાગરજી સોલંકી ભાઈ છે અને તેમના ભાઈનું નામ છગનભાઈ છે. 


શું હતું સમગ્ર કૌભાંડ?     

અવાર-નવાર કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા વાંદરવડ સહકારી મંડળીથી કૌભાંડ સામે આવ્યું છે. 6.56 કરોડની ઉચાપત થયા હોવાનો મામલો સામે આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજરની ફરિયાદના આધારે મંડળીના પ્રમુખ, મંત્રી અને જે તે સમયે ભેસાણા બ્રાન્ચના મેનેજર વિરૂદ્ધ 6 કરોડથી વધુની માતબર રકમની ઉચાપતનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. 


પૈસા ચૂકવવા માટે ખેડૂતને મળી હતી નોટિસ 

વિગતવાર વાત કરીએ તો, વાંદરવડાના ખેડૂતે વાંદરવડ સેવા સહકારી મંડળી માંથી 2,64,000 કે.સી.સી અને 2,76,000 જી.સી.સી ધિરાણ મળી 5,40,000 ધિરાણ લીધેલ લોન લીધી હતી. લોન ભરવાની મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ ભરવા માટે બેંકે ખેડૂતને નોટિસ ફચકારી હતી. 28 ઓગસ્ટ 2023ના રોજ જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 


ત્રણ પાનની ખેડૂતે લખી સ્યુસાઈડ નોટ

નોટિસ મળ્યા બાદ પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે. પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. પોલીસને આ મામલે સ્યુસાઈડ નોટ પણ મળી છે. ત્રણ પાનની સ્યુસાઈડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. લાખો રૂપિયાની લોન બાકી હોવાને કારણે અને પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે તેવી વાત મૃતકના ભાઈએ કરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી