લોન ન ચૂકવી શક્તા Junagadhમાં જગતના તાતે કરી આત્મહત્યા, ધીરાણ ભરવા નોટિસ આવતા ખેડૂતો ભર્યું આ પગલું! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 15:27:53

લોકોની થાળીમાં અનાજ સમયસર પહોંચે તે માટે ખેડૂતો રાત દિવસ મહેનત કરતા હોય છે. ખેડૂતો ન તો દિવસ જોવે છે ના તો રાત જોવે છે. ખેતરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી મહેનતને કારણે આપણી થાળીમાં અનાજ પહોંચે છે. પરંતુ જગતના તાતની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. પોષણ સમા ભાવ ન મળવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે. પૈસા ભેગા કરીને, લોન લઈને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે પરંતુ જ્યારે તેમને સારા ભાવ નથી મળતા ત્યારે તે દુખી થઈ જાય છે. અનેક ખેડૂતો પૈસા ઉધાર લઈને ખેતરમાં ખેતી કરતા હોય છે. 


ખેડૂતો લોન લઈ કરતા હોય છે ખેતી 

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ પર આધારિત રહેલું છે. જે લોકોના કારણે દેશનું અર્થતંત્ર ચાલે છે તે જ ખેડૂતોને ખેતી કરવા માટે લોન પર પૈસા લેવા પડે છે. ખેડૂતો લોન પર તો પૈસા લઈ લે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાની વાત આવે છે ત્યારે પૈસા ન ચૂકવવાને કારણે અનેક ખેડૂતો પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે. જીવન ટૂંકાવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. 


લાખો રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ખેડૂતે ભર્યું આ પગલું 

લોન પર પૈસા લીધેલા પૈસાને ન ચૂકવી શકતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જૂનાગઢ જિલ્લાના વાંદરવદ ગામના એક ખેડૂતે સહકારી મંડળમાંથી પૈસા ઉધાર લીધા હતા. પરંતુ નાણા ચૂકવી ન શકતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું છે. જ્યાંથી ખેડૂતે લોન લીધી હતી તે મંડળીનું નામ છે વાંદરવડ સેવા સહકારી મંડળી. આ એ જ મંડળી છે જ્યાંથી  થોડા સમય કૌભાંડના સમાચાર આવ્યા હતા. લાખો રૂપિયા ભરવાના બાકી હોવાને કારણે ખેડૂતે આત્મહત્યા જેવું ગંભીર પગલું લઈ લીધું છે તેવી વાત મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવી છે. જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમનું નામ નાગરજી સોલંકી ભાઈ છે અને તેમના ભાઈનું નામ છગનભાઈ છે. 


શું હતું સમગ્ર કૌભાંડ?     

અવાર-નવાર કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા વાંદરવડ સહકારી મંડળીથી કૌભાંડ સામે આવ્યું છે. 6.56 કરોડની ઉચાપત થયા હોવાનો મામલો સામે આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજરની ફરિયાદના આધારે મંડળીના પ્રમુખ, મંત્રી અને જે તે સમયે ભેસાણા બ્રાન્ચના મેનેજર વિરૂદ્ધ 6 કરોડથી વધુની માતબર રકમની ઉચાપતનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. 


પૈસા ચૂકવવા માટે ખેડૂતને મળી હતી નોટિસ 

વિગતવાર વાત કરીએ તો, વાંદરવડાના ખેડૂતે વાંદરવડ સેવા સહકારી મંડળી માંથી 2,64,000 કે.સી.સી અને 2,76,000 જી.સી.સી ધિરાણ મળી 5,40,000 ધિરાણ લીધેલ લોન લીધી હતી. લોન ભરવાની મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ ભરવા માટે બેંકે ખેડૂતને નોટિસ ફચકારી હતી. 28 ઓગસ્ટ 2023ના રોજ જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 


ત્રણ પાનની ખેડૂતે લખી સ્યુસાઈડ નોટ

નોટિસ મળ્યા બાદ પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે. પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. પોલીસને આ મામલે સ્યુસાઈડ નોટ પણ મળી છે. ત્રણ પાનની સ્યુસાઈડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. લાખો રૂપિયાની લોન બાકી હોવાને કારણે અને પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે તેવી વાત મૃતકના ભાઈએ કરી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.