મહીસાગરમાં વિધવા મહિલાએ પ્રેમસબંધમાં બાળકને જન્મ આપીને તરછોડી દીધું!


  • Published By :
  • Published Date : 2024-11-06 16:58:54

માં માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે... પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ના થાય તેવી કહેવત આપણે સાંભળી હશે પરંતુ કળિયુગમાં જાણે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ રહી હોય તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે. મા શબ્દમાં આખું બ્રહ્માંડ અને સૃષ્ટિ સમાય જાય છે માં જોડે એક બીજો શબ્દ આવે મમતા પણ હવે કળિયુગમાં અનેકે એવા કિસ્સા સામે આવે છે જેમાં માં જ ક્રૂર બને અને 9 મહિના જે બાળકને પોતાના ગર્ભમાં રાખીને એનું પોષણ કર્યું એ માં એટલી ક્રૂર થઇ જાય કે બાળકનો જન્મ થતા જ જેને રખડતું રઝળતું ફેકી દે છે અને એવો ભયાનક કિસ્સો મહીસાગરના લુણાવાડા માંથી સામે આવ્યો છે  

પોલીસને મળી આવ્યું નવજાત બાળક!

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ એક માંએ નવજાત બાળકને ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં મૂકી દીધું વાત 1 નવેમ્બરની છે જ્યારે લુણાવાડા તાલુકા પોલીસને લેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં અરક્ષિત નવજન્મેલ શિશુ મળ્યું બાદમાં તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે  નવજાત શિશુને ત્યજી દેનાર માતા નયના શૈલેષ ધામોત વિધવા હતા અને એમને લાલા અમરા પગી નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં સમાજના ડરથી અને લોકો શું કહેશે એ ડરથી બંનેએ શિશુ ને ડી.પી ની બાજુના ડબ્બા માં મૂકી દીધું  હાલ લુણાવાડા પોલીસ દ્વારા પ્રેમી ને બાળક ની માતા ની ધરપકડ કરી  કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલિસ દ્વારા નવજાત બાળક ને બાળકો ની હોસ્પિટલમાં સારવાર કરાવતા હાલ બાળક નો જીવ બચાવી લેવામાં આવ્યો છે.. 



આ બાળકનો શું વાંક?

કેવો કળિયુગ આવ્યો છે કે એક માં પોતાના બાળક સાથે એવું કરે છે... આના પહેલા અનેક એવા કિસ્સા પણ આવ્યા છે એ સોશિયલ મીડિયાની ઘેલછામાં બાળકને માર્યું હોય એને મારી નાખ્યું હોય ફોન લેવાના ચક્કરમાં બાળક વેચી દીધું હોય અને બીજું ઘણું બધું હવે લોકોમાં મોરલ વેલ્યુઝ ખતમ થતી જાય છે સંબધો હવે પહેલા જેવા રહ્યા નથી પણ પ્રશ્ન માત્ર એટલોજ છે કે તમારી ભૂલમાં એ બાળકનો શું વાંક?



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.