મહીસાગરમાં વિધવા મહિલાએ પ્રેમસબંધમાં બાળકને જન્મ આપીને તરછોડી દીધું!


  • Published By :
  • Published Date : 2024-11-06 16:58:54

માં માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે... પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ના થાય તેવી કહેવત આપણે સાંભળી હશે પરંતુ કળિયુગમાં જાણે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ રહી હોય તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે. મા શબ્દમાં આખું બ્રહ્માંડ અને સૃષ્ટિ સમાય જાય છે માં જોડે એક બીજો શબ્દ આવે મમતા પણ હવે કળિયુગમાં અનેકે એવા કિસ્સા સામે આવે છે જેમાં માં જ ક્રૂર બને અને 9 મહિના જે બાળકને પોતાના ગર્ભમાં રાખીને એનું પોષણ કર્યું એ માં એટલી ક્રૂર થઇ જાય કે બાળકનો જન્મ થતા જ જેને રખડતું રઝળતું ફેકી દે છે અને એવો ભયાનક કિસ્સો મહીસાગરના લુણાવાડા માંથી સામે આવ્યો છે  

પોલીસને મળી આવ્યું નવજાત બાળક!

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ એક માંએ નવજાત બાળકને ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં મૂકી દીધું વાત 1 નવેમ્બરની છે જ્યારે લુણાવાડા તાલુકા પોલીસને લેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં અરક્ષિત નવજન્મેલ શિશુ મળ્યું બાદમાં તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે  નવજાત શિશુને ત્યજી દેનાર માતા નયના શૈલેષ ધામોત વિધવા હતા અને એમને લાલા અમરા પગી નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં સમાજના ડરથી અને લોકો શું કહેશે એ ડરથી બંનેએ શિશુ ને ડી.પી ની બાજુના ડબ્બા માં મૂકી દીધું  હાલ લુણાવાડા પોલીસ દ્વારા પ્રેમી ને બાળક ની માતા ની ધરપકડ કરી  કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલિસ દ્વારા નવજાત બાળક ને બાળકો ની હોસ્પિટલમાં સારવાર કરાવતા હાલ બાળક નો જીવ બચાવી લેવામાં આવ્યો છે.. 



આ બાળકનો શું વાંક?

કેવો કળિયુગ આવ્યો છે કે એક માં પોતાના બાળક સાથે એવું કરે છે... આના પહેલા અનેક એવા કિસ્સા પણ આવ્યા છે એ સોશિયલ મીડિયાની ઘેલછામાં બાળકને માર્યું હોય એને મારી નાખ્યું હોય ફોન લેવાના ચક્કરમાં બાળક વેચી દીધું હોય અને બીજું ઘણું બધું હવે લોકોમાં મોરલ વેલ્યુઝ ખતમ થતી જાય છે સંબધો હવે પહેલા જેવા રહ્યા નથી પણ પ્રશ્ન માત્ર એટલોજ છે કે તમારી ભૂલમાં એ બાળકનો શું વાંક?



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.