મહીસાગરમાં વિધવા મહિલાએ પ્રેમસબંધમાં બાળકને જન્મ આપીને તરછોડી દીધું!


  • Published By :
  • Published Date : 2024-11-06 16:58:54

માં માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે... પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ના થાય તેવી કહેવત આપણે સાંભળી હશે પરંતુ કળિયુગમાં જાણે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ રહી હોય તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે. મા શબ્દમાં આખું બ્રહ્માંડ અને સૃષ્ટિ સમાય જાય છે માં જોડે એક બીજો શબ્દ આવે મમતા પણ હવે કળિયુગમાં અનેકે એવા કિસ્સા સામે આવે છે જેમાં માં જ ક્રૂર બને અને 9 મહિના જે બાળકને પોતાના ગર્ભમાં રાખીને એનું પોષણ કર્યું એ માં એટલી ક્રૂર થઇ જાય કે બાળકનો જન્મ થતા જ જેને રખડતું રઝળતું ફેકી દે છે અને એવો ભયાનક કિસ્સો મહીસાગરના લુણાવાડા માંથી સામે આવ્યો છે  

પોલીસને મળી આવ્યું નવજાત બાળક!

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ એક માંએ નવજાત બાળકને ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં મૂકી દીધું વાત 1 નવેમ્બરની છે જ્યારે લુણાવાડા તાલુકા પોલીસને લેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં અરક્ષિત નવજન્મેલ શિશુ મળ્યું બાદમાં તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે  નવજાત શિશુને ત્યજી દેનાર માતા નયના શૈલેષ ધામોત વિધવા હતા અને એમને લાલા અમરા પગી નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં સમાજના ડરથી અને લોકો શું કહેશે એ ડરથી બંનેએ શિશુ ને ડી.પી ની બાજુના ડબ્બા માં મૂકી દીધું  હાલ લુણાવાડા પોલીસ દ્વારા પ્રેમી ને બાળક ની માતા ની ધરપકડ કરી  કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલિસ દ્વારા નવજાત બાળક ને બાળકો ની હોસ્પિટલમાં સારવાર કરાવતા હાલ બાળક નો જીવ બચાવી લેવામાં આવ્યો છે.. 



આ બાળકનો શું વાંક?

કેવો કળિયુગ આવ્યો છે કે એક માં પોતાના બાળક સાથે એવું કરે છે... આના પહેલા અનેક એવા કિસ્સા પણ આવ્યા છે એ સોશિયલ મીડિયાની ઘેલછામાં બાળકને માર્યું હોય એને મારી નાખ્યું હોય ફોન લેવાના ચક્કરમાં બાળક વેચી દીધું હોય અને બીજું ઘણું બધું હવે લોકોમાં મોરલ વેલ્યુઝ ખતમ થતી જાય છે સંબધો હવે પહેલા જેવા રહ્યા નથી પણ પ્રશ્ન માત્ર એટલોજ છે કે તમારી ભૂલમાં એ બાળકનો શું વાંક?



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.