મહીસાગરમાં વિધવા મહિલાએ પ્રેમસબંધમાં બાળકને જન્મ આપીને તરછોડી દીધું!


  • Published By :
  • Published Date : 2024-11-06 16:58:54

માં માટે આપણે ત્યાં ઘણું બધું લખાયું છે... પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા ના થાય તેવી કહેવત આપણે સાંભળી હશે પરંતુ કળિયુગમાં જાણે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ રહી હોય તેવા અનેક ઉદાહરણો આપણી સામે છે. મા શબ્દમાં આખું બ્રહ્માંડ અને સૃષ્ટિ સમાય જાય છે માં જોડે એક બીજો શબ્દ આવે મમતા પણ હવે કળિયુગમાં અનેકે એવા કિસ્સા સામે આવે છે જેમાં માં જ ક્રૂર બને અને 9 મહિના જે બાળકને પોતાના ગર્ભમાં રાખીને એનું પોષણ કર્યું એ માં એટલી ક્રૂર થઇ જાય કે બાળકનો જન્મ થતા જ જેને રખડતું રઝળતું ફેકી દે છે અને એવો ભયાનક કિસ્સો મહીસાગરના લુણાવાડા માંથી સામે આવ્યો છે  

પોલીસને મળી આવ્યું નવજાત બાળક!

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ એક માંએ નવજાત બાળકને ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં મૂકી દીધું વાત 1 નવેમ્બરની છે જ્યારે લુણાવાડા તાલુકા પોલીસને લેકપુર ગામ પાસે આવેલ ઇંડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે આવેલ ડાંગરવાળા ખેતરમાં ઈલેક્ટ્રીક ડીપીની બાજુમાં જુના ખુલ્લા બોક્સમાં અરક્ષિત નવજન્મેલ શિશુ મળ્યું બાદમાં તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે  નવજાત શિશુને ત્યજી દેનાર માતા નયના શૈલેષ ધામોત વિધવા હતા અને એમને લાલા અમરા પગી નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો અને બાદમાં સમાજના ડરથી અને લોકો શું કહેશે એ ડરથી બંનેએ શિશુ ને ડી.પી ની બાજુના ડબ્બા માં મૂકી દીધું  હાલ લુણાવાડા પોલીસ દ્વારા પ્રેમી ને બાળક ની માતા ની ધરપકડ કરી  કાર્યવાહી હાથ ધરી છે જોકે પોલિસ દ્વારા નવજાત બાળક ને બાળકો ની હોસ્પિટલમાં સારવાર કરાવતા હાલ બાળક નો જીવ બચાવી લેવામાં આવ્યો છે.. 



આ બાળકનો શું વાંક?

કેવો કળિયુગ આવ્યો છે કે એક માં પોતાના બાળક સાથે એવું કરે છે... આના પહેલા અનેક એવા કિસ્સા પણ આવ્યા છે એ સોશિયલ મીડિયાની ઘેલછામાં બાળકને માર્યું હોય એને મારી નાખ્યું હોય ફોન લેવાના ચક્કરમાં બાળક વેચી દીધું હોય અને બીજું ઘણું બધું હવે લોકોમાં મોરલ વેલ્યુઝ ખતમ થતી જાય છે સંબધો હવે પહેલા જેવા રહ્યા નથી પણ પ્રશ્ન માત્ર એટલોજ છે કે તમારી ભૂલમાં એ બાળકનો શું વાંક?



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .