"અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તો ઈલોન મસ્ક જ કહેવાય છે."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 15:40:48

દુનિયાભરમાં એક નવો જોક્સ ચાલી રહ્યો છે કે , "ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. " પંરતુ હવે વિશ્વમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં એક દેશની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓ , બીજો દેશ ત્યાંની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓની વિરુદ્ધમાં કામ કરે છે .  જોકે અમેરિકામાં બિઝનેસમેન સાથે આવી રીતનું લોબિંગ સામાન્ય છે પણ બાકીની દુનિયામાં આ રીતનું ઉદ્યોગગૃહો સાથેનું જોડાણ સામાન્ય નથી હોતું . મૂડીવાદની વ્યવસ્થા કે જે ખુબ મોટા મોટા બિઝનેસમેનોને અને ઉદ્યોગગૃહોને સરકાર સાથે જોડી દે છે . આ પછી તેઓ સરકાર ચલાવતા થઇ જાય છે . જેમ કે હાલમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એ અમેરિકન સરકાર દ્વારા બનાવવામાં આવેલો DOGE વિભાગ , ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નટ એફીસીયંસીના વડા છે . ઘણા લોકો તેમને જોક્સમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ કહે છે . 

Ilon Mask Twitter`ni $44 mlrdga sotib oladi – O'zbekiston yangiliklari –  Gazeta.uz

આવી જ રીતે , ચીનમાં થઇ રહ્યું છે . ચાઈનાએ ૧૯૭૮માં જ્યારથી તેનું અર્થતંત્ર ખોલ્યું છે ત્યારથી ત્યાં મોટા મોટા ઉદ્યોગગૃહ અને બિઝનેસમેન ત્યાં પણ અસ્તિત્વમાં આવ્યા છે . હાલમાં ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી. જિનપિંગના ખાસ બિઝનેસમેનનું એક જૂથ છે . હવે આ બધા જ દેશોમાં જે તે દેશના વડા અને તેમની સાથે જોડાયેલા બિઝનેસમેન અને બીજા દેશના વડા અને તેમની સાથે જોડાયેલું બિઝનેસમેનનું જૂથ એકબીજાની વિરુદ્ધમાં હોય છે .જેમ કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ  ૨૦૧૮માં ચીનની ટેલિકોમ કંપની હુવેઇ પર પ્રતિબંધો લગાડ્યા હતા .   

Xi Jinping - Wikipedia

વાત કરીએ ભારતની , આપણા ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપની  વેપારના અર્થે આવી આ પછી તે થોડાક જ વર્ષોમાં ભારતીયોમાં રહેલા તડાનો ફાયદો લઇને સત્તામાં આવી ગઈ.  વાત કરીએ આઝાદી પછીના સમયની તો ૧૯૯૧માં ભારતનું અર્થતંત્ર ખોલવામાં આવ્યું કે તરત જ સરકારમાં વ્યાપારી જૂથોનું પ્રભુત્વ પણ વધ્યું હતું . જેમ કે , યુપીએ સરકાર વખતે હિન્દુજા પરિવારે , ઇન્ડિયા - યુએસ નુક્લીયર ડીલ ૨૦૦૮ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજ યુપીએ સરકાર વખતે એક કિસ્સો તે વખતના પેટ્રોલિયમ મંત્રી મણિશંકર ઐયરે તેમના પુસ્તક  , અ મેવરિક ઈન પોલિટિક્સમાં લખ્યું છે કે , "જયારે એકવાર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તેમની મુલાકાતે આવ્યા , પરંતુ મણિશંકર ઐયર પોતે એક મિટિંગમાં વ્યસ્ત હતા તેમણે મુકેશ અંબાણીને મળવા રાહ જોવડાવી . આ પછી મુકેશ અંબાણી તેમને પછી ક્યારેય ના મળ્યા . " જોકે આ પછી મણિશંકર ઐયર પાસેથી પેટ્રોલિયમ મંત્રાલય આંચકી લેવાયું હતું .  વર્તમાનની એનડીએ સરકાર પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથેના જોડાણના આરોપો પણ લાગતા રહે છે . જોકે હવે વિશ્વભરમાં સરકારો વિદેશમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા આ ખાનગી કંપનીઓનો સહારો લેતી જ રહે છે. કારણકે , ખાનગી કંપનીઓ નફા માટે કામ કરે છે તેના કારણે તેમની પાસે નિષ્ણાત શક્તિઓ વિપુલ પ્રમાણમાં હોય છે . આ કંપનીઓ મૂડી પણ મોટા પ્રમાણમાં રોકી શકે છે , કેમ કે  કોઈ પણ દેશની સરકાર પાસે એટલા બધા પૈસા નથી હોતા . દાખલા તરીકે , શ્રીલંકામાં અદાણી પોર્ટ નામની કંપની કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ નામના બંદરનો વિકાસ કરી રહ્યું છે .

Gautam Adani to become India's first trillionaire, Mukesh Ambani to follow:  Report

આવું જ અમેરિકાનું છે , પ્લેટફોર્મ એક્સ જે આખી દુનિયામાં વપરાય છે . તેના માલીક ઈલોન મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્લેટફોર્મનો ઉપયોગ યુરોપમાં ઘણી સરકારો વિરુદ્ધ અભિયાન ચલાવવા કરી રહ્યા છે .




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.