"અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તો ઈલોન મસ્ક જ કહેવાય છે."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 15:40:48

દુનિયાભરમાં એક નવો જોક્સ ચાલી રહ્યો છે કે , "ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. " પંરતુ હવે વિશ્વમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં એક દેશની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓ , બીજો દેશ ત્યાંની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓની વિરુદ્ધમાં કામ કરે છે .  જોકે અમેરિકામાં બિઝનેસમેન સાથે આવી રીતનું લોબિંગ સામાન્ય છે પણ બાકીની દુનિયામાં આ રીતનું ઉદ્યોગગૃહો સાથેનું જોડાણ સામાન્ય નથી હોતું . મૂડીવાદની વ્યવસ્થા કે જે ખુબ મોટા મોટા બિઝનેસમેનોને અને ઉદ્યોગગૃહોને સરકાર સાથે જોડી દે છે . આ પછી તેઓ સરકાર ચલાવતા થઇ જાય છે . જેમ કે હાલમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એ અમેરિકન સરકાર દ્વારા બનાવવામાં આવેલો DOGE વિભાગ , ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નટ એફીસીયંસીના વડા છે . ઘણા લોકો તેમને જોક્સમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ કહે છે . 

Ilon Mask Twitter`ni $44 mlrdga sotib oladi – O'zbekiston yangiliklari –  Gazeta.uz

આવી જ રીતે , ચીનમાં થઇ રહ્યું છે . ચાઈનાએ ૧૯૭૮માં જ્યારથી તેનું અર્થતંત્ર ખોલ્યું છે ત્યારથી ત્યાં મોટા મોટા ઉદ્યોગગૃહ અને બિઝનેસમેન ત્યાં પણ અસ્તિત્વમાં આવ્યા છે . હાલમાં ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી. જિનપિંગના ખાસ બિઝનેસમેનનું એક જૂથ છે . હવે આ બધા જ દેશોમાં જે તે દેશના વડા અને તેમની સાથે જોડાયેલા બિઝનેસમેન અને બીજા દેશના વડા અને તેમની સાથે જોડાયેલું બિઝનેસમેનનું જૂથ એકબીજાની વિરુદ્ધમાં હોય છે .જેમ કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ  ૨૦૧૮માં ચીનની ટેલિકોમ કંપની હુવેઇ પર પ્રતિબંધો લગાડ્યા હતા .   

Xi Jinping - Wikipedia

વાત કરીએ ભારતની , આપણા ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપની  વેપારના અર્થે આવી આ પછી તે થોડાક જ વર્ષોમાં ભારતીયોમાં રહેલા તડાનો ફાયદો લઇને સત્તામાં આવી ગઈ.  વાત કરીએ આઝાદી પછીના સમયની તો ૧૯૯૧માં ભારતનું અર્થતંત્ર ખોલવામાં આવ્યું કે તરત જ સરકારમાં વ્યાપારી જૂથોનું પ્રભુત્વ પણ વધ્યું હતું . જેમ કે , યુપીએ સરકાર વખતે હિન્દુજા પરિવારે , ઇન્ડિયા - યુએસ નુક્લીયર ડીલ ૨૦૦૮ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજ યુપીએ સરકાર વખતે એક કિસ્સો તે વખતના પેટ્રોલિયમ મંત્રી મણિશંકર ઐયરે તેમના પુસ્તક  , અ મેવરિક ઈન પોલિટિક્સમાં લખ્યું છે કે , "જયારે એકવાર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તેમની મુલાકાતે આવ્યા , પરંતુ મણિશંકર ઐયર પોતે એક મિટિંગમાં વ્યસ્ત હતા તેમણે મુકેશ અંબાણીને મળવા રાહ જોવડાવી . આ પછી મુકેશ અંબાણી તેમને પછી ક્યારેય ના મળ્યા . " જોકે આ પછી મણિશંકર ઐયર પાસેથી પેટ્રોલિયમ મંત્રાલય આંચકી લેવાયું હતું .  વર્તમાનની એનડીએ સરકાર પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથેના જોડાણના આરોપો પણ લાગતા રહે છે . જોકે હવે વિશ્વભરમાં સરકારો વિદેશમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા આ ખાનગી કંપનીઓનો સહારો લેતી જ રહે છે. કારણકે , ખાનગી કંપનીઓ નફા માટે કામ કરે છે તેના કારણે તેમની પાસે નિષ્ણાત શક્તિઓ વિપુલ પ્રમાણમાં હોય છે . આ કંપનીઓ મૂડી પણ મોટા પ્રમાણમાં રોકી શકે છે , કેમ કે  કોઈ પણ દેશની સરકાર પાસે એટલા બધા પૈસા નથી હોતા . દાખલા તરીકે , શ્રીલંકામાં અદાણી પોર્ટ નામની કંપની કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ નામના બંદરનો વિકાસ કરી રહ્યું છે .

Gautam Adani to become India's first trillionaire, Mukesh Ambani to follow:  Report

આવું જ અમેરિકાનું છે , પ્લેટફોર્મ એક્સ જે આખી દુનિયામાં વપરાય છે . તેના માલીક ઈલોન મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્લેટફોર્મનો ઉપયોગ યુરોપમાં ઘણી સરકારો વિરુદ્ધ અભિયાન ચલાવવા કરી રહ્યા છે .




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.