મહેસાણા શહેરમાં પાંચ દિવસમાં ત્રણ વખત કારના કાચ તોડી ચોરી


  • Published By :
  • Published Date : 2023-10-06 18:29:24

મહેસાણા શહેર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય અને પોલીસ તમાશો જોઈ રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મહેસાણા શહેરમાં અનેક વાર ચોરી અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે પરંતુ મહેસાણા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે

મહેસાણા શહેર બી ડિવિઝન વિસ્તારમાં પાંચ દિવસમાં ગાડીના કાચ ફોડીને પૈસા ઉઠાવી લેવાની ત્રીજી ઘટના સામે આવી પાંચ દિવસ અગાઉ પશા ભાઈ પેટ્રોલપંપ પાછળ આવેલ સોસાયટીમાં બિલ્ડર મકાન જોવા ગયા ને ગાડીના કાચ ફોડી 2 લાખથી વધુની રકમ અજાણ્યા તસ્કરો ગાડીના કાચ ફોડી ઉઠાવી ગયા હતા.જોકે તે ઘટનાની સહી પોલીસ ચોપડે હજુ સુકાઈ નથી ત્યાં એજ વિસ્તારમાં વધુ બે ગાડીઓના કાચ ફોડી રુપીયા અને જરૂરી ડોક્યુમેન્ટ ચોરી જવાની ઘટના સામે આવતા મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે


પહેલી ઘટના: LIC એજન્ટ ગાડી પાર્ક કરી બેંકમાં ગયા ને ફોડી રૂપિયા ઉઠાવી ગયા

મહેસાણા શહેરમાં કૃણાલ રેસીડેન્ટમાં રહેતા ચંદુભાઈ પ્રજાપતિ જેઓ એલ.આઈ.સી એજન્ટ તરીકે ફરજ બજાવે છે જેઓ પોતાની GJ02DM7789 નમ્બર ની ગાડી લઈ મહેસાણા હબ ટાઉન સામે આવેલ કો.ઓપરેટિવ બેંકમાં પૈસા ભરવા ગયા હતા.જ્યાં ગાડી તેઓએ વીર નગર સોસાયટી આગળ પાર્ક કરી હતી અને તેઓ બેંકમાં પૈસા જમા કરવા ગયા હતા.તેમજ અન્ય એક બેગમાં 70 હજાર રૂપિયા તેઓએ ગાડીમાં સીટ નીચે મૂકી બેંકમાં ગયા હતા

બેંકમા કામ પતાવી ને બાદમાં પોતાની ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડનો કાચ ફુટેલો જોવા મળતા તપાસ આદરી હતી.જેમાં ગાડીમાં મુકેલ પૈસા ભરેલ બેગ અજાણ્યું કોઈ ઉઠાવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના પગલે ફરિયાદીએ મહેસાણા બી ડિવિઝનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદી એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે ઘટના બન્યાના એકાદ કલાક બાદ પૈસા ચોરી જનારા અજાણ્યા ઈસમોએ મારી બેગ માંથી પૈસા લીધા બાદ રાધનપુર રોડ પર એક બાઈક પર બેગ લટકાવી તસ્કરો ભાગી ગયા હતા.જ્યાં બાઈક ચાલકે બેગ તેના બાઈક પર હોવાની જાણ ફરિયાદી ને કરતા બાદમાં અજાણ્યા ઈસમો સામે 70 હજાર રૂપિયા ચોરી જવા મામલે ફરિયાદ નોંધાઇ હતી.


બીજી ઘટના: રાધનપુર રોડ પર પાર્ક કરેલ સી.એ ની ગાડીના કાચ ફોડી પૈસા લેપટોપ ચોરી

અમદાવાદના ઇસનપુર ખાતે રહેતા જીજ્ઞેશ શર્મા પોતાના સથી મિત્ર સાથે મહેસાણા ખાતે રાધનપુર રોડ પર આવેલ ઓરબીટ બિઝનેસ હબમાં આવ્યા હતા.જ્યાં તેઓએ પોતાની GJ27EB6278 નમ્બર ની ગાડી કનૈયા રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરી તેઓ પોતાના કામે ગયા હતા.અને કામ પતાવી બાદમાં ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડ નો કાચ ફુટેલ જોવા મળતા તપાસ આદરી હતી.જેમાં ગાડીમાં મુકેલ ત્રણ ભેગો જોવા મળી નહોતો

એક બેગમાં 50 હજાર કિંમત નું લેપટોપ અને બીજી બેગમાં જરૂરી ડોક્યુમેન્ટ અને 65 હજાર રોકડા મુકેલ હતા.તેમજ ત્રીજી બેગ ગાડીમાં સાથે આવનાર ગુપ્તા અંકુર ભાઈની હતી જેમાંથી 24 હજાર રોકડા મળી કુલ 89 હજાર રોકડા અને એક લેપટોપ અજાણ્યા ઈસમો ગાડીમાં કાચ ફોડી ચોરીને અંજામ આપ્યો હતો.સમગ્ર કેસમાં તેઓએ પણ મહેસાણા બી ડિવિઝનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે મહેસાણામાં આવી ઘટનાઓ સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉથી રહ્યા છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.