મહેસાણા શહેરમાં પાંચ દિવસમાં ત્રણ વખત કારના કાચ તોડી ચોરી


  • Published By :
  • Published Date : 2023-10-06 18:29:24

મહેસાણા શહેર વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા હોય અને પોલીસ તમાશો જોઈ રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મહેસાણા શહેરમાં અનેક વાર ચોરી અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે પરંતુ મહેસાણા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે

મહેસાણા શહેર બી ડિવિઝન વિસ્તારમાં પાંચ દિવસમાં ગાડીના કાચ ફોડીને પૈસા ઉઠાવી લેવાની ત્રીજી ઘટના સામે આવી પાંચ દિવસ અગાઉ પશા ભાઈ પેટ્રોલપંપ પાછળ આવેલ સોસાયટીમાં બિલ્ડર મકાન જોવા ગયા ને ગાડીના કાચ ફોડી 2 લાખથી વધુની રકમ અજાણ્યા તસ્કરો ગાડીના કાચ ફોડી ઉઠાવી ગયા હતા.જોકે તે ઘટનાની સહી પોલીસ ચોપડે હજુ સુકાઈ નથી ત્યાં એજ વિસ્તારમાં વધુ બે ગાડીઓના કાચ ફોડી રુપીયા અને જરૂરી ડોક્યુમેન્ટ ચોરી જવાની ઘટના સામે આવતા મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે


પહેલી ઘટના: LIC એજન્ટ ગાડી પાર્ક કરી બેંકમાં ગયા ને ફોડી રૂપિયા ઉઠાવી ગયા

મહેસાણા શહેરમાં કૃણાલ રેસીડેન્ટમાં રહેતા ચંદુભાઈ પ્રજાપતિ જેઓ એલ.આઈ.સી એજન્ટ તરીકે ફરજ બજાવે છે જેઓ પોતાની GJ02DM7789 નમ્બર ની ગાડી લઈ મહેસાણા હબ ટાઉન સામે આવેલ કો.ઓપરેટિવ બેંકમાં પૈસા ભરવા ગયા હતા.જ્યાં ગાડી તેઓએ વીર નગર સોસાયટી આગળ પાર્ક કરી હતી અને તેઓ બેંકમાં પૈસા જમા કરવા ગયા હતા.તેમજ અન્ય એક બેગમાં 70 હજાર રૂપિયા તેઓએ ગાડીમાં સીટ નીચે મૂકી બેંકમાં ગયા હતા

બેંકમા કામ પતાવી ને બાદમાં પોતાની ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડનો કાચ ફુટેલો જોવા મળતા તપાસ આદરી હતી.જેમાં ગાડીમાં મુકેલ પૈસા ભરેલ બેગ અજાણ્યું કોઈ ઉઠાવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના પગલે ફરિયાદીએ મહેસાણા બી ડિવિઝનને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદી એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે ઘટના બન્યાના એકાદ કલાક બાદ પૈસા ચોરી જનારા અજાણ્યા ઈસમોએ મારી બેગ માંથી પૈસા લીધા બાદ રાધનપુર રોડ પર એક બાઈક પર બેગ લટકાવી તસ્કરો ભાગી ગયા હતા.જ્યાં બાઈક ચાલકે બેગ તેના બાઈક પર હોવાની જાણ ફરિયાદી ને કરતા બાદમાં અજાણ્યા ઈસમો સામે 70 હજાર રૂપિયા ચોરી જવા મામલે ફરિયાદ નોંધાઇ હતી.


બીજી ઘટના: રાધનપુર રોડ પર પાર્ક કરેલ સી.એ ની ગાડીના કાચ ફોડી પૈસા લેપટોપ ચોરી

અમદાવાદના ઇસનપુર ખાતે રહેતા જીજ્ઞેશ શર્મા પોતાના સથી મિત્ર સાથે મહેસાણા ખાતે રાધનપુર રોડ પર આવેલ ઓરબીટ બિઝનેસ હબમાં આવ્યા હતા.જ્યાં તેઓએ પોતાની GJ27EB6278 નમ્બર ની ગાડી કનૈયા રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરી તેઓ પોતાના કામે ગયા હતા.અને કામ પતાવી બાદમાં ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડ નો કાચ ફુટેલ જોવા મળતા તપાસ આદરી હતી.જેમાં ગાડીમાં મુકેલ ત્રણ ભેગો જોવા મળી નહોતો

એક બેગમાં 50 હજાર કિંમત નું લેપટોપ અને બીજી બેગમાં જરૂરી ડોક્યુમેન્ટ અને 65 હજાર રોકડા મુકેલ હતા.તેમજ ત્રીજી બેગ ગાડીમાં સાથે આવનાર ગુપ્તા અંકુર ભાઈની હતી જેમાંથી 24 હજાર રોકડા મળી કુલ 89 હજાર રોકડા અને એક લેપટોપ અજાણ્યા ઈસમો ગાડીમાં કાચ ફોડી ચોરીને અંજામ આપ્યો હતો.સમગ્ર કેસમાં તેઓએ પણ મહેસાણા બી ડિવિઝનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે મહેસાણામાં આવી ઘટનાઓ સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉથી રહ્યા છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.