કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે કઈ બાબતે થઇ રક્ઝક?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-14 20:59:22

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે. 

Kantilal Amrutiya updated their profile picture.

થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જયારે યોજાઈ ત્યારે , મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ ચર્ચાનો વિષય બન્યો હતું. કેમ કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. ટિકિટ કપાવવાને લઇને ભાજપના ઘણા આગેવાનોએ અપક્ષ દાવેદારીઓ કરી હતી. આ પછી , મોરબીના ભાજપના MLA કાંતિ અમૃતિયા અને નારાજ આગેવાનો વચ્ચે જબરદસ્ત વાક્યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મોરબી ભાજપે ઘણા આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. જોકે પરિણામ આવ્યા , મોરબી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. 

હવે, મોરબી મનપામાં મેયરને લઇને ભાજપમાં કકળાટ સર્જાયો છે. મોરબીમાં મેયર નક્કી કરવા માટે ભાજપની પાર્લિયામેન્ટરી બોર્ડમાં બે નેતાઓ મોહન કુંડારીયા અને કાંતિ અમૃતિયા આમનેસામને આવી ગયા હતા. કેમ કે , પાર્લિયામેન્ટરી બોર્ડની બેઠકમાં એક ચોક્કસ જૂથના સભ્યોની યાદી પહોંચી ન હતી. આ પછી કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે ચાલુ બેઠકમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગજગ્રાહ એટલો વધ્યો કે, આખરે હોદ્દેદારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી.  હવે સ્થાનિક સ્તરે સમંતી ના સધાતા , નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો . આ કારણે મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખ નામો અને ખાસ કરીને મહાનગરપાલિકાના હોદ્દેદારોના આખરી નિર્ણય શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાય તેવી સંભાવના છે.  આ નામની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં ફાઇનલ થાય તેવી સંભાવના છે. હવે વાત કરીએ , મોરબી જિલ્લાની , આ વખતની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતને લઇને ઘણા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. મોરબી મનપા , ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની કુલ ૨૫૦ બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે ૧૭૯ બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે , ૫૯ બેઠકો પર કોંગ્રેસ , ૬ બેઠકો પર આપ , ૩ બેઠકો પર બસપા  અને ૩ બેઠકો પર અપક્ષની જીત થઇ છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં તમામ ૫૨ બેઠકો પર ભાજપની પ્રચંડ જીત થઇ છે.




ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.