કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે કઈ બાબતે થઇ રક્ઝક?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-14 20:59:22

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે. 

Kantilal Amrutiya updated their profile picture.

થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જયારે યોજાઈ ત્યારે , મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ ચર્ચાનો વિષય બન્યો હતું. કેમ કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. ટિકિટ કપાવવાને લઇને ભાજપના ઘણા આગેવાનોએ અપક્ષ દાવેદારીઓ કરી હતી. આ પછી , મોરબીના ભાજપના MLA કાંતિ અમૃતિયા અને નારાજ આગેવાનો વચ્ચે જબરદસ્ત વાક્યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મોરબી ભાજપે ઘણા આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. જોકે પરિણામ આવ્યા , મોરબી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. 

હવે, મોરબી મનપામાં મેયરને લઇને ભાજપમાં કકળાટ સર્જાયો છે. મોરબીમાં મેયર નક્કી કરવા માટે ભાજપની પાર્લિયામેન્ટરી બોર્ડમાં બે નેતાઓ મોહન કુંડારીયા અને કાંતિ અમૃતિયા આમનેસામને આવી ગયા હતા. કેમ કે , પાર્લિયામેન્ટરી બોર્ડની બેઠકમાં એક ચોક્કસ જૂથના સભ્યોની યાદી પહોંચી ન હતી. આ પછી કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે ચાલુ બેઠકમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગજગ્રાહ એટલો વધ્યો કે, આખરે હોદ્દેદારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી.  હવે સ્થાનિક સ્તરે સમંતી ના સધાતા , નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો . આ કારણે મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખ નામો અને ખાસ કરીને મહાનગરપાલિકાના હોદ્દેદારોના આખરી નિર્ણય શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાય તેવી સંભાવના છે.  આ નામની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં ફાઇનલ થાય તેવી સંભાવના છે. હવે વાત કરીએ , મોરબી જિલ્લાની , આ વખતની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતને લઇને ઘણા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. મોરબી મનપા , ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની કુલ ૨૫૦ બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે ૧૭૯ બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે , ૫૯ બેઠકો પર કોંગ્રેસ , ૬ બેઠકો પર આપ , ૩ બેઠકો પર બસપા  અને ૩ બેઠકો પર અપક્ષની જીત થઇ છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં તમામ ૫૨ બેઠકો પર ભાજપની પ્રચંડ જીત થઇ છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.