કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે કઈ બાબતે થઇ રક્ઝક?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-14 20:59:22

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે. 

Kantilal Amrutiya updated their profile picture.

થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જયારે યોજાઈ ત્યારે , મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ ચર્ચાનો વિષય બન્યો હતું. કેમ કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. ટિકિટ કપાવવાને લઇને ભાજપના ઘણા આગેવાનોએ અપક્ષ દાવેદારીઓ કરી હતી. આ પછી , મોરબીના ભાજપના MLA કાંતિ અમૃતિયા અને નારાજ આગેવાનો વચ્ચે જબરદસ્ત વાક્યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મોરબી ભાજપે ઘણા આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. જોકે પરિણામ આવ્યા , મોરબી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. 

હવે, મોરબી મનપામાં મેયરને લઇને ભાજપમાં કકળાટ સર્જાયો છે. મોરબીમાં મેયર નક્કી કરવા માટે ભાજપની પાર્લિયામેન્ટરી બોર્ડમાં બે નેતાઓ મોહન કુંડારીયા અને કાંતિ અમૃતિયા આમનેસામને આવી ગયા હતા. કેમ કે , પાર્લિયામેન્ટરી બોર્ડની બેઠકમાં એક ચોક્કસ જૂથના સભ્યોની યાદી પહોંચી ન હતી. આ પછી કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે ચાલુ બેઠકમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગજગ્રાહ એટલો વધ્યો કે, આખરે હોદ્દેદારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી.  હવે સ્થાનિક સ્તરે સમંતી ના સધાતા , નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો . આ કારણે મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખ નામો અને ખાસ કરીને મહાનગરપાલિકાના હોદ્દેદારોના આખરી નિર્ણય શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાય તેવી સંભાવના છે.  આ નામની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં ફાઇનલ થાય તેવી સંભાવના છે. હવે વાત કરીએ , મોરબી જિલ્લાની , આ વખતની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતને લઇને ઘણા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. મોરબી મનપા , ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની કુલ ૨૫૦ બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે ૧૭૯ બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે , ૫૯ બેઠકો પર કોંગ્રેસ , ૬ બેઠકો પર આપ , ૩ બેઠકો પર બસપા  અને ૩ બેઠકો પર અપક્ષની જીત થઇ છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં તમામ ૫૨ બેઠકો પર ભાજપની પ્રચંડ જીત થઇ છે.




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.