MPના CM મોહન યાદવ એક્શનમાં, લાઉડ સ્પીકર અને ખુલ્લામાં વેચાતા માંસ પર લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-12-13 22:15:38

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ખુરશી સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત MPના CMએ રાજ્યમાં ખુલ્લી જગ્યાઓ પર વેચાતા માંસને લઈને પણ કડક સૂચનાઓ આપી છે.


શું કહ્યું CM મોહન યાદવે 


કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા CM મોહન યાદવે કહ્યું કે ફૂડ સેફ્ટી નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે માંસ અને ઈંડાના ખુલ્લા વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે અને બેઠકમાં નવા નિયમો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


ધ્વનીના માપદંડોનું પાલન અનિવાર્ય


મધ્યપ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશનમાં તમામ જિલ્લાઓમાં ધ્વનીના માપદંડોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને શાંત વિસ્તારોનું વર્ગીકરણ કરવામાં આવે અને ધોરણોનું પાલન કરવામાં આવે. નિયમોનો અમલ કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.