MPના CM મોહન યાદવ એક્શનમાં, લાઉડ સ્પીકર અને ખુલ્લામાં વેચાતા માંસ પર લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-12-13 22:15:38

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ખુરશી સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત MPના CMએ રાજ્યમાં ખુલ્લી જગ્યાઓ પર વેચાતા માંસને લઈને પણ કડક સૂચનાઓ આપી છે.


શું કહ્યું CM મોહન યાદવે 


કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા CM મોહન યાદવે કહ્યું કે ફૂડ સેફ્ટી નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે માંસ અને ઈંડાના ખુલ્લા વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે અને બેઠકમાં નવા નિયમો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


ધ્વનીના માપદંડોનું પાલન અનિવાર્ય


મધ્યપ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશનમાં તમામ જિલ્લાઓમાં ધ્વનીના માપદંડોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને શાંત વિસ્તારોનું વર્ગીકરણ કરવામાં આવે અને ધોરણોનું પાલન કરવામાં આવે. નિયમોનો અમલ કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.