Narmadaમાં નાગરિકે ભાજપના નેતાને ખખડાવ્યા, નેતાઓને તાયફા બંધ કરવા કહ્યું! સાંભળો શાળાને લઈ શું કહ્યું નાગરિકે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-11 16:59:27

અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ અધિકારીઓને ખખડાવતા હોય છે. પરંતુ નર્મદાથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે. વિકસિત ભારત યાત્રામાં જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લઇ લીધા હતા અને કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા હતા. નાગરિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વિકસીત ભારતની યાત્રામાં નેતાને થયો કડવો અનુભવ 

લોકશાહીમાં આપણને આપણા નેતાઓને સવાલો પૂછવાનો અધિકાર છે પણ આપણે ઘણી વાર આપણે બોલતા નથી જેના કારણે પરિસ્થિત સુધરતી નથી. નર્મદાથી વાયરલ થયેલો આ વીડિયો આપણને પણ કાંઈક શીખવાડી જાય છે. આ વીડિયો વાયરલ થયો એ ભાઈના ગામની શાળા જર્જરિત હતી પરંતુ નેતાઓ એ વાત કર્યા વગર વિકસિત ભારતની યાત્રામાં બીજી અન્ય વાતો કરી રહ્યા જેથી અકળાઈને આ ભાઈએ કહી દીધું કે આ તાયફાઓ બંધ કરો. 

શાળા બનાવવામાં કેમ સમય લાગે છે?

નર્મદાના તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રા હતી તે સમયનો કિસ્સો છે. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધી હતી. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા છે. આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, આવા બધા તાયફાઓ બંધ કરો. અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે. શાળા બનવામાં કેમ સમય લાગે છે. 


ભાજપના નેતાઓને ખખડાવ્યા

એક જાગૃત નાગરિક સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવ્યા હતા. તેમજ વિવિધ સુવિધાસભર સવાલો પણ કર્યા હતો જેને લઈને કેટલાક હાજર લોકોએ તાળીઓ પણ પાડી હતી જોકે આ વિડિઓ અત્યારે સોશિલય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને પ્રશાશન પર સવાલો ઉઠાવી રહ્યો છે.




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.