Narmadaમાં નાગરિકે ભાજપના નેતાને ખખડાવ્યા, નેતાઓને તાયફા બંધ કરવા કહ્યું! સાંભળો શાળાને લઈ શું કહ્યું નાગરિકે


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:27

અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ અધિકારીઓને ખખડાવતા હોય છે. પરંતુ નર્મદાથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે. વિકસિત ભારત યાત્રામાં જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લઇ લીધા હતા અને કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા હતા. નાગરિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વિકસીત ભારતની યાત્રામાં નેતાને થયો કડવો અનુભવ 

લોકશાહીમાં આપણને આપણા નેતાઓને સવાલો પૂછવાનો અધિકાર છે પણ આપણે ઘણી વાર આપણે બોલતા નથી જેના કારણે પરિસ્થિત સુધરતી નથી. નર્મદાથી વાયરલ થયેલો આ વીડિયો આપણને પણ કાંઈક શીખવાડી જાય છે. આ વીડિયો વાયરલ થયો એ ભાઈના ગામની શાળા જર્જરિત હતી પરંતુ નેતાઓ એ વાત કર્યા વગર વિકસિત ભારતની યાત્રામાં બીજી અન્ય વાતો કરી રહ્યા જેથી અકળાઈને આ ભાઈએ કહી દીધું કે આ તાયફાઓ બંધ કરો. 

શાળા બનાવવામાં કેમ સમય લાગે છે?

નર્મદાના તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રા હતી તે સમયનો કિસ્સો છે. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધી હતી. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા છે. આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, આવા બધા તાયફાઓ બંધ કરો. અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે. શાળા બનવામાં કેમ સમય લાગે છે. 


ભાજપના નેતાઓને ખખડાવ્યા

એક જાગૃત નાગરિક સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવ્યા હતા. તેમજ વિવિધ સુવિધાસભર સવાલો પણ કર્યા હતો જેને લઈને કેટલાક હાજર લોકોએ તાળીઓ પણ પાડી હતી જોકે આ વિડિઓ અત્યારે સોશિલય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને પ્રશાશન પર સવાલો ઉઠાવી રહ્યો છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.