Narmadaમાં નાગરિકે ભાજપના નેતાને ખખડાવ્યા, નેતાઓને તાયફા બંધ કરવા કહ્યું! સાંભળો શાળાને લઈ શું કહ્યું નાગરિકે


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:27

અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ અધિકારીઓને ખખડાવતા હોય છે. પરંતુ નર્મદાથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે. વિકસિત ભારત યાત્રામાં જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લઇ લીધા હતા અને કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા હતા. નાગરિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વિકસીત ભારતની યાત્રામાં નેતાને થયો કડવો અનુભવ 

લોકશાહીમાં આપણને આપણા નેતાઓને સવાલો પૂછવાનો અધિકાર છે પણ આપણે ઘણી વાર આપણે બોલતા નથી જેના કારણે પરિસ્થિત સુધરતી નથી. નર્મદાથી વાયરલ થયેલો આ વીડિયો આપણને પણ કાંઈક શીખવાડી જાય છે. આ વીડિયો વાયરલ થયો એ ભાઈના ગામની શાળા જર્જરિત હતી પરંતુ નેતાઓ એ વાત કર્યા વગર વિકસિત ભારતની યાત્રામાં બીજી અન્ય વાતો કરી રહ્યા જેથી અકળાઈને આ ભાઈએ કહી દીધું કે આ તાયફાઓ બંધ કરો. 

શાળા બનાવવામાં કેમ સમય લાગે છે?

નર્મદાના તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રા હતી તે સમયનો કિસ્સો છે. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધી હતી. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા છે. આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, આવા બધા તાયફાઓ બંધ કરો. અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે. શાળા બનવામાં કેમ સમય લાગે છે. 


ભાજપના નેતાઓને ખખડાવ્યા

એક જાગૃત નાગરિક સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવ્યા હતા. તેમજ વિવિધ સુવિધાસભર સવાલો પણ કર્યા હતો જેને લઈને કેટલાક હાજર લોકોએ તાળીઓ પણ પાડી હતી જોકે આ વિડિઓ અત્યારે સોશિલય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને પ્રશાશન પર સવાલો ઉઠાવી રહ્યો છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .