ઈરાનનો ઇઝરાયેલ પર જોરદાર હુમલો , ટ્રમ્પએ કેમ ભારતનો ઉલ્લેખ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-16 18:40:28

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે  , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે  જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે.  તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે. 

After Iran's Missile Attack, Israel May Be Ready to Risk All-Out War - The  New York Times

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પરિસ્થિતિઓ સતત એસ્કેલેટ થઇ રહી છે . ઈરાને ઇઝરાયેલના શહેર હાઇફાથી લઇને તેલ અવીવ સુધી મિસાઇલો દ્વારા જબરદસ્ત હુમલાઓ કર્યા છે.  જે અંતર્ગત હવે ઇઝરાયેલી રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. ઈરાની મિસાઈલોએ ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જોકે IDF એટલેકે , ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસનો દાવો છે કે તેમણે ઇરાનના ઘણા મિસાઇલો , ડ્રોન અને UAV ને આકાશમાં જ ભેદી નાખ્યા છે. વાત કરીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તો , ત્યાં ઈરાને ૪ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો . તો આ પેહલા ઇઝરાયેલ દ્વારા ઈરાન પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. જેમાં ઇરાનીયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમનું મૃત્યુ થયું છે. બેઉ દેશો વચ્ચે જે પરિસ્થિતિઓ વણસી રહી છે તેના કારણે રવિવારના દિવસે ઓમાનમાં જે યુએસ સાથે પરમાણુ કરારો કરવા માટે જે વાર્તાલાપ થવાનો હતો તે ઈરાન દ્વારા  કેન્સલ કરી દેવામાં આવ્યો છે. 

Eat the Tariffs': Donald Trump tells Walmart not to charge shoppers more |  World News - Business Standard

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , ઈરાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતું હતું . કેમ કે , તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો છે.  હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે , ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન / ઇઝરાયેલ તણાવ વચ્ચે એક પોસ્ટ કરી છે .  જેમાં તેમણે લખ્યું છે કે , જેવી રીતે ભારત અને પાકિસ્તાને ડીલ કરી તેમ , ઈરાન અને ઇઝરાયેલએ પણ ડીલ કરવી જોઈએ. આ કરારો કરવા માટે વ્યાપારનો સહારો લેવો જોઈએ . ભારત , પાકિસ્તાને યુએસ સાથે વ્યાપારનો ઉપયોગ કરીને બેઉ દેશોના નેતાઓએ નિર્ણય લીધો છે . આ પેહલા મારા પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે ઘણા દાયકાઓથી તેમની વચ્ચે સમસ્યાઓ છે. મેં તેને રોકાવડાવ્યું . ( બાઇડેનએ કેટલાક બોગસ નિર્ણયો લઇને તેમાં તકલીફો ઉભી કરી પરંતુ હું તેને ફરી એકવાર સોલ્વ કરીશ.) આ પછી ઇજિપ્ત અને ઇથિયોપિયા જે નદી પરના ખુબ મોટા ડેમ માટે લડતા હતા . તે નાઇલ નદી માટે મેં જ સમાધાન કરાવડાવ્યું . આ બધાની જેમ જ , ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પણ શાંતિ હશે. ઘણી મિટિંગો થઇ રહી છે. હું ઘણું બધું કરું છું . પરંતુ ક્રેડિટ ક્યારેય નથી લેતો . લોકો પણ તે વાતને સમજશે . મેક મિડલ ઇસ્ટ ગ્રેટ અગેઇન. " 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.