ઈરાનનો ઇઝરાયેલ પર જોરદાર હુમલો , ટ્રમ્પએ કેમ ભારતનો ઉલ્લેખ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-16 18:40:28

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે  , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે  જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે.  તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે. 

After Iran's Missile Attack, Israel May Be Ready to Risk All-Out War - The  New York Times

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પરિસ્થિતિઓ સતત એસ્કેલેટ થઇ રહી છે . ઈરાને ઇઝરાયેલના શહેર હાઇફાથી લઇને તેલ અવીવ સુધી મિસાઇલો દ્વારા જબરદસ્ત હુમલાઓ કર્યા છે.  જે અંતર્ગત હવે ઇઝરાયેલી રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. ઈરાની મિસાઈલોએ ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જોકે IDF એટલેકે , ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસનો દાવો છે કે તેમણે ઇરાનના ઘણા મિસાઇલો , ડ્રોન અને UAV ને આકાશમાં જ ભેદી નાખ્યા છે. વાત કરીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તો , ત્યાં ઈરાને ૪ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો . તો આ પેહલા ઇઝરાયેલ દ્વારા ઈરાન પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. જેમાં ઇરાનીયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમનું મૃત્યુ થયું છે. બેઉ દેશો વચ્ચે જે પરિસ્થિતિઓ વણસી રહી છે તેના કારણે રવિવારના દિવસે ઓમાનમાં જે યુએસ સાથે પરમાણુ કરારો કરવા માટે જે વાર્તાલાપ થવાનો હતો તે ઈરાન દ્વારા  કેન્સલ કરી દેવામાં આવ્યો છે. 

Eat the Tariffs': Donald Trump tells Walmart not to charge shoppers more |  World News - Business Standard

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , ઈરાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતું હતું . કેમ કે , તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો છે.  હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે , ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન / ઇઝરાયેલ તણાવ વચ્ચે એક પોસ્ટ કરી છે .  જેમાં તેમણે લખ્યું છે કે , જેવી રીતે ભારત અને પાકિસ્તાને ડીલ કરી તેમ , ઈરાન અને ઇઝરાયેલએ પણ ડીલ કરવી જોઈએ. આ કરારો કરવા માટે વ્યાપારનો સહારો લેવો જોઈએ . ભારત , પાકિસ્તાને યુએસ સાથે વ્યાપારનો ઉપયોગ કરીને બેઉ દેશોના નેતાઓએ નિર્ણય લીધો છે . આ પેહલા મારા પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે ઘણા દાયકાઓથી તેમની વચ્ચે સમસ્યાઓ છે. મેં તેને રોકાવડાવ્યું . ( બાઇડેનએ કેટલાક બોગસ નિર્ણયો લઇને તેમાં તકલીફો ઉભી કરી પરંતુ હું તેને ફરી એકવાર સોલ્વ કરીશ.) આ પછી ઇજિપ્ત અને ઇથિયોપિયા જે નદી પરના ખુબ મોટા ડેમ માટે લડતા હતા . તે નાઇલ નદી માટે મેં જ સમાધાન કરાવડાવ્યું . આ બધાની જેમ જ , ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પણ શાંતિ હશે. ઘણી મિટિંગો થઇ રહી છે. હું ઘણું બધું કરું છું . પરંતુ ક્રેડિટ ક્યારેય નથી લેતો . લોકો પણ તે વાતને સમજશે . મેક મિડલ ઇસ્ટ ગ્રેટ અગેઇન. " 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.