ઈરાનનો ઇઝરાયેલ પર જોરદાર હુમલો , ટ્રમ્પએ કેમ ભારતનો ઉલ્લેખ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-16 18:40:28

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે  , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે  જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે.  તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે. 

After Iran's Missile Attack, Israel May Be Ready to Risk All-Out War - The  New York Times

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પરિસ્થિતિઓ સતત એસ્કેલેટ થઇ રહી છે . ઈરાને ઇઝરાયેલના શહેર હાઇફાથી લઇને તેલ અવીવ સુધી મિસાઇલો દ્વારા જબરદસ્ત હુમલાઓ કર્યા છે.  જે અંતર્ગત હવે ઇઝરાયેલી રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. ઈરાની મિસાઈલોએ ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જોકે IDF એટલેકે , ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસનો દાવો છે કે તેમણે ઇરાનના ઘણા મિસાઇલો , ડ્રોન અને UAV ને આકાશમાં જ ભેદી નાખ્યા છે. વાત કરીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તો , ત્યાં ઈરાને ૪ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો . તો આ પેહલા ઇઝરાયેલ દ્વારા ઈરાન પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. જેમાં ઇરાનીયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમનું મૃત્યુ થયું છે. બેઉ દેશો વચ્ચે જે પરિસ્થિતિઓ વણસી રહી છે તેના કારણે રવિવારના દિવસે ઓમાનમાં જે યુએસ સાથે પરમાણુ કરારો કરવા માટે જે વાર્તાલાપ થવાનો હતો તે ઈરાન દ્વારા  કેન્સલ કરી દેવામાં આવ્યો છે. 

Eat the Tariffs': Donald Trump tells Walmart not to charge shoppers more |  World News - Business Standard

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , ઈરાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતું હતું . કેમ કે , તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો છે.  હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે , ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન / ઇઝરાયેલ તણાવ વચ્ચે એક પોસ્ટ કરી છે .  જેમાં તેમણે લખ્યું છે કે , જેવી રીતે ભારત અને પાકિસ્તાને ડીલ કરી તેમ , ઈરાન અને ઇઝરાયેલએ પણ ડીલ કરવી જોઈએ. આ કરારો કરવા માટે વ્યાપારનો સહારો લેવો જોઈએ . ભારત , પાકિસ્તાને યુએસ સાથે વ્યાપારનો ઉપયોગ કરીને બેઉ દેશોના નેતાઓએ નિર્ણય લીધો છે . આ પેહલા મારા પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે ઘણા દાયકાઓથી તેમની વચ્ચે સમસ્યાઓ છે. મેં તેને રોકાવડાવ્યું . ( બાઇડેનએ કેટલાક બોગસ નિર્ણયો લઇને તેમાં તકલીફો ઉભી કરી પરંતુ હું તેને ફરી એકવાર સોલ્વ કરીશ.) આ પછી ઇજિપ્ત અને ઇથિયોપિયા જે નદી પરના ખુબ મોટા ડેમ માટે લડતા હતા . તે નાઇલ નદી માટે મેં જ સમાધાન કરાવડાવ્યું . આ બધાની જેમ જ , ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પણ શાંતિ હશે. ઘણી મિટિંગો થઇ રહી છે. હું ઘણું બધું કરું છું . પરંતુ ક્રેડિટ ક્યારેય નથી લેતો . લોકો પણ તે વાતને સમજશે . મેક મિડલ ઇસ્ટ ગ્રેટ અગેઇન. " 




પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.