ઈરાનનો ઇઝરાયેલ પર જોરદાર હુમલો , ટ્રમ્પએ કેમ ભારતનો ઉલ્લેખ કર્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-16 18:40:28

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે  , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે  જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે.  તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે. 

After Iran's Missile Attack, Israel May Be Ready to Risk All-Out War - The  New York Times

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પરિસ્થિતિઓ સતત એસ્કેલેટ થઇ રહી છે . ઈરાને ઇઝરાયેલના શહેર હાઇફાથી લઇને તેલ અવીવ સુધી મિસાઇલો દ્વારા જબરદસ્ત હુમલાઓ કર્યા છે.  જે અંતર્ગત હવે ઇઝરાયેલી રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. ઈરાની મિસાઈલોએ ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જોકે IDF એટલેકે , ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસનો દાવો છે કે તેમણે ઇરાનના ઘણા મિસાઇલો , ડ્રોન અને UAV ને આકાશમાં જ ભેદી નાખ્યા છે. વાત કરીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તો , ત્યાં ઈરાને ૪ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો . તો આ પેહલા ઇઝરાયેલ દ્વારા ઈરાન પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. જેમાં ઇરાનીયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમનું મૃત્યુ થયું છે. બેઉ દેશો વચ્ચે જે પરિસ્થિતિઓ વણસી રહી છે તેના કારણે રવિવારના દિવસે ઓમાનમાં જે યુએસ સાથે પરમાણુ કરારો કરવા માટે જે વાર્તાલાપ થવાનો હતો તે ઈરાન દ્વારા  કેન્સલ કરી દેવામાં આવ્યો છે. 

Eat the Tariffs': Donald Trump tells Walmart not to charge shoppers more |  World News - Business Standard

ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , ઈરાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતું હતું . કેમ કે , તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો છે.  હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે , ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન / ઇઝરાયેલ તણાવ વચ્ચે એક પોસ્ટ કરી છે .  જેમાં તેમણે લખ્યું છે કે , જેવી રીતે ભારત અને પાકિસ્તાને ડીલ કરી તેમ , ઈરાન અને ઇઝરાયેલએ પણ ડીલ કરવી જોઈએ. આ કરારો કરવા માટે વ્યાપારનો સહારો લેવો જોઈએ . ભારત , પાકિસ્તાને યુએસ સાથે વ્યાપારનો ઉપયોગ કરીને બેઉ દેશોના નેતાઓએ નિર્ણય લીધો છે . આ પેહલા મારા પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે ઘણા દાયકાઓથી તેમની વચ્ચે સમસ્યાઓ છે. મેં તેને રોકાવડાવ્યું . ( બાઇડેનએ કેટલાક બોગસ નિર્ણયો લઇને તેમાં તકલીફો ઉભી કરી પરંતુ હું તેને ફરી એકવાર સોલ્વ કરીશ.) આ પછી ઇજિપ્ત અને ઇથિયોપિયા જે નદી પરના ખુબ મોટા ડેમ માટે લડતા હતા . તે નાઇલ નદી માટે મેં જ સમાધાન કરાવડાવ્યું . આ બધાની જેમ જ , ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પણ શાંતિ હશે. ઘણી મિટિંગો થઇ રહી છે. હું ઘણું બધું કરું છું . પરંતુ ક્રેડિટ ક્યારેય નથી લેતો . લોકો પણ તે વાતને સમજશે . મેક મિડલ ઇસ્ટ ગ્રેટ અગેઇન. " 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.