સમસ્યાનું નિરાકરણ લાવવા માટે Patanના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, પત્રમાં લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:21

લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી છે. મતદાતા જ્યારે મતદાન કરે છે ત્યારે તે માને છે કે જ્યારે તેને સમસ્યા થશે તો તે પોતાની રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરી શકે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્યે કરી છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 



પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને પડે છે મુશ્કેલી

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. નળથી જળ પહોંચે છે, સારા રસ્તાઓ છે તેવી વાત અનેક વખત સાંભળી હશે.. પરંતુ આ જ વિકસીત ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.  રાધનપુર-સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ વિસ્તારે 22 વર્ષમાં અનેક ધારાસભ્યો આપ્યા પરંતુ..

આ બાબતે સરકારમાં અનેક રજૂઆતો બાદ પણ પરિસ્થિતિમાં સુધારો ન આવતા છેવટે ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતોની ભાજપને લીડ આપી છે. ત્યારે હવે આ વિસ્તારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે. આ વિસ્તારે 22 વર્ષમાં ભાજપને ચાર ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી, નાગરજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોરને જીતાડ્યા છતાં લોકોની પાયાની સુવિધાઓ પણ હલ થઈ નથી. 



મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્યે લખ્યો પત્ર

હાલના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વારાહીમાં બસ સ્ટેન્ડ બનાવવા, પીવાના પાણીની સમસ્યા હલ કરવા, સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોનો અભાવ, સરકારી કોલેજો મંજૂર કરવા, કોલેજના મકાન બનાવવા, સિંચાઇ માટે નર્મદાનું નેટવર્ક વધારવા સહિતની અનેક રજૂઆતોના પત્રો સરકારમાં પડ્યા છે. છતાં આ વિસ્તારની પરિસ્થિતિમાં સુધારો ન આવતાં છેવટે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.


પત્રમાં શેનો છે ઉલ્લેખ?

પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર એ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતની ભાજપને લીડ આપી છે‌ ત્યારે આ વિસ્તારના પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, નર્મદા કેનાલ અને રોડ રસ્તા સહિતના મહત્વના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે રાધનપુરની જનતા વતી તેમણે વિનંતી કરી છે... મહત્વનું છે કે ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્યો દ્વારા આવા પત્રો લખવામાં આવી રહ્યા છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.