સમસ્યાનું નિરાકરણ લાવવા માટે Patanના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, પત્રમાં લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:21

લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી છે. મતદાતા જ્યારે મતદાન કરે છે ત્યારે તે માને છે કે જ્યારે તેને સમસ્યા થશે તો તે પોતાની રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરી શકે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્યે કરી છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 



પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને પડે છે મુશ્કેલી

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. નળથી જળ પહોંચે છે, સારા રસ્તાઓ છે તેવી વાત અનેક વખત સાંભળી હશે.. પરંતુ આ જ વિકસીત ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.  રાધનપુર-સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ વિસ્તારે 22 વર્ષમાં અનેક ધારાસભ્યો આપ્યા પરંતુ..

આ બાબતે સરકારમાં અનેક રજૂઆતો બાદ પણ પરિસ્થિતિમાં સુધારો ન આવતા છેવટે ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતોની ભાજપને લીડ આપી છે. ત્યારે હવે આ વિસ્તારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે. આ વિસ્તારે 22 વર્ષમાં ભાજપને ચાર ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી, નાગરજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોરને જીતાડ્યા છતાં લોકોની પાયાની સુવિધાઓ પણ હલ થઈ નથી. 



મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્યે લખ્યો પત્ર

હાલના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વારાહીમાં બસ સ્ટેન્ડ બનાવવા, પીવાના પાણીની સમસ્યા હલ કરવા, સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોનો અભાવ, સરકારી કોલેજો મંજૂર કરવા, કોલેજના મકાન બનાવવા, સિંચાઇ માટે નર્મદાનું નેટવર્ક વધારવા સહિતની અનેક રજૂઆતોના પત્રો સરકારમાં પડ્યા છે. છતાં આ વિસ્તારની પરિસ્થિતિમાં સુધારો ન આવતાં છેવટે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.


પત્રમાં શેનો છે ઉલ્લેખ?

પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર એ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતની ભાજપને લીડ આપી છે‌ ત્યારે આ વિસ્તારના પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, નર્મદા કેનાલ અને રોડ રસ્તા સહિતના મહત્વના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે રાધનપુરની જનતા વતી તેમણે વિનંતી કરી છે... મહત્વનું છે કે ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્યો દ્વારા આવા પત્રો લખવામાં આવી રહ્યા છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.