Parliamentમાં BJP નેતા Meenakshi Lekhiએ કહ્યું કેમ પડે છે EDની રેડ? સાંભળો એ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-04 09:24:13

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સાંસદો દ્વારા આપવામાં આવતું નિવેદન સમાચારોની હેડલાઈન્સ બની જતું હોય છે. અમિત શાહે જે કાલે સંસદમાં ભાષણ આપ્યું તે વિશે ઘણી ચર્ચા થઈ. આ બધા વચ્ચે જ્યારે દિલ્હી વટહુકમ વિધેયકની ચર્ચા થઈ રહી ત્યારે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી એવું કંઈક બોલી ગયા કે તેની ચર્ચા ચારેયકોર થવા લાગી છે. પોતાના ભાષણ દરમિયાન EDની વાતો થઈ તો તેમણે કહ્યું કે શાંત રહો નહીં તો તમારા ઘરે ED આવી જશે. મતલબ કે તમારા ઘરે EDના દરોડા પડશે.  આ વાક્ય બોલ્યા પછી તેમણે કહ્યું કે આ મજાક હતું. પછી તે પોતાના સંબોધનમાં વ્યસ્ત થઈ ગયા. 

અમિત શાહે કેજરીવાલ સરકાર પર કર્યા હતા પ્રહાર 

દિલ્હીમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વચ્ચે ચાલતા ઘમાસાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ગઈકાલે જ દિલ્હીની આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે 2015 પછી દિલ્હીમાં એવી સરકાર આવી છે જેનો લક્ષ્ય માત્ર ઝઘડવાનું છે. ત્યારે સંસદમાં બીજેપીના નેતાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના નિવદેનમાં મિનાક્ષી લેખીએ કહ્યું કે જ્યારે દિલ્હીની જનતાને અસુવિધા પડે છે ત્યારે જનતા તેમનો સંપર્ક કરે છે ન તો આમ આદમી પાર્ટીનો. 

આમ આદમી પાર્ટીએ મિનાક્ષી લેખીના નિવેદન પર કર્યો કટાક્ષ

મિનાક્ષી લેખીના EDવાળા નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું છે કે સત્તાના નશામાં ચૂર મોદી સરકારની મંત્રીએ સંસદમાં વિપક્ષી સાંસદોને ખુલ્લેઆમ EDના દરોડા પડવાની ધમકી આપી. આ ધમકી ભરેલુ નિવેદન આ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે કે પીએમ મોદી, વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવા માટે EDની રેડનો ખોટો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ પણ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું કે આ ચેતાવણી છે કે ધમકી?


લોકોના મનમાં આવ્યો હશે આ વિચાર 

આ નિવેદનને સાંભળી લોકોના મનમાં આ જ વાત આવતી હશે કે વાત તો સાચી છે, જ્યારે જ્યારે કોઈ સરકાર વિરૂદ્ધ બોલે છે, કોઈ વિદ્રોહ કરે છે તો તેમના ઘરમાં EDની રેડ પડે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં આ વાત સાચી પડતી હોય તેવું લાગે છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .