Parliamentમાં BJP નેતા Meenakshi Lekhiએ કહ્યું કેમ પડે છે EDની રેડ? સાંભળો એ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-04 09:24:13

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સાંસદો દ્વારા આપવામાં આવતું નિવેદન સમાચારોની હેડલાઈન્સ બની જતું હોય છે. અમિત શાહે જે કાલે સંસદમાં ભાષણ આપ્યું તે વિશે ઘણી ચર્ચા થઈ. આ બધા વચ્ચે જ્યારે દિલ્હી વટહુકમ વિધેયકની ચર્ચા થઈ રહી ત્યારે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી એવું કંઈક બોલી ગયા કે તેની ચર્ચા ચારેયકોર થવા લાગી છે. પોતાના ભાષણ દરમિયાન EDની વાતો થઈ તો તેમણે કહ્યું કે શાંત રહો નહીં તો તમારા ઘરે ED આવી જશે. મતલબ કે તમારા ઘરે EDના દરોડા પડશે.  આ વાક્ય બોલ્યા પછી તેમણે કહ્યું કે આ મજાક હતું. પછી તે પોતાના સંબોધનમાં વ્યસ્ત થઈ ગયા. 

અમિત શાહે કેજરીવાલ સરકાર પર કર્યા હતા પ્રહાર 

દિલ્હીમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વચ્ચે ચાલતા ઘમાસાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ગઈકાલે જ દિલ્હીની આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે 2015 પછી દિલ્હીમાં એવી સરકાર આવી છે જેનો લક્ષ્ય માત્ર ઝઘડવાનું છે. ત્યારે સંસદમાં બીજેપીના નેતાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના નિવદેનમાં મિનાક્ષી લેખીએ કહ્યું કે જ્યારે દિલ્હીની જનતાને અસુવિધા પડે છે ત્યારે જનતા તેમનો સંપર્ક કરે છે ન તો આમ આદમી પાર્ટીનો. 

આમ આદમી પાર્ટીએ મિનાક્ષી લેખીના નિવેદન પર કર્યો કટાક્ષ

મિનાક્ષી લેખીના EDવાળા નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું છે કે સત્તાના નશામાં ચૂર મોદી સરકારની મંત્રીએ સંસદમાં વિપક્ષી સાંસદોને ખુલ્લેઆમ EDના દરોડા પડવાની ધમકી આપી. આ ધમકી ભરેલુ નિવેદન આ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે કે પીએમ મોદી, વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવા માટે EDની રેડનો ખોટો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ પણ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું કે આ ચેતાવણી છે કે ધમકી?


લોકોના મનમાં આવ્યો હશે આ વિચાર 

આ નિવેદનને સાંભળી લોકોના મનમાં આ જ વાત આવતી હશે કે વાત તો સાચી છે, જ્યારે જ્યારે કોઈ સરકાર વિરૂદ્ધ બોલે છે, કોઈ વિદ્રોહ કરે છે તો તેમના ઘરમાં EDની રેડ પડે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં આ વાત સાચી પડતી હોય તેવું લાગે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.