Parliamentમાં BJP નેતા Meenakshi Lekhiએ કહ્યું કેમ પડે છે EDની રેડ? સાંભળો એ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-04 09:24:13

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સાંસદો દ્વારા આપવામાં આવતું નિવેદન સમાચારોની હેડલાઈન્સ બની જતું હોય છે. અમિત શાહે જે કાલે સંસદમાં ભાષણ આપ્યું તે વિશે ઘણી ચર્ચા થઈ. આ બધા વચ્ચે જ્યારે દિલ્હી વટહુકમ વિધેયકની ચર્ચા થઈ રહી ત્યારે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી એવું કંઈક બોલી ગયા કે તેની ચર્ચા ચારેયકોર થવા લાગી છે. પોતાના ભાષણ દરમિયાન EDની વાતો થઈ તો તેમણે કહ્યું કે શાંત રહો નહીં તો તમારા ઘરે ED આવી જશે. મતલબ કે તમારા ઘરે EDના દરોડા પડશે.  આ વાક્ય બોલ્યા પછી તેમણે કહ્યું કે આ મજાક હતું. પછી તે પોતાના સંબોધનમાં વ્યસ્ત થઈ ગયા. 

અમિત શાહે કેજરીવાલ સરકાર પર કર્યા હતા પ્રહાર 

દિલ્હીમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વચ્ચે ચાલતા ઘમાસાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ગઈકાલે જ દિલ્હીની આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે 2015 પછી દિલ્હીમાં એવી સરકાર આવી છે જેનો લક્ષ્ય માત્ર ઝઘડવાનું છે. ત્યારે સંસદમાં બીજેપીના નેતાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના નિવદેનમાં મિનાક્ષી લેખીએ કહ્યું કે જ્યારે દિલ્હીની જનતાને અસુવિધા પડે છે ત્યારે જનતા તેમનો સંપર્ક કરે છે ન તો આમ આદમી પાર્ટીનો. 

આમ આદમી પાર્ટીએ મિનાક્ષી લેખીના નિવેદન પર કર્યો કટાક્ષ

મિનાક્ષી લેખીના EDવાળા નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું છે કે સત્તાના નશામાં ચૂર મોદી સરકારની મંત્રીએ સંસદમાં વિપક્ષી સાંસદોને ખુલ્લેઆમ EDના દરોડા પડવાની ધમકી આપી. આ ધમકી ભરેલુ નિવેદન આ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે કે પીએમ મોદી, વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવા માટે EDની રેડનો ખોટો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ પણ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું કે આ ચેતાવણી છે કે ધમકી?


લોકોના મનમાં આવ્યો હશે આ વિચાર 

આ નિવેદનને સાંભળી લોકોના મનમાં આ જ વાત આવતી હશે કે વાત તો સાચી છે, જ્યારે જ્યારે કોઈ સરકાર વિરૂદ્ધ બોલે છે, કોઈ વિદ્રોહ કરે છે તો તેમના ઘરમાં EDની રેડ પડે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં આ વાત સાચી પડતી હોય તેવું લાગે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.