જેતપુરના પેઢલા ગામે પ્રેમી સાથે પત્ની ઝડપાતા પતિએ કર્યો જીવલેણ હુમલો, હત્યાથી પંથકમાં ચકચાર


  • Published By :
  • Published Date : 2023-11-17 16:47:34

ગાંધીના ગુજરાતમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે. હત્યા, દુષ્કર્મ, છેડતી, દારૂ અને ડ્રગ્સની તસ્કરી વધી રહી છે. સાવ નજીવી બાબતે લોકો મારપીટ અને હત્યા કરવા પર ઉતરી આવે છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. પત્ની તેના પ્રેમી સાથે કામલીલામાં મગ્ન હતી ત્યારે જ પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કરતાં પ્રેમીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જ્યારે પત્નીને આડેધડ માર મારી હત્યા કરી નાખી હતી.


શું છે સમગ્ર મામલો?


મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા. આ બનવામાં સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમસંબંધ હોય જેથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા. ગત તા. 14 નવેમ્બરે સાંજના અરસામાં સંગીતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા, અને બન્ને દેહસુખ માણવામાં મગ્ન હતા. તે સમયે આરોપી પતિ લખન ત્યાં આવી ગયો હતો, અને પત્ની તથા પ્રેમીને કઢંગી હાલતમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે આરોપી પતિ લખને પત્નીને બેફામ માર મારતા તેણીનું મોત થયું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જે મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. સમગ્ર મામલે હત્યારા પતિની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.