જેતપુરના પેઢલા ગામે પ્રેમી સાથે પત્ની ઝડપાતા પતિએ કર્યો જીવલેણ હુમલો, હત્યાથી પંથકમાં ચકચાર


  • Published By :
  • Published Date : 2023-11-17 16:47:34

ગાંધીના ગુજરાતમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે. હત્યા, દુષ્કર્મ, છેડતી, દારૂ અને ડ્રગ્સની તસ્કરી વધી રહી છે. સાવ નજીવી બાબતે લોકો મારપીટ અને હત્યા કરવા પર ઉતરી આવે છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. પત્ની તેના પ્રેમી સાથે કામલીલામાં મગ્ન હતી ત્યારે જ પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કરતાં પ્રેમીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જ્યારે પત્નીને આડેધડ માર મારી હત્યા કરી નાખી હતી.


શું છે સમગ્ર મામલો?


મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા. આ બનવામાં સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમસંબંધ હોય જેથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા. ગત તા. 14 નવેમ્બરે સાંજના અરસામાં સંગીતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા, અને બન્ને દેહસુખ માણવામાં મગ્ન હતા. તે સમયે આરોપી પતિ લખન ત્યાં આવી ગયો હતો, અને પત્ની તથા પ્રેમીને કઢંગી હાલતમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે આરોપી પતિ લખને પત્નીને બેફામ માર મારતા તેણીનું મોત થયું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જે મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. સમગ્ર મામલે હત્યારા પતિની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.