દારૂ પીને 31stની ઉજવણી કરનારાઓ સામે પોલીસ એકશનમાં, DGP વિકાસ સહાયે આપ્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-12-31 16:40:27

આજે વર્ષના છેલ્લા દિવસ એટલે કે 31મી ડિસેમ્બરની દેશ અને વિદેશમાં ઉજવણી કરવામાં આવશે. રાજ્યના અમદાવાદ સહિતના શહેરોમાં પણ  ઉજવણી કરવા માટે લોકો તલપાપડ બન્યા છે. જો કે દારૂ પીને ઉજવણી ઈચ્છુક લોકોની ઈચ્છા પર પાણી ફેરવી નાખવા માટે ગુજરાત પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે.  DGP વિકાસ સહાય દ્વારા કહેવામાં આવ્યું છે કે થર્ટી ફર્સ્ટની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. 


પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ


રાજ્યમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર અને રાજ્યમાં પોલીસ સજ્જ અને સતર્ક બની છે. પોલીસ જવાનો 3 હજાર બ્રેથલાઇઝર્સ, 14 સ્પોટ ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને 52 ઇન્ટરેસ્પટર વાહનોથી સજ્જ કરવામાં આવ્યા છે. બ્રેથલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ થકી પોલીસ શેરીઓમાં પણ ચેકિંગ કરશે અને જાણશે કે કોઇ દારૂ કે ડ્રગ્સનું સેવન કરીને તો નથી ફરી રહ્યું ને.અમદાવાદમાં પણ પોલીસે કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે એ માટે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સીજી રોડ અને સિંધુભવન રોડ પર વધુ પોલીસ ફોર્સ તેનાત કરવામાં આવનારી છે, પોલીસ ફોર્સ સાથે શી ટીમ પણ હાજર હશે. તેમજ શહેરના અન્ય રસ્તાઓ, રિવરફ્રન્ટ, એસપી રોડ તથા એસજી હાઈવે પર પણ ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ તેનાત કરવામાં આવશે.


બેફામ વાહન ચાલકો પર પણ તવાઈ


અમદાવાદમાં 31 ડિસેમ્બરે રાત્રે ઉજવણી દરમિયાન છાકટા બનીને પૂરપાટ ઝડપે વાહનો હંકારીને દૂષણ કરતા લોકોને રોકવા માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ મુકવામાં આવશે. દારૂ અને ડ્રગ્સના સેવન અને તેની હેરફેર અંગે પોલીસ કર્મચારીઓને તેમના સોર્સને એક્ટિવ કરવા પણ જણાવવામાં આવ્યું છે. 52 ઇન્ટરસેપ્ટર્સ ઉપરાંત પોલીસ જવાનોને પોકેટ કોપ્સ પણ આપવામા આવશે. જેનાથી તેઓ શંકમદ અને હિસ્ટ્રીશીટર અંગેની વિગતો જાણી શકશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓની તાજેતરમાં એક બેઠક મળી હતી. જેમાં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે, હોટલ સંચાલકોને જરા પણ શંકાસ્પદ કંઇ જણાય તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે એ રીતે સતર્ક કરવામાં આવે. આ ઉપરાંત શહેરમાં સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી થાય એ માટે સોશિયલ મીડિયા સેન્ટર્સ અને કંટ્રોલ રૂમ વચ્ચે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત તાલમેલ જાળવવામાં આવશે. શહેરના રસ્તાઓ અને શેરીઓમાં પોલીસ ફોર્સની સાથે શી ટીમ પણ તેનાત રાખવામાં આવશે. મહિલાઓ માટે મહિલા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું છે, જેથી મહિલાઓ પીડિત હોય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.