પોરબંદરમાં ઘરની સામે શૌચાલય હોવાથી સ્થાનિકોને પડતી મુશ્કેલી, રજૂઆત બાદ જે થયું તે...


  • Published By :
  • Published Date : 2023-07-20 15:22:48

પોરબંદર, બાપુનું જન્મસ્થળ, વર્ષો જતા લોહીયાળ અને માફીયાગીરી વાળી રાજનીતિનું સાક્ષી અને છેલ્લા કેટલાય સમયથી આજુબાજુનું બધું વિકસીત થઈ ગયા પછી પણ પોતે એકલું અટુલું મહેસુસ કરતું શહેર. આ શહેરને કુદરત અને ભુગોળે બધું જ આપ્યું છે. પણ સ્થાનિક રાજકારણ અને પાલીકાનો અણઘડ વહિવટ કેટકેટલું આપવાનું ચુકી જતો હશે કે જેના કારણે સ્થાનિકો કલેક્ટરની સાથે રહીને નગરપાલીકાના પ્રમુખને ઘેરી રહ્યા છે.

 

કલેક્ટરના મનાઈ હુકમ બાદ પણ બાંધકામ નથી રોકાયું

વાત શરૂ થાય છે ખીજળી પ્લોટથી, પાલિકાએ ઝાડી-ઝાંખરા હટાવીને ત્યાં જાહેર શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. બાપુનું શહેર છે, શૌચાલય અને સ્વચ્છતાથી કોઈને પણ શું વાંધો હોઈ શકે. પણ એ શૌચાલયનું બાંધકામ એ રીતે થઈ રહ્યા હતા જેથી વર્ષોથી ત્યાં વસતા સ્થાનિકોને ભાગે દરવાજો ખોલે તો શૌચાલય અને અપેક્ષીત રીતે જ એની જાળવણીના અભાવે ફેલાતી ગંદકી અને દુર્ગંધ જ ભાગમાં આવે. અને એટલે જ શરૂ થયો પાલિકા અને સ્થાનિકોનો સંઘર્ષ. સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી. સોમવારે કલેક્ટરે સ્થિતિ સમજીને મનાઈ હુકમ આપ્યો તો પોરબંદર પાલિકાના પ્રમુખનો ઈગો હર્ટ થયો એવું સ્થાનિકોએ કહ્યું. લોકોએ ત્યાં સુધી કહ્યું કે પોરબંદરમાં સ્થિતિ એ છે કે કુછ ભી કરને કા જયકાંત શીકરે કા ઈગો નહીં હર્ટ કરને કા. અને એના ચક્કરમાં કલેક્ટરના મનાઈ હુકમ પછી પણ બાંધકામ ચાલુ જ કરી દેવાયું. 

ભાજપ પ્રત્યે લોકોની નારજગી હતી

આ વિષયમાં સ્થાનિકોએ ભેગા થઈને કન્ટેમ્ટપની ફરીયાદ તો આપી છે પણ સૌથી રસપ્રદ વાત છે પોરબંદરના રાજનીતિક સમિકરણ, એવું કહેવાયુ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી બાબુ બોખીરીયાના હારવાનું કારણ પણ પાલીકાના પ્રમુખ સરજૂ કારીયાનો વહિવટ અને એના કારણે લોકોની ભાજપ પરની નારાજગી હતી, આ વખતે પણ આ મામલે ખુલીને લડી રહેલા પોરબંદર ભાજપ યુવા મોરચાના નેતા છે. આમ ભાજપની જ યુવા પાંખ ભાજપની જ સામે લડે એ ચિત્રમાં સંગઠન અને સરકાર શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે.

કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ચાલતો ઈગો

હજી સુધી અનેક વખત તમે એવું તો સાંભળ્યુ હશે કે અધિકારીઓ નેતાનું નથી ગાંઠતા, પણ નેતા માત્ર અહંકારના કારણે અધિકારીના કરેલા નિર્ણયની સામે પડીને એને ગણકારવાનું જ બંધ કરી દે તો...? સત્તામાં કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચેનો આ સંઘર્ષ પોરબંદરના લોકોને ભોગવવો પડી રહ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.