પોરબંદરમાં ઘરની સામે શૌચાલય હોવાથી સ્થાનિકોને પડતી મુશ્કેલી, રજૂઆત બાદ જે થયું તે...


  • Published By :
  • Published Date : 2023-07-20 15:22:48

પોરબંદર, બાપુનું જન્મસ્થળ, વર્ષો જતા લોહીયાળ અને માફીયાગીરી વાળી રાજનીતિનું સાક્ષી અને છેલ્લા કેટલાય સમયથી આજુબાજુનું બધું વિકસીત થઈ ગયા પછી પણ પોતે એકલું અટુલું મહેસુસ કરતું શહેર. આ શહેરને કુદરત અને ભુગોળે બધું જ આપ્યું છે. પણ સ્થાનિક રાજકારણ અને પાલીકાનો અણઘડ વહિવટ કેટકેટલું આપવાનું ચુકી જતો હશે કે જેના કારણે સ્થાનિકો કલેક્ટરની સાથે રહીને નગરપાલીકાના પ્રમુખને ઘેરી રહ્યા છે.

 

કલેક્ટરના મનાઈ હુકમ બાદ પણ બાંધકામ નથી રોકાયું

વાત શરૂ થાય છે ખીજળી પ્લોટથી, પાલિકાએ ઝાડી-ઝાંખરા હટાવીને ત્યાં જાહેર શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. બાપુનું શહેર છે, શૌચાલય અને સ્વચ્છતાથી કોઈને પણ શું વાંધો હોઈ શકે. પણ એ શૌચાલયનું બાંધકામ એ રીતે થઈ રહ્યા હતા જેથી વર્ષોથી ત્યાં વસતા સ્થાનિકોને ભાગે દરવાજો ખોલે તો શૌચાલય અને અપેક્ષીત રીતે જ એની જાળવણીના અભાવે ફેલાતી ગંદકી અને દુર્ગંધ જ ભાગમાં આવે. અને એટલે જ શરૂ થયો પાલિકા અને સ્થાનિકોનો સંઘર્ષ. સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી. સોમવારે કલેક્ટરે સ્થિતિ સમજીને મનાઈ હુકમ આપ્યો તો પોરબંદર પાલિકાના પ્રમુખનો ઈગો હર્ટ થયો એવું સ્થાનિકોએ કહ્યું. લોકોએ ત્યાં સુધી કહ્યું કે પોરબંદરમાં સ્થિતિ એ છે કે કુછ ભી કરને કા જયકાંત શીકરે કા ઈગો નહીં હર્ટ કરને કા. અને એના ચક્કરમાં કલેક્ટરના મનાઈ હુકમ પછી પણ બાંધકામ ચાલુ જ કરી દેવાયું. 

ભાજપ પ્રત્યે લોકોની નારજગી હતી

આ વિષયમાં સ્થાનિકોએ ભેગા થઈને કન્ટેમ્ટપની ફરીયાદ તો આપી છે પણ સૌથી રસપ્રદ વાત છે પોરબંદરના રાજનીતિક સમિકરણ, એવું કહેવાયુ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી બાબુ બોખીરીયાના હારવાનું કારણ પણ પાલીકાના પ્રમુખ સરજૂ કારીયાનો વહિવટ અને એના કારણે લોકોની ભાજપ પરની નારાજગી હતી, આ વખતે પણ આ મામલે ખુલીને લડી રહેલા પોરબંદર ભાજપ યુવા મોરચાના નેતા છે. આમ ભાજપની જ યુવા પાંખ ભાજપની જ સામે લડે એ ચિત્રમાં સંગઠન અને સરકાર શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે.

કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ચાલતો ઈગો

હજી સુધી અનેક વખત તમે એવું તો સાંભળ્યુ હશે કે અધિકારીઓ નેતાનું નથી ગાંઠતા, પણ નેતા માત્ર અહંકારના કારણે અધિકારીના કરેલા નિર્ણયની સામે પડીને એને ગણકારવાનું જ બંધ કરી દે તો...? સત્તામાં કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચેનો આ સંઘર્ષ પોરબંદરના લોકોને ભોગવવો પડી રહ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.