પોરબંદરમાં અનૈતિક સંબંધોને સંતોષવા પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-09 18:54:46

 પોરબંદર શહેરના છાયા દેવજીચોકના રહેણાંક મકાનમાં રાજુ ઓડેદરા નામના યુવાનની હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરી કલાકોમાં ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સબંધમાં પતિનો કાંટો કાઢવા હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા દેવજીચોક વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઓડેદરાની હત્યા થઈ હતી.આ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, રાજુભાઈ ઓડેદરાની પત્ની કૃપા ઉર્ફે કપુનો પ્રેમ સબંધ રાજકોટના નિતેષ વેકરીયા જોડે ચાલી રહ્યો હતો. નિતેષ વેકરીયા, કૃપા અને કૃપાનો ભાઈ વિશાલ સામાણીએ રાજુ ઓડેદરાની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.અને રાજુ ઓડેદરાની હત્યાને અંજામ આપ્યો હતો.આ મામલે કમલાબાગ સ્ટેશનમાં કલમ 302 હેઠળ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


શું હતો સમગ્ર મામલો?


પોરબંદર શહેરના છાંયા દેવજી ચોકમાં રહેતા રાજુ ઓડેદરાના આઠ વર્ષ પૂર્વે છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી ઉર્ફે કપૂ સાથે રાજુ ઓડેદરા એ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષની દીકરી કિંજલ છે. છેલ્લા સાત આઠ મહિનાથી પુત્રવધુ કૃપાલી ઉર્ફે કપૂ દીકરી કિંજલ સાથે પતિ રાજુથી અલગ પોતાના પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ ખાતે રહી હતી. તેમજ તેના છ મહિના બાદ કૃપાલી દીકરી કિંજલ સાથે ફરી રાજુ પાસે રહેવા આવી હતી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ વેકરીયા સાથે રહેવા જતી રહી હતી.જેથી રાજુ કોઈ પણ રીતે પત્ની કૃપાલીને ઘરે લાવવા માંગતો હતો. રાજૂની પત્ની કૃપાલીને ઘરે લાવવામાં આવ્યા બાદ  કૃપાલીએ કાવતરું ઘડ્યું હતું અને તેના પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીના ભાઈ વિશાલ સામાણી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી