પોરબંદરમાં અનૈતિક સંબંધોને સંતોષવા પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-09 18:54:46

 પોરબંદર શહેરના છાયા દેવજીચોકના રહેણાંક મકાનમાં રાજુ ઓડેદરા નામના યુવાનની હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરી કલાકોમાં ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સબંધમાં પતિનો કાંટો કાઢવા હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા દેવજીચોક વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઓડેદરાની હત્યા થઈ હતી.આ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, રાજુભાઈ ઓડેદરાની પત્ની કૃપા ઉર્ફે કપુનો પ્રેમ સબંધ રાજકોટના નિતેષ વેકરીયા જોડે ચાલી રહ્યો હતો. નિતેષ વેકરીયા, કૃપા અને કૃપાનો ભાઈ વિશાલ સામાણીએ રાજુ ઓડેદરાની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.અને રાજુ ઓડેદરાની હત્યાને અંજામ આપ્યો હતો.આ મામલે કમલાબાગ સ્ટેશનમાં કલમ 302 હેઠળ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


શું હતો સમગ્ર મામલો?


પોરબંદર શહેરના છાંયા દેવજી ચોકમાં રહેતા રાજુ ઓડેદરાના આઠ વર્ષ પૂર્વે છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી ઉર્ફે કપૂ સાથે રાજુ ઓડેદરા એ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષની દીકરી કિંજલ છે. છેલ્લા સાત આઠ મહિનાથી પુત્રવધુ કૃપાલી ઉર્ફે કપૂ દીકરી કિંજલ સાથે પતિ રાજુથી અલગ પોતાના પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ ખાતે રહી હતી. તેમજ તેના છ મહિના બાદ કૃપાલી દીકરી કિંજલ સાથે ફરી રાજુ પાસે રહેવા આવી હતી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ વેકરીયા સાથે રહેવા જતી રહી હતી.જેથી રાજુ કોઈ પણ રીતે પત્ની કૃપાલીને ઘરે લાવવા માંગતો હતો. રાજૂની પત્ની કૃપાલીને ઘરે લાવવામાં આવ્યા બાદ  કૃપાલીએ કાવતરું ઘડ્યું હતું અને તેના પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીના ભાઈ વિશાલ સામાણી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?