Rajasthanમાં જનતાએ Ashok Gehlot પાસેથી છીનવી લીધું 'રાજ'! હાર પાછળ Ashok Gehlot જવાબદાર છે?


  • Published By :
  • Published Date : 2023-12-03 17:21:24

રાજસ્થાનની પરંપરા યથાવત હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનમાં સત્તાની રોટી પલટી ગઈ. અત્યાર સુધીના પરિણામો જોતાં તમામ ચર્ચાઓથી વિપરીત સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, વાસ્તવમાં રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા રહી છે. પરંતુ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની જનઉપયોગી સરકારી યોજનાઓને કારણે રાજ્યમાં એન્ટિ-ઈન્કમ્બન્સી નહિવત હતી. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં વાપસી કરી શકે છે.

Rajasthan CM Ashok Gehlot Will Arrived Gujarat On 10 October 2022 |  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 10 ઓક્ટોબરે આવશે ગુજરાત, જુઓ વીડિયો

ગેહલોતની વ્યક્તિગત ભૂલો કોંગ્રેસને ભારે પડી?

કોંગ્રેસની રાજસ્થાનમાં હાર પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.  આ કારણો પાર્ટીનાં સ્તર પર પણ હોઈ શકે છે. જે રીતે જો કોંગ્રેસની સરકાર બની હોત તો તેની પાછળ અશોક ગહેલોતનો હાથ હોય તેવી જ રીતે જો પાર્ટી હારી ગઈ છે તો તેની પાછળ પણ અશોક ગહેલોતની કેટલીક વ્યક્તિગત ભૂલો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અનેક એવી ભૂલો કરી જેના લીધે સીટ તેમના હાથમાંથી નિકળી ગઈ. પાર્ટીની સાથે રહેવું જરૂરી હોય છે પણ પોતાનું અલગ વર્ચસ્વ બનાવવાનાં ચક્કરમાં કદાચ ગહેલોત પાર્ટીનાં નેતા હોવાનું ચૂકી ગયાં હોય તેવું લાગ્યું. 

અશોક ગેહલોતની અંગત ભૂલ હાર પાછળ અનેક અંશે જવાબદાર!

કોંગ્રેસને રાજ્યમાં પૂર્ણ બહુમતી ન મળવાના ઘણા કારણો છે. આ કારણો પૈકી ઘણી ભૂલો પાર્ટી સ્તરે પણ છે. પરંતુ જે રીતે કોંગ્રેસની સરકાર બનશે તો અશોક ગેહલોત સૌથી મોટી ભૂમિકામાં હોત પણ હવે પાર્ટી સત્તામાં નહીં આવતા અશોક ગેહલોતની કેટલીક અંગત ભૂલો તેના માટે જવાબદાર છે.  અશોક ગેહલોતે ઘણી ભૂલો કરી છે જે તેઓ ઇચ્છતા તો ટાળી શક્યા હોત. ગેહલોત જાણતા હતા કે તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તેની પાર્ટી પર પ્રતિકૂળ અસર થવાની છે, પરંતુ તેમની નજર નક્કી કરતી વખતે તેઓ ભૂલી ગયા કે પક્ષ સિવાય કોઈ નેતાનું અસ્તિત્વ નથી.



કાર્યકર્તાઓ સાથે વાત કરવાનું ટાળવાનું ગેહલોતે! 

રાજસ્થાનના રાજકારણને નજીકથી નિહાળનારાઓનું માનવું છે કે અશોક ગેહલોતે ક્યારેય કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ કર્યો નથી. જો તે ઇચ્છતા હોત તો તેમણે ચૂંટણી લડવાથી ના પાડવા માટે તેમના પદ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ અશોક ગેહલોત ડબલ ગેમ રમી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતે ઈચ્છે છે કે પાર્ટીને પૂર્ણ બહુમત ન મળે. કારણ કે તેમને ખાતરી છે કે એકવાર તેમને પૂર્ણ બહુમતી મળી જશે તો સરકાર બનાવવાની ચાવી તેમના હાથમાંથી નીકળી જશે અને પાર્ટી હાઈકમાન્ડ પાસે જશે. ગેહલોત જાણે છે કે, જો તેમને પૂર્ણ બહુમતી નહીં મળે તો પાર્ટીમાં તેમનો પ્રભાવ જળવાઈ રહેશે અને કોઈક રીતે ચાલાકી કરીને તેઓ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ જ કારણ હતું કે, ગેહલોતે તેમના સમર્થક બળવાખોરો સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું ટાળ્યું હતું. તેવી ચર્ચાઓ થઈ રહી છે. 

વારંવાર પેપરલીકનો મુદ્દો પણ નડ્યો હોય

રાજસ્થાન સરકારી નોકરીઓમાં થતાં ઘોટાળાનું કેન્દ્ર બની ગયું. પાંચ વર્ષમાં આશરે 17 વખત પેપરલીક થઈ ગયાં. રાજ્યમાં નોકરીઓની સેલ લાગી ગઈ અને પૈસા આપીને કોઈ ખરીદી પણ રહ્યું હતું. રાજ્યમાં 18થી 21 વર્ષનાં યુવા વોટર્સની સંખ્યા આશરે 66 લાખ છે. તેઓ નોકરીમાં ભ્રષ્ટાચાર અને પેપરલીકથી દુખી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો.

CM અશોક ગેહલોત અને સચિન પાયલટને પહેલા ઝાટકે મળી ગઈ ટીકિટ, જાણો ક્યાંથી લડશે  ચૂંટણી I Congress releases first list for Rajasthan Election, Gehlot to  contest from Sardarpura, Pilot from Tonk 

ગેહલોત અને પાયલોટની લડાઈની પરિણામ પર પડી અસર?

શું ગેહલોત અને સચિન પાયલટના વિખવાદના કારણે રાજસ્થાન કોંગ્રેસના હાથમાંથી ગયું તે પણ એક સવાલ થઈ રહ્યો છે. સચિન પાયલટ સાથેની લડાઈમાં અશોક ગેહલોત કોઈપણ કિંમતે સચિન પાયલટને કંઈ આપવા તૈયાર ન હતા. સચિને ડેપ્યુટી સીએમનું પદ પણ ગુમાવ્યું એટલું જ નહીં તેમને સંગઠનમાં કોઈ પદ પણ આપવામાં આવ્યું ન હતું. કારણ કે ગેહલોત આ માટે તૈયાર ન હતા. સચિન માટે ઘણી વખત અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. જ્યારે સચિન પાયલટે 2018માં કોંગ્રેસને સત્તામાં લાવવા માટે કેટલી મહેનત કરી હતી તે બધા જાણે છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.