Rajasthanમાં PM Modiએ સભા ગજવી, જનસભામાં તેમણે કહ્યું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં....


  • Published By :
  • Published Date : 2023-11-18 15:23:35

મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ માટે ગઈકાલે મતદાન પૂર્ણ થયું ત્યારે હવે રાજકીય પાર્ટીનું સંપૂર્ણ ફોક્સ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પર છે. થોડા દિવસો બાદ રાજસ્થાનમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે.  પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવી રહ્યા છે.

 

જનતાને આપ્યું નવું સૂત્ર - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર! 

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ તેજ થઈ ગયો છે. જનસભામાં રાજનેતાઓ પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી રાજકીય પાર્ટીઓ શાબ્દિક પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળ્યો છે. એક તરફ પીએમ મોદીએ રાજસ્થાનમાં જનસભાને સંબોધી હતી તો બીજી તરફ રાજસ્થાનમાં  કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભરતપુર ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન એક નવું સૂત્ર સામે આવ્યું - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર.


રાજસ્થાનની સરકાર પર પીએમ મોદીએ કર્યા પ્રહાર 

રાજસ્થાનમાં તેમજ તેલંગાણામાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મતદાતાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી રાજસ્થાનમાં અનેક જનસભામાં સંબોધન કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજે પીએમ મોદી રાજસ્થાનના ભરતપુરમાં જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે એક તરફ ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે તો બીજી સરફ રાજસ્થાનમાં વિતેલા પાંચ વર્ષોમાં શું થયું તે તમે જાણો છો. કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર, તોફાનો અને અપરાધોમાં અગ્રણી બનાવી દીધું છે.


કોંગ્રેસ પણ જોરશોરથી કરી રહી છે ચૂંટણી પ્રચાર 

તે ઉપરાંત તેમણે કહ્યુંકે કોંગ્રેસે રાજસ્થાનની મહિલાઓનો વિશ્વાસ તોડી નાખ્યો છે. જે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મહિલાઓ રેપના ખોટા કેસ દર્જ કરાવે છે તે શું મહિલાઓની સુરક્ષા કરી શકશે?કોંગ્રેસની વિચારશ્રેણી કેવી છે તેનો અંદાજો કોંગ્રેસના એક મંત્રીના નિવેદન પરથી જાણી શકાય. તે ઉપરાંત અનેક વાતોને લઈ પીએમએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.