Rajasthanમાં PM Modiએ સભા ગજવી, જનસભામાં તેમણે કહ્યું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં....


  • Published By :
  • Published Date : 2023-11-18 15:23:35

મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ માટે ગઈકાલે મતદાન પૂર્ણ થયું ત્યારે હવે રાજકીય પાર્ટીનું સંપૂર્ણ ફોક્સ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પર છે. થોડા દિવસો બાદ રાજસ્થાનમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે.  પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવી રહ્યા છે.

 

જનતાને આપ્યું નવું સૂત્ર - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર! 

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ તેજ થઈ ગયો છે. જનસભામાં રાજનેતાઓ પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી રાજકીય પાર્ટીઓ શાબ્દિક પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળ્યો છે. એક તરફ પીએમ મોદીએ રાજસ્થાનમાં જનસભાને સંબોધી હતી તો બીજી તરફ રાજસ્થાનમાં  કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભરતપુર ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન એક નવું સૂત્ર સામે આવ્યું - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર.


રાજસ્થાનની સરકાર પર પીએમ મોદીએ કર્યા પ્રહાર 

રાજસ્થાનમાં તેમજ તેલંગાણામાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મતદાતાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી રાજસ્થાનમાં અનેક જનસભામાં સંબોધન કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજે પીએમ મોદી રાજસ્થાનના ભરતપુરમાં જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે એક તરફ ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે તો બીજી સરફ રાજસ્થાનમાં વિતેલા પાંચ વર્ષોમાં શું થયું તે તમે જાણો છો. કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર, તોફાનો અને અપરાધોમાં અગ્રણી બનાવી દીધું છે.


કોંગ્રેસ પણ જોરશોરથી કરી રહી છે ચૂંટણી પ્રચાર 

તે ઉપરાંત તેમણે કહ્યુંકે કોંગ્રેસે રાજસ્થાનની મહિલાઓનો વિશ્વાસ તોડી નાખ્યો છે. જે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મહિલાઓ રેપના ખોટા કેસ દર્જ કરાવે છે તે શું મહિલાઓની સુરક્ષા કરી શકશે?કોંગ્રેસની વિચારશ્રેણી કેવી છે તેનો અંદાજો કોંગ્રેસના એક મંત્રીના નિવેદન પરથી જાણી શકાય. તે ઉપરાંત અનેક વાતોને લઈ પીએમએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .