Rajasthanમાં PM Modiએ સભા ગજવી, જનસભામાં તેમણે કહ્યું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 15:23:35

મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ માટે ગઈકાલે મતદાન પૂર્ણ થયું ત્યારે હવે રાજકીય પાર્ટીનું સંપૂર્ણ ફોક્સ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પર છે. થોડા દિવસો બાદ રાજસ્થાનમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે.  પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવી રહ્યા છે.

 

જનતાને આપ્યું નવું સૂત્ર - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર! 

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ તેજ થઈ ગયો છે. જનસભામાં રાજનેતાઓ પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી રાજકીય પાર્ટીઓ શાબ્દિક પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળ્યો છે. એક તરફ પીએમ મોદીએ રાજસ્થાનમાં જનસભાને સંબોધી હતી તો બીજી તરફ રાજસ્થાનમાં  કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભરતપુર ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન એક નવું સૂત્ર સામે આવ્યું - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર.


રાજસ્થાનની સરકાર પર પીએમ મોદીએ કર્યા પ્રહાર 

રાજસ્થાનમાં તેમજ તેલંગાણામાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મતદાતાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી રાજસ્થાનમાં અનેક જનસભામાં સંબોધન કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજે પીએમ મોદી રાજસ્થાનના ભરતપુરમાં જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે એક તરફ ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે તો બીજી સરફ રાજસ્થાનમાં વિતેલા પાંચ વર્ષોમાં શું થયું તે તમે જાણો છો. કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર, તોફાનો અને અપરાધોમાં અગ્રણી બનાવી દીધું છે.


કોંગ્રેસ પણ જોરશોરથી કરી રહી છે ચૂંટણી પ્રચાર 

તે ઉપરાંત તેમણે કહ્યુંકે કોંગ્રેસે રાજસ્થાનની મહિલાઓનો વિશ્વાસ તોડી નાખ્યો છે. જે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મહિલાઓ રેપના ખોટા કેસ દર્જ કરાવે છે તે શું મહિલાઓની સુરક્ષા કરી શકશે?કોંગ્રેસની વિચારશ્રેણી કેવી છે તેનો અંદાજો કોંગ્રેસના એક મંત્રીના નિવેદન પરથી જાણી શકાય. તે ઉપરાંત અનેક વાતોને લઈ પીએમએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. 



મંગળવારે મોડી રાતે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.

આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.