Rajasthanમાં Priyanka Gandhiએ ઉઠાવ્યો Manipurનો મુદ્દો, PM Modi અને World Cup મેચને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-23 10:26:57

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પોતાના અંતિમ તબક્કાએ પહોંચ્યો છે. 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટી તમામ પ્રયાસો કરી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જનસભામાં જે પ્રમાણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે દર્શવાને છે કે રાજનીતિ કેટલા નીચલા સ્તરે પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી આડકતરી રીતે પીએમ મોદીને પનૌતી કહે છે તો પીએમ પણ રાહુલ ગાંધીને આડકતરી રીતે મુર્ખોના સરદાર કહ્યા હતા. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધીએ જનસભા દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મણિપુર મુદ્દાને પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનમાં ઉઠાવ્યો!

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની મેચ રમાઈ હતી. મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર પનૌતી શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ છે તે તો જાણીએ છીએ. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓ પર તેઓ બીજી પાર્ટી પર નિશાન સાધે છે. ત્યારે મણિપુરનો મુદ્દો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યો હતો. એક જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ મણિપુરને લઈ વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મણિપુર આપણા દેશનો ભાગ છે. ત્યાં ભયંકર હિંસા થઈ રહી છે. અનેકો ઘર બળી રહ્યા છે પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. ત્યારે જ્યાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ હતી તો ત્યાં પીએમ મોદી સ્ટેડિયમ પહોંચી ગયા. 


મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે? 

મહત્વનું છે કે મણિપુરમાં હિંસા ઓછું થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી ત્યાંની પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ ખરાબ થઈ હી છે. મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર મૌન દેખાઈ રહી છે. કડક કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વિપક્ષ દ્વારા અનેક વખત સવાલ પૂછવામાં આવ્યો છે કે શા માટે પીએમ મોદી હજી સુધી એકવાર પણ મણિપુર નથી ગયા? મણિપુર મુદ્દે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ બોલવાનું ટાળી રહ્યા છે. ભડકે બળેલું મણિપુર ક્યારે શાંત થશે તે એક પ્રશ્ન છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.