Rajasthanમાં Priyanka Gandhiએ ઉઠાવ્યો Manipurનો મુદ્દો, PM Modi અને World Cup મેચને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-23 10:26:57

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પોતાના અંતિમ તબક્કાએ પહોંચ્યો છે. 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટી તમામ પ્રયાસો કરી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જનસભામાં જે પ્રમાણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે દર્શવાને છે કે રાજનીતિ કેટલા નીચલા સ્તરે પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી આડકતરી રીતે પીએમ મોદીને પનૌતી કહે છે તો પીએમ પણ રાહુલ ગાંધીને આડકતરી રીતે મુર્ખોના સરદાર કહ્યા હતા. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધીએ જનસભા દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મણિપુર મુદ્દાને પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનમાં ઉઠાવ્યો!

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની મેચ રમાઈ હતી. મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર પનૌતી શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ છે તે તો જાણીએ છીએ. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓ પર તેઓ બીજી પાર્ટી પર નિશાન સાધે છે. ત્યારે મણિપુરનો મુદ્દો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યો હતો. એક જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ મણિપુરને લઈ વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મણિપુર આપણા દેશનો ભાગ છે. ત્યાં ભયંકર હિંસા થઈ રહી છે. અનેકો ઘર બળી રહ્યા છે પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. ત્યારે જ્યાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ હતી તો ત્યાં પીએમ મોદી સ્ટેડિયમ પહોંચી ગયા. 


મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે? 

મહત્વનું છે કે મણિપુરમાં હિંસા ઓછું થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી ત્યાંની પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ ખરાબ થઈ હી છે. મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર મૌન દેખાઈ રહી છે. કડક કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વિપક્ષ દ્વારા અનેક વખત સવાલ પૂછવામાં આવ્યો છે કે શા માટે પીએમ મોદી હજી સુધી એકવાર પણ મણિપુર નથી ગયા? મણિપુર મુદ્દે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ બોલવાનું ટાળી રહ્યા છે. ભડકે બળેલું મણિપુર ક્યારે શાંત થશે તે એક પ્રશ્ન છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે