આવા ક્રુર ચોર વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:02:58

આવી ક્રૂરતા !! ઝાંઝર માટે વૃદ્ધાના પગ કાપી નાખ્યા 

લોકોની ક્રૂર માનસિકતા છતી કરતા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. એવામાં વધુ એક ઘટના રાજસ્થાનથી જોવા મળી છે. રવિવારે  રાજસ્થાનના જયપુરથી હ્રદય કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જયપુરના મીના કોલોનીમાં પોતાની પુત્રી સાથે જમુના દેવી નામના વૃદ્ધા રહે છે. રવિવારે વહેલી સવારે ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર જમુના દેવીનું મોઢું દબાવી ઢસડીને બાથરૂમમાં લઇ ગયા હતા અને તેમના પગ કાપીને ચાંદીની ઝાંઝર લઈને ફરાર થઈ ગયા હતા.


વૃદ્ધાની ઉંમર 100 વર્ષથી વધુ છે

સમગ્ર મામલે પોલીસએ જણાવ્યુ કે, સવારના 5 વાગ્યાની આસપાસ આરોપીઓ ઘરમાં ઘૂસી જમુના દેવીના પગ કાપી નાખ્યા હતા. ત્યારબાદ ચાંદીની બંગડી પણ લૂંટી લીધી હતી. આરોપીઓની ક્રૂરતા એટલેથી અટકી નહોતી ,આરોપીઓ જમુના દેવીના ગળામાં રહેલ હારને લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ આવી જશે એ ડરથી આરોપીઓ નાસી ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ જયારે તેમની પુત્રી જગ્યા ત્યારે તેમણે જોયું કે જમુના દેવી તેમના પલંગ પર નથી ,ત્યારે તેમને જમુના દેવીને બાથરૂમમાં બેભાન હાલતમાં જોયા. તેમણે તાત્કાલિક જમુના દેવીને હોસ્પિટલમાં ખસેડયા હતાં, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.