આવા ક્રુર ચોર વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:02:58

આવી ક્રૂરતા !! ઝાંઝર માટે વૃદ્ધાના પગ કાપી નાખ્યા 

લોકોની ક્રૂર માનસિકતા છતી કરતા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. એવામાં વધુ એક ઘટના રાજસ્થાનથી જોવા મળી છે. રવિવારે  રાજસ્થાનના જયપુરથી હ્રદય કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જયપુરના મીના કોલોનીમાં પોતાની પુત્રી સાથે જમુના દેવી નામના વૃદ્ધા રહે છે. રવિવારે વહેલી સવારે ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર જમુના દેવીનું મોઢું દબાવી ઢસડીને બાથરૂમમાં લઇ ગયા હતા અને તેમના પગ કાપીને ચાંદીની ઝાંઝર લઈને ફરાર થઈ ગયા હતા.


વૃદ્ધાની ઉંમર 100 વર્ષથી વધુ છે

સમગ્ર મામલે પોલીસએ જણાવ્યુ કે, સવારના 5 વાગ્યાની આસપાસ આરોપીઓ ઘરમાં ઘૂસી જમુના દેવીના પગ કાપી નાખ્યા હતા. ત્યારબાદ ચાંદીની બંગડી પણ લૂંટી લીધી હતી. આરોપીઓની ક્રૂરતા એટલેથી અટકી નહોતી ,આરોપીઓ જમુના દેવીના ગળામાં રહેલ હારને લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ આવી જશે એ ડરથી આરોપીઓ નાસી ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ જયારે તેમની પુત્રી જગ્યા ત્યારે તેમણે જોયું કે જમુના દેવી તેમના પલંગ પર નથી ,ત્યારે તેમને જમુના દેવીને બાથરૂમમાં બેભાન હાલતમાં જોયા. તેમણે તાત્કાલિક જમુના દેવીને હોસ્પિટલમાં ખસેડયા હતાં, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .