આવા ક્રુર ચોર વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:02:58

આવી ક્રૂરતા !! ઝાંઝર માટે વૃદ્ધાના પગ કાપી નાખ્યા 

લોકોની ક્રૂર માનસિકતા છતી કરતા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. એવામાં વધુ એક ઘટના રાજસ્થાનથી જોવા મળી છે. રવિવારે  રાજસ્થાનના જયપુરથી હ્રદય કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જયપુરના મીના કોલોનીમાં પોતાની પુત્રી સાથે જમુના દેવી નામના વૃદ્ધા રહે છે. રવિવારે વહેલી સવારે ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર જમુના દેવીનું મોઢું દબાવી ઢસડીને બાથરૂમમાં લઇ ગયા હતા અને તેમના પગ કાપીને ચાંદીની ઝાંઝર લઈને ફરાર થઈ ગયા હતા.


વૃદ્ધાની ઉંમર 100 વર્ષથી વધુ છે

સમગ્ર મામલે પોલીસએ જણાવ્યુ કે, સવારના 5 વાગ્યાની આસપાસ આરોપીઓ ઘરમાં ઘૂસી જમુના દેવીના પગ કાપી નાખ્યા હતા. ત્યારબાદ ચાંદીની બંગડી પણ લૂંટી લીધી હતી. આરોપીઓની ક્રૂરતા એટલેથી અટકી નહોતી ,આરોપીઓ જમુના દેવીના ગળામાં રહેલ હારને લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ આવી જશે એ ડરથી આરોપીઓ નાસી ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ જયારે તેમની પુત્રી જગ્યા ત્યારે તેમણે જોયું કે જમુના દેવી તેમના પલંગ પર નથી ,ત્યારે તેમને જમુના દેવીને બાથરૂમમાં બેભાન હાલતમાં જોયા. તેમણે તાત્કાલિક જમુના દેવીને હોસ્પિટલમાં ખસેડયા હતાં, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે