Rajkotમાં 15 વર્ષીય કિશોરને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત, પરિવાર સાથે તહેવાર મનાવવા આવ્યો અને હવે ઉઠશે અર્થી!


  • Published By :
  • Published Date : 2023-11-18 13:21:51

વિદ્યાર્થીઓમાં તેમજ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સો કોરોના બાદ વધ્યા છે તેવા સમાચાર પ્રતિદિન તમારા સુધી આવી રહ્યા છે. ઘણા સમયથી એવો દિવસ નહીં ગયો હોય જ્યારે હાર્ટ એટેકને કારણે કોઈનું મોત નહીં થયું હોય. હાર્ટ એટેકના કિસ્સોમાં થતો ધરખમ વધારો ચિંતાજનક છે. એક તરફ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તો બીજી તરફ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ પૂજન ઠુમ્મર છે. 

15 year old Poojan died of heart attack in Rajkot Heart Attack Death: રાજકોટમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, 15 વર્ષનો કિશોર ચાલુ બાઇકે અચાનક ઢળી પડ્યો

15 વર્ષીય કિશોરને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં વધ્યા છે. પહેલા વડીલોને હાર્ટ એટેક આવતો હતો તેવું વિચારતા હતા, પરંતુ કોરોના બાદ સીન બદલાયો. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધવા લાગ્યા. યુવાનો તો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના પરંતુ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતક પોતાના પિતા સાથે વાળ કપાવવા માટે જઈ રહ્યો હતો. બાઈક પર બેઠો પરંતુ રસ્તામાં તે અચાનક ઢળી પડ્યો. તાત્કાલિક સારવાર માટે કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

જે કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તે હૈદરાબાદમાં અભ્યાસ કરતો હતો. આજે તે હૈદરાબાદ પરત ફરવાનો હતો પરંતુ તે પહેલા તે અનંતની યાત્રાએ નિકળી ગયો. નાની વયે પુત્રને ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેકે ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે ચિંતા વધી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.