Rajkotમાં 15 વર્ષીય કિશોરને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત, પરિવાર સાથે તહેવાર મનાવવા આવ્યો અને હવે ઉઠશે અર્થી!


  • Published By :
  • Published Date : 2023-11-18 13:21:51

વિદ્યાર્થીઓમાં તેમજ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સો કોરોના બાદ વધ્યા છે તેવા સમાચાર પ્રતિદિન તમારા સુધી આવી રહ્યા છે. ઘણા સમયથી એવો દિવસ નહીં ગયો હોય જ્યારે હાર્ટ એટેકને કારણે કોઈનું મોત નહીં થયું હોય. હાર્ટ એટેકના કિસ્સોમાં થતો ધરખમ વધારો ચિંતાજનક છે. એક તરફ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તો બીજી તરફ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ પૂજન ઠુમ્મર છે. 

15 year old Poojan died of heart attack in Rajkot Heart Attack Death: રાજકોટમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, 15 વર્ષનો કિશોર ચાલુ બાઇકે અચાનક ઢળી પડ્યો

15 વર્ષીય કિશોરને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં વધ્યા છે. પહેલા વડીલોને હાર્ટ એટેક આવતો હતો તેવું વિચારતા હતા, પરંતુ કોરોના બાદ સીન બદલાયો. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધવા લાગ્યા. યુવાનો તો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના પરંતુ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતક પોતાના પિતા સાથે વાળ કપાવવા માટે જઈ રહ્યો હતો. બાઈક પર બેઠો પરંતુ રસ્તામાં તે અચાનક ઢળી પડ્યો. તાત્કાલિક સારવાર માટે કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

જે કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તે હૈદરાબાદમાં અભ્યાસ કરતો હતો. આજે તે હૈદરાબાદ પરત ફરવાનો હતો પરંતુ તે પહેલા તે અનંતની યાત્રાએ નિકળી ગયો. નાની વયે પુત્રને ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેકે ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે ચિંતા વધી છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."