Rajkotમાં 15 વર્ષીય કિશોરને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત, પરિવાર સાથે તહેવાર મનાવવા આવ્યો અને હવે ઉઠશે અર્થી!


  • Published By :
  • Published Date : 2023-11-18 13:21:51

વિદ્યાર્થીઓમાં તેમજ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સો કોરોના બાદ વધ્યા છે તેવા સમાચાર પ્રતિદિન તમારા સુધી આવી રહ્યા છે. ઘણા સમયથી એવો દિવસ નહીં ગયો હોય જ્યારે હાર્ટ એટેકને કારણે કોઈનું મોત નહીં થયું હોય. હાર્ટ એટેકના કિસ્સોમાં થતો ધરખમ વધારો ચિંતાજનક છે. એક તરફ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તો બીજી તરફ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ પૂજન ઠુમ્મર છે. 

15 year old Poojan died of heart attack in Rajkot Heart Attack Death: રાજકોટમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, 15 વર્ષનો કિશોર ચાલુ બાઇકે અચાનક ઢળી પડ્યો

15 વર્ષીય કિશોરને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં વધ્યા છે. પહેલા વડીલોને હાર્ટ એટેક આવતો હતો તેવું વિચારતા હતા, પરંતુ કોરોના બાદ સીન બદલાયો. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધવા લાગ્યા. યુવાનો તો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના પરંતુ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતક પોતાના પિતા સાથે વાળ કપાવવા માટે જઈ રહ્યો હતો. બાઈક પર બેઠો પરંતુ રસ્તામાં તે અચાનક ઢળી પડ્યો. તાત્કાલિક સારવાર માટે કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

જે કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તે હૈદરાબાદમાં અભ્યાસ કરતો હતો. આજે તે હૈદરાબાદ પરત ફરવાનો હતો પરંતુ તે પહેલા તે અનંતની યાત્રાએ નિકળી ગયો. નાની વયે પુત્રને ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેકે ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે ચિંતા વધી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.