Rajkotમાં 15 વર્ષીય કિશોરને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત, પરિવાર સાથે તહેવાર મનાવવા આવ્યો અને હવે ઉઠશે અર્થી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 13:21:51

વિદ્યાર્થીઓમાં તેમજ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સો કોરોના બાદ વધ્યા છે તેવા સમાચાર પ્રતિદિન તમારા સુધી આવી રહ્યા છે. ઘણા સમયથી એવો દિવસ નહીં ગયો હોય જ્યારે હાર્ટ એટેકને કારણે કોઈનું મોત નહીં થયું હોય. હાર્ટ એટેકના કિસ્સોમાં થતો ધરખમ વધારો ચિંતાજનક છે. એક તરફ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તો બીજી તરફ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ પૂજન ઠુમ્મર છે. 

15 year old Poojan died of heart attack in Rajkot Heart Attack Death: રાજકોટમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, 15 વર્ષનો કિશોર ચાલુ બાઇકે અચાનક ઢળી પડ્યો

15 વર્ષીય કિશોરને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા યુવાનોમાં વધ્યા છે. પહેલા વડીલોને હાર્ટ એટેક આવતો હતો તેવું વિચારતા હતા, પરંતુ કોરોના બાદ સીન બદલાયો. યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધવા લાગ્યા. યુવાનો તો શિકાર બની રહ્યા છે હાર્ટ એટેકના પરંતુ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મૃતક પોતાના પિતા સાથે વાળ કપાવવા માટે જઈ રહ્યો હતો. બાઈક પર બેઠો પરંતુ રસ્તામાં તે અચાનક ઢળી પડ્યો. તાત્કાલિક સારવાર માટે કિશોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. 

યુનિ.માં વિદ્યાર્થીઓને સીપીઆર ટેકનિક શીખવાડતો કોર્સ શરુ કરાશે | msu will  start course on cpr technique for students

શિક્ષકોને અપાશે સીપીઆર ટ્રેનિંગ

જે કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તે હૈદરાબાદમાં અભ્યાસ કરતો હતો. આજે તે હૈદરાબાદ પરત ફરવાનો હતો પરંતુ તે પહેલા તે અનંતની યાત્રાએ નિકળી ગયો. નાની વયે પુત્રને ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેકે ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે ચિંતા વધી છે.  



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.