રાજકોટમાં દારુ પીધેલી હાલતમાં સામાન્ય તકરારમાં પોલીસ કર્મચારીએ યુવકો પર લાકડી વડે કર્યો હુમલો


  • Published By : Admin
  • Published Date : 2025-04-07 19:41:32

આ તો શાંતિપ્રિય ગુજરાત છે આ વાત કદાચ હવે પન્નાઓમાં લખાશે. કેમ કે એ જ ગુજરાતમાં રક્ષક ભક્ષક બની રહ્યો છે. મર્યાદા, ફરજ કર્તવ્ય ભૂલી રહ્યો છે. જવાબદારી ભૂલીને બેફામ બની રહ્યો છે. હું વાત રાજ્યની પોલીસની કરી રહી છું.. દર બે દિવસે સામે આવતી ઘટનાઓ પોલીસ કર્મચારીઓ અને તેમની કામગીરી પર સવાલ કરી રહ્યાં છે. એ તસવીરો આપણને સલામત ગુજરાતની કેમ નથી લાગતી.  એ તસવીરો આપણને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કેમ નથી કરાવતી એ સવાલ સતત થઈ રહ્યો છે. રાજકોટમાં પોલીસ કર્મચારી બેફામ બન્યો અને યુવાનોને જાહેરમાં માર માર્યો. એ યુવકોની ભુલ શું હતી તેના વિશે વાત કરવી છે..

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો. બેફામ માર માર્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસ લખેલી કારમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે એ ફુલ નશાની હાલતમાં હતા.. નામ એમનું દિવ્યરાજસિંહ જાડેજા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

આપણે ત્યાં સાવ સરળ ભાષામાં એવું કહેવાય કે બાળક હોય તે શીખે ક્યાંથી મોટા જે કરતા હોય તેનામાંથી.. આપણે ત્યાં તો દર થોડા દિવસે રસ્તા પર ન્યાય કરતી પોલીસ દેખાય.. અને એને જોઈને ગુંડાતત્વોને પણ હિંમત આવે રસ્તા પર ન્યાય કરવાની. સૌથી મોટી વાત જ એ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે. સામાન્ય રીતે વાહન ટકરાય તો કોઈપણ વ્યક્તિ કહેવાનું છે કે સરખી રીતે ચલાવો. પોરબંદરમાં પણ કરણ ઓડેદરા સાથે આ જ થયું. પોલીસના કહેવા પ્રમાણે કરણ નશામાં હશે પણ જે રીતે પોલીસે એને કસ્ટડીમાં માર માર્યો. એ શું પોલીસની ખાખીને શોભે એવું કામ હતું. અરવલ્લીમાં મંત્રીના દિકરાઓએ ચાઈનીઝની લારી વાળાને માર્યું. દરેકને કાયદો જાણે બાપની જાગીર છે એમ હાથમાં લઈને જ ફરવું છે. પોતાને જજ બની જવું છે. પોલીસ હોવાનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે તમે ભુલ કરો તો એની સજા તમારા શરીર પર ખાખી છે એટલે તમારા માટે ન હોય. દરેક માટે કાયદો સરખો જ છે. પણ સવાલ એ છે કે લાગુ ક્યાં થાય છે. પોલીસ કર્મચારી કર્તવ્ય નિષ્ઠા કે ફરજ જો સમજતો હોત તો દારુ પીને જ ન નીકળ્યો હોત. તો બેફામ ગાડી પણ ન ચલાવી હોત અને ટકરાવવાની પણ નોબત ન આવી હોત. કાયદાનું ભાન માત્ર ગુનેગારોને નથી કરાવવાનું હોતું. આવા બેફામ બનેલા પોલીસ કર્મચારીઓને પણ કરાવવાનું હોય છે. રાજકોટની પોલીસ આ જોઈ લો તમારા જ ડિપાર્ટમેન્ટનો એક માણસ પોતાની કરતુતોને કારણે આખા ડિપાર્ટમેન્ટને બદનામ કરી રહ્યો છે.. હવે શું સજા કરશો..વરઘોડો કાઢશો. કાર્યવાહી કરશો. આવી જ તસવીરો ગુજરાતને સેફ , સલામત સુરક્ષિત કે શાંત નથી મહેસુસ કરવા દેતી.. અપેક્ષા રાખીએ કે કાયદાને તોડનાર દરેક વ્યક્તિ પર કડક કાર્યવાહી થાય. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.