રાજકોટમાં દારુ પીધેલી હાલતમાં સામાન્ય તકરારમાં પોલીસ કર્મચારીએ યુવકો પર લાકડી વડે કર્યો હુમલો


  • Published By : Admin
  • Published Date : 2025-04-07 19:41:32

આ તો શાંતિપ્રિય ગુજરાત છે આ વાત કદાચ હવે પન્નાઓમાં લખાશે. કેમ કે એ જ ગુજરાતમાં રક્ષક ભક્ષક બની રહ્યો છે. મર્યાદા, ફરજ કર્તવ્ય ભૂલી રહ્યો છે. જવાબદારી ભૂલીને બેફામ બની રહ્યો છે. હું વાત રાજ્યની પોલીસની કરી રહી છું.. દર બે દિવસે સામે આવતી ઘટનાઓ પોલીસ કર્મચારીઓ અને તેમની કામગીરી પર સવાલ કરી રહ્યાં છે. એ તસવીરો આપણને સલામત ગુજરાતની કેમ નથી લાગતી.  એ તસવીરો આપણને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કેમ નથી કરાવતી એ સવાલ સતત થઈ રહ્યો છે. રાજકોટમાં પોલીસ કર્મચારી બેફામ બન્યો અને યુવાનોને જાહેરમાં માર માર્યો. એ યુવકોની ભુલ શું હતી તેના વિશે વાત કરવી છે..

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો. બેફામ માર માર્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસ લખેલી કારમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે એ ફુલ નશાની હાલતમાં હતા.. નામ એમનું દિવ્યરાજસિંહ જાડેજા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

આપણે ત્યાં સાવ સરળ ભાષામાં એવું કહેવાય કે બાળક હોય તે શીખે ક્યાંથી મોટા જે કરતા હોય તેનામાંથી.. આપણે ત્યાં તો દર થોડા દિવસે રસ્તા પર ન્યાય કરતી પોલીસ દેખાય.. અને એને જોઈને ગુંડાતત્વોને પણ હિંમત આવે રસ્તા પર ન્યાય કરવાની. સૌથી મોટી વાત જ એ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે. સામાન્ય રીતે વાહન ટકરાય તો કોઈપણ વ્યક્તિ કહેવાનું છે કે સરખી રીતે ચલાવો. પોરબંદરમાં પણ કરણ ઓડેદરા સાથે આ જ થયું. પોલીસના કહેવા પ્રમાણે કરણ નશામાં હશે પણ જે રીતે પોલીસે એને કસ્ટડીમાં માર માર્યો. એ શું પોલીસની ખાખીને શોભે એવું કામ હતું. અરવલ્લીમાં મંત્રીના દિકરાઓએ ચાઈનીઝની લારી વાળાને માર્યું. દરેકને કાયદો જાણે બાપની જાગીર છે એમ હાથમાં લઈને જ ફરવું છે. પોતાને જજ બની જવું છે. પોલીસ હોવાનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે તમે ભુલ કરો તો એની સજા તમારા શરીર પર ખાખી છે એટલે તમારા માટે ન હોય. દરેક માટે કાયદો સરખો જ છે. પણ સવાલ એ છે કે લાગુ ક્યાં થાય છે. પોલીસ કર્મચારી કર્તવ્ય નિષ્ઠા કે ફરજ જો સમજતો હોત તો દારુ પીને જ ન નીકળ્યો હોત. તો બેફામ ગાડી પણ ન ચલાવી હોત અને ટકરાવવાની પણ નોબત ન આવી હોત. કાયદાનું ભાન માત્ર ગુનેગારોને નથી કરાવવાનું હોતું. આવા બેફામ બનેલા પોલીસ કર્મચારીઓને પણ કરાવવાનું હોય છે. રાજકોટની પોલીસ આ જોઈ લો તમારા જ ડિપાર્ટમેન્ટનો એક માણસ પોતાની કરતુતોને કારણે આખા ડિપાર્ટમેન્ટને બદનામ કરી રહ્યો છે.. હવે શું સજા કરશો..વરઘોડો કાઢશો. કાર્યવાહી કરશો. આવી જ તસવીરો ગુજરાતને સેફ , સલામત સુરક્ષિત કે શાંત નથી મહેસુસ કરવા દેતી.. અપેક્ષા રાખીએ કે કાયદાને તોડનાર દરેક વ્યક્તિ પર કડક કાર્યવાહી થાય. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.