રાજકોટમાં દારુ પીધેલી હાલતમાં સામાન્ય તકરારમાં પોલીસ કર્મચારીએ યુવકો પર લાકડી વડે કર્યો હુમલો


  • Published By : Admin
  • Published Date : 2025-04-07 19:41:32

આ તો શાંતિપ્રિય ગુજરાત છે આ વાત કદાચ હવે પન્નાઓમાં લખાશે. કેમ કે એ જ ગુજરાતમાં રક્ષક ભક્ષક બની રહ્યો છે. મર્યાદા, ફરજ કર્તવ્ય ભૂલી રહ્યો છે. જવાબદારી ભૂલીને બેફામ બની રહ્યો છે. હું વાત રાજ્યની પોલીસની કરી રહી છું.. દર બે દિવસે સામે આવતી ઘટનાઓ પોલીસ કર્મચારીઓ અને તેમની કામગીરી પર સવાલ કરી રહ્યાં છે. એ તસવીરો આપણને સલામત ગુજરાતની કેમ નથી લાગતી.  એ તસવીરો આપણને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કેમ નથી કરાવતી એ સવાલ સતત થઈ રહ્યો છે. રાજકોટમાં પોલીસ કર્મચારી બેફામ બન્યો અને યુવાનોને જાહેરમાં માર માર્યો. એ યુવકોની ભુલ શું હતી તેના વિશે વાત કરવી છે..

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો. બેફામ માર માર્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસ લખેલી કારમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે એ ફુલ નશાની હાલતમાં હતા.. નામ એમનું દિવ્યરાજસિંહ જાડેજા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

આપણે ત્યાં સાવ સરળ ભાષામાં એવું કહેવાય કે બાળક હોય તે શીખે ક્યાંથી મોટા જે કરતા હોય તેનામાંથી.. આપણે ત્યાં તો દર થોડા દિવસે રસ્તા પર ન્યાય કરતી પોલીસ દેખાય.. અને એને જોઈને ગુંડાતત્વોને પણ હિંમત આવે રસ્તા પર ન્યાય કરવાની. સૌથી મોટી વાત જ એ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે. સામાન્ય રીતે વાહન ટકરાય તો કોઈપણ વ્યક્તિ કહેવાનું છે કે સરખી રીતે ચલાવો. પોરબંદરમાં પણ કરણ ઓડેદરા સાથે આ જ થયું. પોલીસના કહેવા પ્રમાણે કરણ નશામાં હશે પણ જે રીતે પોલીસે એને કસ્ટડીમાં માર માર્યો. એ શું પોલીસની ખાખીને શોભે એવું કામ હતું. અરવલ્લીમાં મંત્રીના દિકરાઓએ ચાઈનીઝની લારી વાળાને માર્યું. દરેકને કાયદો જાણે બાપની જાગીર છે એમ હાથમાં લઈને જ ફરવું છે. પોતાને જજ બની જવું છે. પોલીસ હોવાનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે તમે ભુલ કરો તો એની સજા તમારા શરીર પર ખાખી છે એટલે તમારા માટે ન હોય. દરેક માટે કાયદો સરખો જ છે. પણ સવાલ એ છે કે લાગુ ક્યાં થાય છે. પોલીસ કર્મચારી કર્તવ્ય નિષ્ઠા કે ફરજ જો સમજતો હોત તો દારુ પીને જ ન નીકળ્યો હોત. તો બેફામ ગાડી પણ ન ચલાવી હોત અને ટકરાવવાની પણ નોબત ન આવી હોત. કાયદાનું ભાન માત્ર ગુનેગારોને નથી કરાવવાનું હોતું. આવા બેફામ બનેલા પોલીસ કર્મચારીઓને પણ કરાવવાનું હોય છે. રાજકોટની પોલીસ આ જોઈ લો તમારા જ ડિપાર્ટમેન્ટનો એક માણસ પોતાની કરતુતોને કારણે આખા ડિપાર્ટમેન્ટને બદનામ કરી રહ્યો છે.. હવે શું સજા કરશો..વરઘોડો કાઢશો. કાર્યવાહી કરશો. આવી જ તસવીરો ગુજરાતને સેફ , સલામત સુરક્ષિત કે શાંત નથી મહેસુસ કરવા દેતી.. અપેક્ષા રાખીએ કે કાયદાને તોડનાર દરેક વ્યક્તિ પર કડક કાર્યવાહી થાય. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .