રાજકોટમાં દારુ પીધેલી હાલતમાં સામાન્ય તકરારમાં પોલીસ કર્મચારીએ યુવકો પર લાકડી વડે કર્યો હુમલો


  • Published By : Admin
  • Published Date : 2025-04-07 19:41:32

આ તો શાંતિપ્રિય ગુજરાત છે આ વાત કદાચ હવે પન્નાઓમાં લખાશે. કેમ કે એ જ ગુજરાતમાં રક્ષક ભક્ષક બની રહ્યો છે. મર્યાદા, ફરજ કર્તવ્ય ભૂલી રહ્યો છે. જવાબદારી ભૂલીને બેફામ બની રહ્યો છે. હું વાત રાજ્યની પોલીસની કરી રહી છું.. દર બે દિવસે સામે આવતી ઘટનાઓ પોલીસ કર્મચારીઓ અને તેમની કામગીરી પર સવાલ કરી રહ્યાં છે. એ તસવીરો આપણને સલામત ગુજરાતની કેમ નથી લાગતી.  એ તસવીરો આપણને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કેમ નથી કરાવતી એ સવાલ સતત થઈ રહ્યો છે. રાજકોટમાં પોલીસ કર્મચારી બેફામ બન્યો અને યુવાનોને જાહેરમાં માર માર્યો. એ યુવકોની ભુલ શું હતી તેના વિશે વાત કરવી છે..

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો. બેફામ માર માર્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસ લખેલી કારમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે એ ફુલ નશાની હાલતમાં હતા.. નામ એમનું દિવ્યરાજસિંહ જાડેજા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

આપણે ત્યાં સાવ સરળ ભાષામાં એવું કહેવાય કે બાળક હોય તે શીખે ક્યાંથી મોટા જે કરતા હોય તેનામાંથી.. આપણે ત્યાં તો દર થોડા દિવસે રસ્તા પર ન્યાય કરતી પોલીસ દેખાય.. અને એને જોઈને ગુંડાતત્વોને પણ હિંમત આવે રસ્તા પર ન્યાય કરવાની. સૌથી મોટી વાત જ એ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે. સામાન્ય રીતે વાહન ટકરાય તો કોઈપણ વ્યક્તિ કહેવાનું છે કે સરખી રીતે ચલાવો. પોરબંદરમાં પણ કરણ ઓડેદરા સાથે આ જ થયું. પોલીસના કહેવા પ્રમાણે કરણ નશામાં હશે પણ જે રીતે પોલીસે એને કસ્ટડીમાં માર માર્યો. એ શું પોલીસની ખાખીને શોભે એવું કામ હતું. અરવલ્લીમાં મંત્રીના દિકરાઓએ ચાઈનીઝની લારી વાળાને માર્યું. દરેકને કાયદો જાણે બાપની જાગીર છે એમ હાથમાં લઈને જ ફરવું છે. પોતાને જજ બની જવું છે. પોલીસ હોવાનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે તમે ભુલ કરો તો એની સજા તમારા શરીર પર ખાખી છે એટલે તમારા માટે ન હોય. દરેક માટે કાયદો સરખો જ છે. પણ સવાલ એ છે કે લાગુ ક્યાં થાય છે. પોલીસ કર્મચારી કર્તવ્ય નિષ્ઠા કે ફરજ જો સમજતો હોત તો દારુ પીને જ ન નીકળ્યો હોત. તો બેફામ ગાડી પણ ન ચલાવી હોત અને ટકરાવવાની પણ નોબત ન આવી હોત. કાયદાનું ભાન માત્ર ગુનેગારોને નથી કરાવવાનું હોતું. આવા બેફામ બનેલા પોલીસ કર્મચારીઓને પણ કરાવવાનું હોય છે. રાજકોટની પોલીસ આ જોઈ લો તમારા જ ડિપાર્ટમેન્ટનો એક માણસ પોતાની કરતુતોને કારણે આખા ડિપાર્ટમેન્ટને બદનામ કરી રહ્યો છે.. હવે શું સજા કરશો..વરઘોડો કાઢશો. કાર્યવાહી કરશો. આવી જ તસવીરો ગુજરાતને સેફ , સલામત સુરક્ષિત કે શાંત નથી મહેસુસ કરવા દેતી.. અપેક્ષા રાખીએ કે કાયદાને તોડનાર દરેક વ્યક્તિ પર કડક કાર્યવાહી થાય. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.