આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? સગા બાપે દિકરીને ગર્ભવતી બનાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 22:05:29

Story by Samir Parmar

આપણા સંબંધો ક્યાં જઈ રહ્યા છે એ જ ખબર નથી પડી રહી. માણસની હવસે સંબંધની સીમાની રેખાને ઠેકડો મારીને ઓળંગી દીધી છે. રાજકોટમાં ઘટના ઘટી છે, સાંભળશો તો તમેં ધ્રુજી ઉઠશો, તમારી આંખના આંસુ રોકી નહીં શકો. કારણ કે સગા બાપે 18 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દિકરીને પેટમાં દુખતા તેણે માતાને ફરિયાદ કરી હતી. મા પોતાની દિકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ ત્યારે ખબર પડી કે દિકરીને દોઢ માસનો ગર્ભ છે. 18 વર્ષની દિકરીની માએ પૂછપરછ કરી તો તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી ગઈ......


એ મા પર શું વીતી હશે જ્યારે તેને પતિની કરતૂતની ખબર પડી...

રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં રિક્ષા ચાલક બાપે 18 વર્ષની કુમળી દિકરીને પત્ની ઘરે ના હતી ત્યારે પીંખી નાખી હતી. માતાને આ વાતની ખબર ના હતી. દિકરીએ પણ માતાને પિતાના આ હદ સુધીની કરતૂતની કહી ના હતી. દિકરીને જ્યારે ગર્ભ રહી ગયું અને પોતાની માતાને પેટમાં દુખવાની ફરિયાદ કરી ત્યારે માતા તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ જે ઘટના ઘટી તે તમને ધ્રુજાવી દેશે. 


18 વર્ષની કિશોરી બોલી, "ગર્ભ પપ્પાનો છે..." 

ડોક્ટરના રિપોર્ટમાં 18 વર્ષની દિકરી ગર્ભવતી હોવાની ખબર પડી. માતા પણ સાથે જ હતી. માતાએ દિકરીને શું થયું તે જાણવા બધુ પૂછ્યું. માતા દિકરીને પૂછતી જ રહી હતી કે બધુ કેવી રીતે થયું. દિકરી કંઈ ના બોલી શકી, બસ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી. અંતે દિકરીએ જે કહ્યું તે સાંભળીને માતાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હશે. 


દિકરી 11 વર્ષની હતી ત્યારથી બાપ અડપલા કરતો હતો 

દિકરીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેનો બાપે જ ગર્ભ રાખી દીધો હતો. દિકરી જ્યારે 11 વર્ષની હતી ત્યારથી બાપે આવી હરકતો શરૂ કરી દીધી હતી. માતાને ખબર હતી કે અડપલા કરે છે પણ આ હદ સુધી વાત પહોંચી જશે તે માતાને ખબર ના હતી. માતાએ પતિની કરતૂત સામે જ્યારે ફરિયાદ કરતી ત્યારે તેનો પતિ તેને મારતો હતો. દિકરી પણ કંઈ કરી શકતી ના હતી. કરે પણ શું? કહે તો કહે પણ કોને અને કહે તો કહે પણ શું?


રાજકોટ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી 

રાજકોટ એ ડિવિઝન પોલીસના વિસ્તારની આ ઘટના છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે દિકરીના બાપ પર પોક્સો હેઠળ ફરિયાદ કરી છે. પોલીસે જે કલમ હેઠળ સજા કરી છે તે અંતર્ગત બાપને 10 વર્ષની સજા કે આજીવન જેલ પણ થઈ શકે છે. આ ગંભીર ગુનામાં બાપને કડકમાં કડક સજા થાય તેના માટે સ્પેશિયલ કોર્ટમાં સ્પેશિયલ વકીલ નિમાયા છે. 


જી હાં! આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પણ કળિયુગમાં પણ આવી સ્થિતિ કોઈના જીવનમાં ના આવવી જોઈએ. આપણો સમાજ કઈ બાજુ વળાંક લઈ રહ્યો છે? આવા બાપ હોય? સગા બાપે પોતાની ફૂલ જેવી દિકરીની ઝીંદગી નરક બનાવી દીધી. આ ઘટના બાદ દિકરીની માતા પણ કરુણ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ છે. સમગ્ર મામલે હવે કેવી સજા થશે તે કોર્ટની સુનાવણી બાદ જ ખબર પડશે પણ આપણે સારા સમાજની રચના કરવી જ પડશે નહીં તો......  





સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.