આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? સગા બાપે દિકરીને ગર્ભવતી બનાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 22:05:29

Story by Samir Parmar

આપણા સંબંધો ક્યાં જઈ રહ્યા છે એ જ ખબર નથી પડી રહી. માણસની હવસે સંબંધની સીમાની રેખાને ઠેકડો મારીને ઓળંગી દીધી છે. રાજકોટમાં ઘટના ઘટી છે, સાંભળશો તો તમેં ધ્રુજી ઉઠશો, તમારી આંખના આંસુ રોકી નહીં શકો. કારણ કે સગા બાપે 18 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દિકરીને પેટમાં દુખતા તેણે માતાને ફરિયાદ કરી હતી. મા પોતાની દિકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ ત્યારે ખબર પડી કે દિકરીને દોઢ માસનો ગર્ભ છે. 18 વર્ષની દિકરીની માએ પૂછપરછ કરી તો તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી ગઈ......


એ મા પર શું વીતી હશે જ્યારે તેને પતિની કરતૂતની ખબર પડી...

રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં રિક્ષા ચાલક બાપે 18 વર્ષની કુમળી દિકરીને પત્ની ઘરે ના હતી ત્યારે પીંખી નાખી હતી. માતાને આ વાતની ખબર ના હતી. દિકરીએ પણ માતાને પિતાના આ હદ સુધીની કરતૂતની કહી ના હતી. દિકરીને જ્યારે ગર્ભ રહી ગયું અને પોતાની માતાને પેટમાં દુખવાની ફરિયાદ કરી ત્યારે માતા તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ જે ઘટના ઘટી તે તમને ધ્રુજાવી દેશે. 


18 વર્ષની કિશોરી બોલી, "ગર્ભ પપ્પાનો છે..." 

ડોક્ટરના રિપોર્ટમાં 18 વર્ષની દિકરી ગર્ભવતી હોવાની ખબર પડી. માતા પણ સાથે જ હતી. માતાએ દિકરીને શું થયું તે જાણવા બધુ પૂછ્યું. માતા દિકરીને પૂછતી જ રહી હતી કે બધુ કેવી રીતે થયું. દિકરી કંઈ ના બોલી શકી, બસ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી. અંતે દિકરીએ જે કહ્યું તે સાંભળીને માતાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હશે. 


દિકરી 11 વર્ષની હતી ત્યારથી બાપ અડપલા કરતો હતો 

દિકરીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેનો બાપે જ ગર્ભ રાખી દીધો હતો. દિકરી જ્યારે 11 વર્ષની હતી ત્યારથી બાપે આવી હરકતો શરૂ કરી દીધી હતી. માતાને ખબર હતી કે અડપલા કરે છે પણ આ હદ સુધી વાત પહોંચી જશે તે માતાને ખબર ના હતી. માતાએ પતિની કરતૂત સામે જ્યારે ફરિયાદ કરતી ત્યારે તેનો પતિ તેને મારતો હતો. દિકરી પણ કંઈ કરી શકતી ના હતી. કરે પણ શું? કહે તો કહે પણ કોને અને કહે તો કહે પણ શું?


રાજકોટ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી 

રાજકોટ એ ડિવિઝન પોલીસના વિસ્તારની આ ઘટના છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે દિકરીના બાપ પર પોક્સો હેઠળ ફરિયાદ કરી છે. પોલીસે જે કલમ હેઠળ સજા કરી છે તે અંતર્ગત બાપને 10 વર્ષની સજા કે આજીવન જેલ પણ થઈ શકે છે. આ ગંભીર ગુનામાં બાપને કડકમાં કડક સજા થાય તેના માટે સ્પેશિયલ કોર્ટમાં સ્પેશિયલ વકીલ નિમાયા છે. 


જી હાં! આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પણ કળિયુગમાં પણ આવી સ્થિતિ કોઈના જીવનમાં ના આવવી જોઈએ. આપણો સમાજ કઈ બાજુ વળાંક લઈ રહ્યો છે? આવા બાપ હોય? સગા બાપે પોતાની ફૂલ જેવી દિકરીની ઝીંદગી નરક બનાવી દીધી. આ ઘટના બાદ દિકરીની માતા પણ કરુણ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ છે. સમગ્ર મામલે હવે કેવી સજા થશે તે કોર્ટની સુનાવણી બાદ જ ખબર પડશે પણ આપણે સારા સમાજની રચના કરવી જ પડશે નહીં તો......  





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .