આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? સગા બાપે દિકરીને ગર્ભવતી બનાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 22:05:29

Story by Samir Parmar

આપણા સંબંધો ક્યાં જઈ રહ્યા છે એ જ ખબર નથી પડી રહી. માણસની હવસે સંબંધની સીમાની રેખાને ઠેકડો મારીને ઓળંગી દીધી છે. રાજકોટમાં ઘટના ઘટી છે, સાંભળશો તો તમેં ધ્રુજી ઉઠશો, તમારી આંખના આંસુ રોકી નહીં શકો. કારણ કે સગા બાપે 18 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દિકરીને પેટમાં દુખતા તેણે માતાને ફરિયાદ કરી હતી. મા પોતાની દિકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ ત્યારે ખબર પડી કે દિકરીને દોઢ માસનો ગર્ભ છે. 18 વર્ષની દિકરીની માએ પૂછપરછ કરી તો તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી ગઈ......


એ મા પર શું વીતી હશે જ્યારે તેને પતિની કરતૂતની ખબર પડી...

રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં રિક્ષા ચાલક બાપે 18 વર્ષની કુમળી દિકરીને પત્ની ઘરે ના હતી ત્યારે પીંખી નાખી હતી. માતાને આ વાતની ખબર ના હતી. દિકરીએ પણ માતાને પિતાના આ હદ સુધીની કરતૂતની કહી ના હતી. દિકરીને જ્યારે ગર્ભ રહી ગયું અને પોતાની માતાને પેટમાં દુખવાની ફરિયાદ કરી ત્યારે માતા તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ જે ઘટના ઘટી તે તમને ધ્રુજાવી દેશે. 


18 વર્ષની કિશોરી બોલી, "ગર્ભ પપ્પાનો છે..." 

ડોક્ટરના રિપોર્ટમાં 18 વર્ષની દિકરી ગર્ભવતી હોવાની ખબર પડી. માતા પણ સાથે જ હતી. માતાએ દિકરીને શું થયું તે જાણવા બધુ પૂછ્યું. માતા દિકરીને પૂછતી જ રહી હતી કે બધુ કેવી રીતે થયું. દિકરી કંઈ ના બોલી શકી, બસ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી. અંતે દિકરીએ જે કહ્યું તે સાંભળીને માતાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હશે. 


દિકરી 11 વર્ષની હતી ત્યારથી બાપ અડપલા કરતો હતો 

દિકરીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેનો બાપે જ ગર્ભ રાખી દીધો હતો. દિકરી જ્યારે 11 વર્ષની હતી ત્યારથી બાપે આવી હરકતો શરૂ કરી દીધી હતી. માતાને ખબર હતી કે અડપલા કરે છે પણ આ હદ સુધી વાત પહોંચી જશે તે માતાને ખબર ના હતી. માતાએ પતિની કરતૂત સામે જ્યારે ફરિયાદ કરતી ત્યારે તેનો પતિ તેને મારતો હતો. દિકરી પણ કંઈ કરી શકતી ના હતી. કરે પણ શું? કહે તો કહે પણ કોને અને કહે તો કહે પણ શું?


રાજકોટ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી 

રાજકોટ એ ડિવિઝન પોલીસના વિસ્તારની આ ઘટના છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે દિકરીના બાપ પર પોક્સો હેઠળ ફરિયાદ કરી છે. પોલીસે જે કલમ હેઠળ સજા કરી છે તે અંતર્ગત બાપને 10 વર્ષની સજા કે આજીવન જેલ પણ થઈ શકે છે. આ ગંભીર ગુનામાં બાપને કડકમાં કડક સજા થાય તેના માટે સ્પેશિયલ કોર્ટમાં સ્પેશિયલ વકીલ નિમાયા છે. 


જી હાં! આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પણ કળિયુગમાં પણ આવી સ્થિતિ કોઈના જીવનમાં ના આવવી જોઈએ. આપણો સમાજ કઈ બાજુ વળાંક લઈ રહ્યો છે? આવા બાપ હોય? સગા બાપે પોતાની ફૂલ જેવી દિકરીની ઝીંદગી નરક બનાવી દીધી. આ ઘટના બાદ દિકરીની માતા પણ કરુણ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ છે. સમગ્ર મામલે હવે કેવી સજા થશે તે કોર્ટની સુનાવણી બાદ જ ખબર પડશે પણ આપણે સારા સમાજની રચના કરવી જ પડશે નહીં તો......  





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.