Rajkotમાં Shaktisinh Gohilએ કોંગ્રેસની ખામીનો સ્વીકાર કરતા આપ્યું મોટુ નિવેદન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-20 14:24:52

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ પૂર્ણ થઈ ગયું છે.. આ વખતની ચૂંટણીમાં અનેક એવી બેઠકો હતી જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી. કોણ જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે અને આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં બૂથ મેનેજમેન્ટને લઈ વાત કરી રહ્યા છે. બૂથ મેનેજમેન્ટમાં કોઈ કચાશ રહી ગઈ છે તેવી વાત તેમણે કરી હતી.. 

કોંગ્રેસના નેતાઓને 14-15 બેઠકો જીતવાનો આશાવાદ     

દેશમાં આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે... ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર રહેતી હોય છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો હાલ ભાજપ પાસે છે અને આ વખતે પણ તમામ બેઠકો ભાજપને મળશે તેવો આશાવાદ ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાંચ લાખની લીડથી જીતશે તેવી વાત ભાજપ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે કે 14થી 15 જેટલી બેઠકો કોંગ્રેસને મળશે. 


રાજકોટ પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ 

નિષ્ણાંતો માને છે કે પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધે છે જ્યારે કોંગ્રેસમાં સંગઠનની કમી છે.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. જ્યારે તેમની સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી પણ હાજર હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., 


આ બેઠકો રસપ્રદ છે કારણ કે... 

મહત્વનું છે કે અનેક બેઠકો ગુજરાતની એવી હતી જ્યાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી.. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની સામે ડો, રેખાબેન ચૌધરી તો ભરૂચમાં મનસુખ વસાવાની સામે ચૈતર વસાવા.. આણંદમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અમિત ચાવડા અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ.. તે સિવાય અનંત પટેલની ટક્કર સામે ધવલ પટેલ સામે થવાની છે. દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે પરંતુ પરિણામ ચોથી જૂનના રોજ ખબર પડશે કે ક્યાં કોની જીત થઈ છે.. 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.