Rajkotમાં Shaktisinh Gohilએ કોંગ્રેસની ખામીનો સ્વીકાર કરતા આપ્યું મોટુ નિવેદન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-20 14:24:52

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ પૂર્ણ થઈ ગયું છે.. આ વખતની ચૂંટણીમાં અનેક એવી બેઠકો હતી જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી. કોણ જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે અને આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં બૂથ મેનેજમેન્ટને લઈ વાત કરી રહ્યા છે. બૂથ મેનેજમેન્ટમાં કોઈ કચાશ રહી ગઈ છે તેવી વાત તેમણે કરી હતી.. 

કોંગ્રેસના નેતાઓને 14-15 બેઠકો જીતવાનો આશાવાદ     

દેશમાં આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે... ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર રહેતી હોય છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો હાલ ભાજપ પાસે છે અને આ વખતે પણ તમામ બેઠકો ભાજપને મળશે તેવો આશાવાદ ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાંચ લાખની લીડથી જીતશે તેવી વાત ભાજપ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે કે 14થી 15 જેટલી બેઠકો કોંગ્રેસને મળશે. 


રાજકોટ પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ 

નિષ્ણાંતો માને છે કે પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધે છે જ્યારે કોંગ્રેસમાં સંગઠનની કમી છે.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. જ્યારે તેમની સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી પણ હાજર હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., 


આ બેઠકો રસપ્રદ છે કારણ કે... 

મહત્વનું છે કે અનેક બેઠકો ગુજરાતની એવી હતી જ્યાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી.. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની સામે ડો, રેખાબેન ચૌધરી તો ભરૂચમાં મનસુખ વસાવાની સામે ચૈતર વસાવા.. આણંદમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અમિત ચાવડા અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ.. તે સિવાય અનંત પટેલની ટક્કર સામે ધવલ પટેલ સામે થવાની છે. દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે પરંતુ પરિણામ ચોથી જૂનના રોજ ખબર પડશે કે ક્યાં કોની જીત થઈ છે.. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .