રાજકોટમાં આધેડ બન્યા શ્વાનનો શિકાર! પાછળથી આવીને શ્વાને પગ પર ભર્યું બચકું, વૃદ્ધને કર્યા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-04-08 16:07:06

રખડતાં પશુ અને રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યું છે. અનેક લોકોને રખડતાં શ્વાનને કારણે ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો ઘણા કિસ્સાઓ એવા હોય છે જેમાં રખડતાં શ્વાનને કારણે મૃત્યુ પણ લોકો પામતા હોય છે. થોડા દિવસો પહેલા બે બાળકો પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાઓથી આ કિસ્સા સામે આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત રખડતાં શ્વાનના આંતક દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના સામે આવી છે


રસ્તાથી પસાર થઈ રહેલા વૃદ્ધને શ્વાને ભર્યું બચકું

રાજકોટમાં શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. 58 વર્ષીય વૃદ્ધને શ્વાને શિકાર બનાવ્યો છે. શરાફી મંડળ તરફ જઈ રહેલા વૃદ્ધને પાછળથી આવીને શ્વાને બચકું ભરી લીધું હતું. જેને કારણે વૃદ્ધના પગના ભાગમાં ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


શ્વાનના બચકા ભર્યાના આટલા કેસ નોંધાયા 

મહત્વનું છે કે દિવસેને દિવસે શ્વાન દ્વારા થતાં હુમલાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જો ડોગ બાઈટના આંકાડાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 1380 જેટલા કેસ નોંધાયા હતા, મે મહિનામાં 1300 જેટલા કેસ નોંધાયા છે, જૂન મહિનામાં 600 થી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 500 જેટલા કેસ, સપ્ટેમ્બરમાં 580 જેટલા કેસ, ઓક્ટોબરમાં 500 જેટલા કેસ, નવેમ્બરમાં 590 જેટલા કેસ નોંધાયા છે.


ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે હુમલાનો શિકાર? 

રાજ્યમાં થોડા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરે અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે ઉપરાંત અનેક લોકોના મોત પણ આને કારણે થયા છે. રખડતાં ઢોરથી લોકોને શાંતિ મળી ન હતી ત્યારે તો રખડતાં શ્વાનના આતંકથી ઝઝુમવા લોકો મજબૂર બન્યા છે. પાટણથી રખડતાં આખલાના આતંકના સમાચાર સામે આવ્યા છે. બાઈકને આખલાએ ટક્કર મારી દીધી હતી. ત્યારે પ્રશ્નએ છે કે લોકોને રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી મુક્તિ ક્યારે મળશે? ક્યાં સુધી નિર્દોષ વ્યક્તિઓ તેમના હુમલાનો ભોગ બનતી રહેશે?   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે