રાજકોટમાં આધેડ બન્યા શ્વાનનો શિકાર! પાછળથી આવીને શ્વાને પગ પર ભર્યું બચકું, વૃદ્ધને કર્યા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-04-08 16:07:06

રખડતાં પશુ અને રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યું છે. અનેક લોકોને રખડતાં શ્વાનને કારણે ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો ઘણા કિસ્સાઓ એવા હોય છે જેમાં રખડતાં શ્વાનને કારણે મૃત્યુ પણ લોકો પામતા હોય છે. થોડા દિવસો પહેલા બે બાળકો પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાઓથી આ કિસ્સા સામે આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત રખડતાં શ્વાનના આંતક દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના સામે આવી છે


રસ્તાથી પસાર થઈ રહેલા વૃદ્ધને શ્વાને ભર્યું બચકું

રાજકોટમાં શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. 58 વર્ષીય વૃદ્ધને શ્વાને શિકાર બનાવ્યો છે. શરાફી મંડળ તરફ જઈ રહેલા વૃદ્ધને પાછળથી આવીને શ્વાને બચકું ભરી લીધું હતું. જેને કારણે વૃદ્ધના પગના ભાગમાં ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


શ્વાનના બચકા ભર્યાના આટલા કેસ નોંધાયા 

મહત્વનું છે કે દિવસેને દિવસે શ્વાન દ્વારા થતાં હુમલાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જો ડોગ બાઈટના આંકાડાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 1380 જેટલા કેસ નોંધાયા હતા, મે મહિનામાં 1300 જેટલા કેસ નોંધાયા છે, જૂન મહિનામાં 600 થી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 500 જેટલા કેસ, સપ્ટેમ્બરમાં 580 જેટલા કેસ, ઓક્ટોબરમાં 500 જેટલા કેસ, નવેમ્બરમાં 590 જેટલા કેસ નોંધાયા છે.


ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે હુમલાનો શિકાર? 

રાજ્યમાં થોડા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરે અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે ઉપરાંત અનેક લોકોના મોત પણ આને કારણે થયા છે. રખડતાં ઢોરથી લોકોને શાંતિ મળી ન હતી ત્યારે તો રખડતાં શ્વાનના આતંકથી ઝઝુમવા લોકો મજબૂર બન્યા છે. પાટણથી રખડતાં આખલાના આતંકના સમાચાર સામે આવ્યા છે. બાઈકને આખલાએ ટક્કર મારી દીધી હતી. ત્યારે પ્રશ્નએ છે કે લોકોને રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી મુક્તિ ક્યારે મળશે? ક્યાં સુધી નિર્દોષ વ્યક્તિઓ તેમના હુમલાનો ભોગ બનતી રહેશે?   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.