રાજકોટમાં ભુવાની સલાહ માની માતાએ નવજાતને આપ્યા ડામ, અંધશ્રદ્ધાળુ માતાના કારણે પરિવારે ગુમાવ્યો પુત્ર


  • Published By :
  • Published Date : 2023-10-19 20:48:49

રાજ્યમાં અંધશ્રધ્ધાના કારણે હત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જામનગર બાદ હવે રાજકોટમાં અંધશ્રદ્ધા કિસ્સો સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો બિમારીમાં ડોક્ટર પાસે જવાને બદલે ભુવા પાસે જઈ રહ્યા છે. જેના કારણે પોતાના વ્હાલસોયાને ગુમાવવાના વારા પણ આવ્યા છે. રાજકોટમાં આવી જ રીતે અંધશ્રદ્ધામાં પરિવારે પુત્ર ગુમાવ્યો છે.


પરિવારે કુળદીપક ગુમાવ્યો


રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક માતાએ ભુવાની સલાહ બાદ 24 દિવસના માસૂમને અગરબત્તીના ડામ આપતા મોતને ભેટ્યો છે. માસુમ બાળકને પેટના ભાગે બે ડામ આપતાં માસુમની તબિયત લથડી હતી. એક અઠવાડિયાથી બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આજે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. જો કો આ મામલે બાળકના પિતાએ કહ્યું કે, અગરબત્તી પડી જવાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. બાળકને શ્વાસની તકલીફ હતી જેના કારણે માનતા રાખી હતી. બાદમાં બાળકના પિતાએ એમ પણ કહ્યું કે, બાળક બીમાર હોવાના કારણે માનતા રાખી હતી જેથી આરતી ઉતારતા હતા. જો કે, તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પરિવારે કુળદીપક ગુમાવતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


જામનગરના હજામચોરામાં બનેલી ઘટનાથી પંથકમાં અરેરાટી


ઉલ્લેખનિય છે કે જામનગરના હજામચોરામાં અંધશ્રદ્ધાના કીસ્સામાં દીકરીની હત્યાનો મામલો આવ્યો હતો. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટા-ભાઈ બહેને 15 વર્ષની નાની બહેનને ધાર્મિક વિધિના નામે અંધ શ્રધ્ધામાં પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચાવી દીધી છે. દાહોદના ખેત મજૂર બે મોટા ભાઈ બહેનએ 18 વર્ષની નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી હતી. ગઈકાલ બનેલ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાની હકિકત સામે આવી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ ગયો હોય. આ પહેલા પણ ઘણી ઘટનાના અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે આવી વધતી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક બાબત કહીં શકાય.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.