રાજકોટમાં ભુવાની સલાહ માની માતાએ નવજાતને આપ્યા ડામ, અંધશ્રદ્ધાળુ માતાના કારણે પરિવારે ગુમાવ્યો પુત્ર


  • Published By :
  • Published Date : 2023-10-19 20:48:49

રાજ્યમાં અંધશ્રધ્ધાના કારણે હત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જામનગર બાદ હવે રાજકોટમાં અંધશ્રદ્ધા કિસ્સો સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો બિમારીમાં ડોક્ટર પાસે જવાને બદલે ભુવા પાસે જઈ રહ્યા છે. જેના કારણે પોતાના વ્હાલસોયાને ગુમાવવાના વારા પણ આવ્યા છે. રાજકોટમાં આવી જ રીતે અંધશ્રદ્ધામાં પરિવારે પુત્ર ગુમાવ્યો છે.


પરિવારે કુળદીપક ગુમાવ્યો


રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક માતાએ ભુવાની સલાહ બાદ 24 દિવસના માસૂમને અગરબત્તીના ડામ આપતા મોતને ભેટ્યો છે. માસુમ બાળકને પેટના ભાગે બે ડામ આપતાં માસુમની તબિયત લથડી હતી. એક અઠવાડિયાથી બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આજે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. જો કો આ મામલે બાળકના પિતાએ કહ્યું કે, અગરબત્તી પડી જવાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. બાળકને શ્વાસની તકલીફ હતી જેના કારણે માનતા રાખી હતી. બાદમાં બાળકના પિતાએ એમ પણ કહ્યું કે, બાળક બીમાર હોવાના કારણે માનતા રાખી હતી જેથી આરતી ઉતારતા હતા. જો કે, તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પરિવારે કુળદીપક ગુમાવતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


જામનગરના હજામચોરામાં બનેલી ઘટનાથી પંથકમાં અરેરાટી


ઉલ્લેખનિય છે કે જામનગરના હજામચોરામાં અંધશ્રદ્ધાના કીસ્સામાં દીકરીની હત્યાનો મામલો આવ્યો હતો. ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટા-ભાઈ બહેને 15 વર્ષની નાની બહેનને ધાર્મિક વિધિના નામે અંધ શ્રધ્ધામાં પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચાવી દીધી છે. દાહોદના ખેત મજૂર બે મોટા ભાઈ બહેનએ 18 વર્ષની નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી હતી. ગઈકાલ બનેલ ઘટનામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાની હકિકત સામે આવી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ ગયો હોય. આ પહેલા પણ ઘણી ઘટનાના અંધશ્રદ્ધાના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે આવી વધતી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક બાબત કહીં શકાય.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.