પાકના બલુચિસ્તાનમાં ટ્રેન થઈ “હાઇજેક”!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 21:43:39

પાકિસ્તાનથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , તેના બલુચિસ્તાન પ્રાંતમાં એક ટ્રેનમાં સ્થિત ૧૨૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું  છે.  આ સમગ્ર હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે . આ હુમલાથી બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી  તાકાતોનું પ્રભુત્વ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે . 

આપણો પાડોશી દેશ પાકિસ્તાન . તેનું એક રાજ્ય જેનું નામ છે બલુચિસ્તાન. આ પ્રાંતમાં અવારનવાર પાકિસ્તાની સેના અને સત્તાધીશોની સામે હિંસક દેખાવો થતા રહે છે એટલુંજ નહિ આ અલગાવવાદી તાકાતો આતંકવાદી હુમલા પણ કરે છે . 

હવે જે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો કેમકે , બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ફાયરિંગ કરીને જાફર એક્સપ્રેસ નામની ટ્રેનમાં રહેલા આશરે અંદાજે ૧૨૦ જેટલા યાત્રીઓનું અપહરણ કર્યું છે . સમાચાર એ પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે ,   પાકિસ્તાની સેના સાથે અથડામણમાં ૧૧ જવાનોના મોત થયા છે . 

આ અલગાવવાદી સંગઠને એવી પણ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના નઈ હટે તો , અમે બધાજ બંધકોને મારી નાખીશુ. 

સ્થાનિક મીડિયાએ આ સમાચારને પુષ્ટિ આપતા કહ્યું છે કે , જેવી જ આ જાફર એક્સપ્રેસ બલુચિસ્તાનની રાજધાની કવેટાથી નીકળી , તેવું જ તેનું અપહરણ કરવામાં આવ્યું છે . 

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન પર કોઈ અંતરયાળ  વિસ્તારમાં ફાયરીંગ કર્યું છે , આ પછી તેને પાટા પરથી ઉતારી દેવામાં આવી છે . 

પાકિસ્તાનના  રેલવે મંત્રાલય મુજબ આ જાફર એક્સપ્રેસના ૯ કોચ અને તેમાં રહેલા ૪૫૦ પેસેન્જર પાસે કોઈ જ સંપર્ક સ્થપાયો નથી .  

જોકે પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે , આ ટ્રેનને આતંકવાદીઓના કબ્જામાંથી છોડાવવા માટે એક ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે . વાત કરીએ આ જાફર એક્સપ્રેસની તો તે , બલૂચિસ્તાનની રાજધાની કવેટા શહેરથી  , ખૈબર પખ્તુન્વાના પેશાવર સુધી ચાલે છે . 

બલુચિસ્તાન લિબરેશન ગ્રુપ આ એક અલગાવવાદી સંગઠન છે જે , બલુચિસ્તાનની આઝાદીની માંગણી કરતુ રહે છે .

વાત બલુચિસ્તાન પ્રાંતની તો તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે લાગે છે . ખનીજ સંસાધનોથી ભરપૂર રાજ્ય છે. ત્યાં અવારનવાર પાકિસ્તાનથી આઝાદ થવાના આંદોલન થતા રહે છે. આ વિસ્તારમાં રહેતા બલુચ લોકો સતત પાકિસ્તાની સરકાર અને સેના તરફથી ઉપેક્ષાનો સામનો કરતા રહે છે . 

હાલના સમયમાં પાકિસ્તાનની ચાઈના પર નિર્ભરતા વધતી જાય છે . સાથે જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે તો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . તેની આર્થિક પાયમાલીના લીધે અલગાવવાદી તાકાતો પાકિસ્તાનમાં ખુબ જ સક્રિય બની રહી છે. થોડા સમય પેહલા , પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલેકે (POK ) માં આઝાદી માટે હિંસક આંદોલનો થયા હતા . 

તો તમારું શું કેહવું છે બલુચિસ્તાનમાં થઇ રહેલા આ અલગાવવાદી આંદોલન પર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.