પાકના બલુચિસ્તાનમાં ટ્રેન થઈ “હાઇજેક”!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 21:43:39

પાકિસ્તાનથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , તેના બલુચિસ્તાન પ્રાંતમાં એક ટ્રેનમાં સ્થિત ૧૨૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું  છે.  આ સમગ્ર હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે . આ હુમલાથી બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી  તાકાતોનું પ્રભુત્વ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે . 

આપણો પાડોશી દેશ પાકિસ્તાન . તેનું એક રાજ્ય જેનું નામ છે બલુચિસ્તાન. આ પ્રાંતમાં અવારનવાર પાકિસ્તાની સેના અને સત્તાધીશોની સામે હિંસક દેખાવો થતા રહે છે એટલુંજ નહિ આ અલગાવવાદી તાકાતો આતંકવાદી હુમલા પણ કરે છે . 

હવે જે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો કેમકે , બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ફાયરિંગ કરીને જાફર એક્સપ્રેસ નામની ટ્રેનમાં રહેલા આશરે અંદાજે ૧૨૦ જેટલા યાત્રીઓનું અપહરણ કર્યું છે . સમાચાર એ પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે ,   પાકિસ્તાની સેના સાથે અથડામણમાં ૧૧ જવાનોના મોત થયા છે . 

આ અલગાવવાદી સંગઠને એવી પણ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના નઈ હટે તો , અમે બધાજ બંધકોને મારી નાખીશુ. 

સ્થાનિક મીડિયાએ આ સમાચારને પુષ્ટિ આપતા કહ્યું છે કે , જેવી જ આ જાફર એક્સપ્રેસ બલુચિસ્તાનની રાજધાની કવેટાથી નીકળી , તેવું જ તેનું અપહરણ કરવામાં આવ્યું છે . 

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન પર કોઈ અંતરયાળ  વિસ્તારમાં ફાયરીંગ કર્યું છે , આ પછી તેને પાટા પરથી ઉતારી દેવામાં આવી છે . 

પાકિસ્તાનના  રેલવે મંત્રાલય મુજબ આ જાફર એક્સપ્રેસના ૯ કોચ અને તેમાં રહેલા ૪૫૦ પેસેન્જર પાસે કોઈ જ સંપર્ક સ્થપાયો નથી .  

જોકે પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે , આ ટ્રેનને આતંકવાદીઓના કબ્જામાંથી છોડાવવા માટે એક ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે . વાત કરીએ આ જાફર એક્સપ્રેસની તો તે , બલૂચિસ્તાનની રાજધાની કવેટા શહેરથી  , ખૈબર પખ્તુન્વાના પેશાવર સુધી ચાલે છે . 

બલુચિસ્તાન લિબરેશન ગ્રુપ આ એક અલગાવવાદી સંગઠન છે જે , બલુચિસ્તાનની આઝાદીની માંગણી કરતુ રહે છે .

વાત બલુચિસ્તાન પ્રાંતની તો તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે લાગે છે . ખનીજ સંસાધનોથી ભરપૂર રાજ્ય છે. ત્યાં અવારનવાર પાકિસ્તાનથી આઝાદ થવાના આંદોલન થતા રહે છે. આ વિસ્તારમાં રહેતા બલુચ લોકો સતત પાકિસ્તાની સરકાર અને સેના તરફથી ઉપેક્ષાનો સામનો કરતા રહે છે . 

હાલના સમયમાં પાકિસ્તાનની ચાઈના પર નિર્ભરતા વધતી જાય છે . સાથે જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે તો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . તેની આર્થિક પાયમાલીના લીધે અલગાવવાદી તાકાતો પાકિસ્તાનમાં ખુબ જ સક્રિય બની રહી છે. થોડા સમય પેહલા , પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલેકે (POK ) માં આઝાદી માટે હિંસક આંદોલનો થયા હતા . 

તો તમારું શું કેહવું છે બલુચિસ્તાનમાં થઇ રહેલા આ અલગાવવાદી આંદોલન પર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.