TET-TAT ઉમેદવારોના સર્મથનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સાંભળો કરાર આધારિત ભરતીને લઈ શું કહ્યું તેમણે?


  • Published By : Admin
  • Published Date : 2023-09-14 17:04:09

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ દર વખતે તેમને ગાંધીનગર પહોંચતા પહેલા રોકી દેવામાં આવતા હતા. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો તેમાં પણ ભાજપના ધારાસભ્યો આવ્યા છે ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે રજૂઆત તેમણે કરી હતી. 


ભાજપના અનેક ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર  

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું અલગ એક વિશેષ સ્થાન રહેલું હોય છે. ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન લથડતી જઈ રહી છે. શિક્ષકોની ઘટ અનેક શાળાઓમાં વર્તાઈ રહી છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટના ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો આવ્યા છે. ભાજપના અનેક ધારાસભ્યોએ શિક્ષણ મંત્રીને પત્ર લખી આ મુદ્દે રજૂઆત કરી છે. તે ઉપરાંત કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. 


શક્તિસિંહ ગોહિલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉમેદવારો માટે આંદોલન કરવાની જાહેરાત કરી હતી તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. ત્યારે પ્રતિદિન આ જ્ઞાન સહાયકનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ કરાર આધારિત ભરતી નાબુદ થાય તેવી રજૂઆત કરી હતી, તેવી માગ કરી હતી. મહત્વનું છે કે ઉમેદવારો ઘણા સમયથી આ માગ કરી રહ્યા હતા. સત્તાધીશોને અનેક વખત આ અંગે રજૂઆત કરી પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવતી ન હતી. ત્યારે જોવું એ રહ્યું છે કે ઉમેદવારોની આ લડાઈ ક્યાં સુધી જશે તે એક પ્રશ્ન છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.