TET-TAT ઉમેદવારોના સર્મથનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સાંભળો કરાર આધારિત ભરતીને લઈ શું કહ્યું તેમણે?


  • Published By : Admin
  • Published Date : 2023-09-14 17:04:09

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ દર વખતે તેમને ગાંધીનગર પહોંચતા પહેલા રોકી દેવામાં આવતા હતા. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો તેમાં પણ ભાજપના ધારાસભ્યો આવ્યા છે ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે રજૂઆત તેમણે કરી હતી. 


ભાજપના અનેક ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર  

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું અલગ એક વિશેષ સ્થાન રહેલું હોય છે. ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન લથડતી જઈ રહી છે. શિક્ષકોની ઘટ અનેક શાળાઓમાં વર્તાઈ રહી છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટના ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો આવ્યા છે. ભાજપના અનેક ધારાસભ્યોએ શિક્ષણ મંત્રીને પત્ર લખી આ મુદ્દે રજૂઆત કરી છે. તે ઉપરાંત કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. 


શક્તિસિંહ ગોહિલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉમેદવારો માટે આંદોલન કરવાની જાહેરાત કરી હતી તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. ત્યારે પ્રતિદિન આ જ્ઞાન સહાયકનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ કરાર આધારિત ભરતી નાબુદ થાય તેવી રજૂઆત કરી હતી, તેવી માગ કરી હતી. મહત્વનું છે કે ઉમેદવારો ઘણા સમયથી આ માગ કરી રહ્યા હતા. સત્તાધીશોને અનેક વખત આ અંગે રજૂઆત કરી પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવતી ન હતી. ત્યારે જોવું એ રહ્યું છે કે ઉમેદવારોની આ લડાઈ ક્યાં સુધી જશે તે એક પ્રશ્ન છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.