સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો, હર્ષ સંઘવીએ કોર્પોરેટરોનું કર્યું સ્વાગત, ઈસુદાન ગઢવીએ સાધ્યું ભાજપ પર નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-15 13:27:12

ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. હર્ષ સંઘવી દ્વારા આપના કોર્પોરેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ આ સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે.

      

6 કોર્પોરેટરોએ છોડ્યો આમ આદમી પાર્ટીનો સાથ!

સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ ગયા છે. આપનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ કોર્પોરેટરોનું સ્વાગત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. પરંતુ આ અગાઉ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા જે બાદ ફરી એક વખત 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. જે  કોર્પોરેટરોએ આપનો છેડો ફાડ્યો છે તેમાં સ્વાતિ ક્યાડા, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, અશોક ધામી, કિરણ ખોખાની અને ઘનશ્યામ મકવાણાનો સમાવેશ થાય છે.

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા - હર્ષ સંઘવી

કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાને જોઈને 10-10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપના પરિવારમાં જોડાયા છે. 


 

આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું છે - ઈસુદાન ગઢવી 

કોર્પોરેટરોના પક્ષપલટા બાદ રાજનીતિ ગરમાવી સ્વભાવિક વાત હતી. આ વાતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ મામલે નિવેદન આપતા કહ્યું કે મંત્રી પ્રફુલ્લભાઈના ઘરે મીટીંગ થઈ હતી. તમામને 50થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. તે સિવાય આ મામલે આપના કોર્પોરેટર દીપ્તિ સાકરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે પ્રફુલ પાનસેરિયાએ અમને તેમના ગાંધીનગરના બંગલામાં બોલાવ્યા હતા. ત્યાં બેસીને વાત કરવામાં આવી હતી કે તમને આટલા રુપિયા આપવામાં આવશે, તમે ભાજપ સાથે જોડાઈ જાઓ. 


ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં થતાં હોય છે ભંગાણ!

મહત્વનું છે કે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં ભંગાણ થવાની સંભાવનાઓ વધતી જાય છે ત્યારે કોણ કઈ પાર્ટીનો છેડો ફાડે છે તે જોવું રહ્યું.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.