સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો, હર્ષ સંઘવીએ કોર્પોરેટરોનું કર્યું સ્વાગત, ઈસુદાન ગઢવીએ સાધ્યું ભાજપ પર નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-15 13:27:12

ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. હર્ષ સંઘવી દ્વારા આપના કોર્પોરેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ આ સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે.

      

6 કોર્પોરેટરોએ છોડ્યો આમ આદમી પાર્ટીનો સાથ!

સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ ગયા છે. આપનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ કોર્પોરેટરોનું સ્વાગત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. પરંતુ આ અગાઉ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા જે બાદ ફરી એક વખત 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. જે  કોર્પોરેટરોએ આપનો છેડો ફાડ્યો છે તેમાં સ્વાતિ ક્યાડા, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, અશોક ધામી, કિરણ ખોખાની અને ઘનશ્યામ મકવાણાનો સમાવેશ થાય છે.

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા - હર્ષ સંઘવી

કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાને જોઈને 10-10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપના પરિવારમાં જોડાયા છે. 


 

આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું છે - ઈસુદાન ગઢવી 

કોર્પોરેટરોના પક્ષપલટા બાદ રાજનીતિ ગરમાવી સ્વભાવિક વાત હતી. આ વાતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ મામલે નિવેદન આપતા કહ્યું કે મંત્રી પ્રફુલ્લભાઈના ઘરે મીટીંગ થઈ હતી. તમામને 50થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. તે સિવાય આ મામલે આપના કોર્પોરેટર દીપ્તિ સાકરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે પ્રફુલ પાનસેરિયાએ અમને તેમના ગાંધીનગરના બંગલામાં બોલાવ્યા હતા. ત્યાં બેસીને વાત કરવામાં આવી હતી કે તમને આટલા રુપિયા આપવામાં આવશે, તમે ભાજપ સાથે જોડાઈ જાઓ. 


ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં થતાં હોય છે ભંગાણ!

મહત્વનું છે કે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં ભંગાણ થવાની સંભાવનાઓ વધતી જાય છે ત્યારે કોણ કઈ પાર્ટીનો છેડો ફાડે છે તે જોવું રહ્યું.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.